સંવત્સરી મહા પર્વ-મિચ્છામી દુક્ક્ડમ..
સૌ જૈનમિત્રોને ફૂલવાડી તરફથી..મિચ્છામી દુક્ક્ડમ..
“ક્ષમા” આપવી માનવજાત માટે શ્રેષ્ઠ ગુણ ગણવામાં આવે છે..
ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે. આજે (રવિવારે) દેરાવાસી જૈનો જ્યારે સોમવારે સ્થાનકવાસી જૈનો આ સવંત્સરી પર્વ ઉજવશે. દેરાસરો-ઉપાશ્રયોમાં સવંત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે. પ્રતિક્રમણ બાદ જૈનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ કહી એકમેકની ક્ષમા ચાહશે.