"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

….અથવા પ્રભુ, તું ન મળે તો સારું

હે પ્રભુ !
જો તું કોઈક વાર મને ક્યાંક  મળી જાયને
અને કહે કે ,
‘માગ, માગ, જે માગે તે  આપું’
ત્યારે , હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે ,
જેથી હું કાંઈ  બોલી ના શકું.
ફક્ત તારી સામે  નજર માંડી રહું.
કારણ… તું તો અંતર્યામી છે..
અને જો આપણું  મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે જો મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

દિનેશ દલાલ(૧૯-૦૮-૧૯૩૫) -‘કવિતા’ના કાવ્યમય મુખ્પૃષ્ઠ માટે જાણીતા, અનુવાદક       અને ક્યારેક કાવ્યો પણ લખે છે.

જુલાઇ 1, 2008 Posted by | મને ગમતી કવિતા | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: