"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આ છે પત્રકાર !

ભારત કે જ્યાં અહિંસા,દયા સત્ય,માનવ ધર્મ, માનવ પ્રત્યે પ્રેમ જે આપણા લોહીમાં છે એનું આજ શું થયું? આ દ્ર્શ્ય જોઈ લાગે છે કે “માનવતા” મરી પરવારી છે. ચીનના પ્રમૂખ ભારત આવવા અંગે બહિષ્કારના આંદોલનમાં એક માનવી બળી આત્મહત્યા કરી રહ્યો છે અને આજું બાજુ> છાપાવાળા-સમાચારવાળાના ફોટોગ્રાફર બળી રહેલ માનવીને બચાવવાને બદલે મરી રહેલ માનવીની તસ્વિર લઈ રહ્યાં છે..કોની તસ્વિર બેસ્ટ હશે..ક્યાં ફોટોગ્રાફરને આ તસ્વિરમાં પહેલું ઈનામ મળશે? તેની રસાક્શીમાં આ ફોટોગ્રાફર્સ “માનવતા” ભુલી ગયાં છે!  આ મહાન-ભારતના સુપુત્રો છે? મારા દેશનું શૂં થઈ રહ્યુ છે? દયા ક્યાં ગઈ? બસ સમાચાર ભરવા લાશની આજુબાજું ટોળેવળી..પુછે? “હે ભાઈ મરતા પહેલા તમારી વાત કરતા જાઉ જેથી અમારા સામાચાર પત્ર સૌ વાંચે અને મને નોકરી પર બઢતી મળી જાઈ!” શરમ જનક છે મિત્રો.. પત્રકારોની આ અમાનુષ ભર્યુ વર્તન આપણે કેમ ચલાવી કઈએ છીએ? કહેશો?

 

આ છે પત્રકાર !

લાશને ઉધી-ચત્તી કરી પુછે છે..”મરવાનું કારણ કહો?”

બળી ખાખ થઈ રાખને પુછે છે..”મરવાનું કારણ કહો?”

મરો તો ભલે મરો,પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”

સમાચાર ભરવા પણ   પુછે છે..”મરવાનું કારણ કહો?”

જીવતા બળો  તોય   પુછે છે…”મરવાનું કારણ કહો?”

ક્યાં કોઈને પડી?માત્ર પુછે છે..”મરવાનું કારણ કહો?”

લાશના ઢગલાને પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”

“માનવ” નથી ધંધાદારી પુછે છે..”મરવાનું કારણ કહો?”

Photo courtesy” Aaj Tak”

ઓગસ્ટ 5, 2012 - Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના

6 ટિપ્પણીઓ »

  1. પત્રકાર તો પૂછે છે મરતાને કે મરવાનું કેવું લાગે છે ?
    આપણાં પત્રકારોનું આ જગ જાહેર સ્તર છે !

    ટિપ્પણી by Arvind Adalja | ઓગસ્ટ 5, 2012

  2. .”મરવાનું કારણ કહો?…………………..
    નિદા ફાઝલીનો એક શેર છે,
    કુછ તબિયત હી મિલી થી ઐસી, ચૈન સે જિને કી સૂરત ન હુઈ,
    જિસે ચાહા ઉસે અપના ન શકે, જો મિલા ઉસસે મુહોબ્બત ન હુઈ.
    આત્મહત્યા કરવાવાળા પાસે મરવાનું કારણ હશે,
    …..પણ આપણી પાસે જીવવાનું કારણ હોય છે?
    ડિપ્રેશન, હતાશા અને ઉદાસી એ કામચલાઉ મોત છે. અમારા સ્નેહીની માની ૧૦૦મી વર્ષગાંઠ ધામધૂમથી ઊજવી.તેમના જીવનમા પણ આનંદ.૧૦૨મા વર્ષે તેમણે સાધ્વી જેમ સંથારા કરવાનો વિચાર કર્યો.અહીં તો દિકરાને માથે આરોપ લાગે કે ભૂખે તરસે મારી…માજીના મરણ બાદ નેચરલ કારણ આવ્યું અને બને એટલું જલ્દી ફ્યુનરલ માટે લાવતા પહેલું જ પૂછ્યુ…”મરવાનું કારણ કહો?.

    ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 5, 2012

  3. Nice Rachana to “open” the Eyes of the Humans !
    The Jounalist OR a Human is MUST have the HEART to do “what is right “first then only perform the “worldly” Duty….( as a Jornalist.)
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hoping to see you again on Chandrapukar.

    ટિપ્પણી by DR. CHANDRAVADAN MISTRY | ઓગસ્ટ 5, 2012

  4. આ વૃત્તિને માટે શબ્દપ્રયોગ છે : મડદા પર બેસીને મિજબાની !

    કેટલાંક ચેનલો ને છાપાંઓ મોતનો મલાજો રાખવો તો ઘેર ગયો, પણ એમાંથી પણ ધંધાનો લાભ મેળવતા હોય છે !

    ટિપ્પણી by jjkishor | ઓગસ્ટ 5, 2012

  5. નંબર વન બનવા માટે મીડીયાવાળા પોતાના સગા મા–બાપના મડદા પર બેસીને મીજબાની કરે તો નવાઈ પામવા જેવું નહીં !!!

    ટિપ્પણી by ગોવીંદ મારુ | ઓગસ્ટ 5, 2012

  6. one may call this media vulture.

    ટિપ્પણી by iastphonetic | ઓગસ્ટ 7, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: