….અથવા પ્રભુ, તું ન મળે તો સારું
હે પ્રભુ !
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાયને
અને કહે કે ,
‘માગ, માગ, જે માગે તે આપું’
ત્યારે , હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે ,
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતર્યામી છે..
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે જો મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…
દિનેશ દલાલ(૧૯-૦૮-૧૯૩૫) -‘કવિતા’ના કાવ્યમય મુખ્પૃષ્ઠ માટે જાણીતા, અનુવાદક અને ક્યારેક કાવ્યો પણ લખે છે.
સ્વાભિમાનને ઉંચાઇ પર લઇ જતી કવિતા
adbhoot … !!!
સુંદર રચના…
પ્રભુ પ્રત્યે ભક્તનો ભાવ સુંદર અને સહજ રીતે વ્યક્ત થયો છે.
મૃત્યુ લજ્જા વગરની લલના છે. એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે. બહુ જ સરસ રચના છે.
પ્રભુ પ્રત્યેની ભકતની ભાવના સરસ રીતે રજુ કરી છે. જો કે આ ભકત માંગવમાં અમદાવાદી નથી લાગતો નહિ તો આવુ ના માંગે. બહુ જ સરસ રચના છે.
my favourite one.
thanks