હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ ભજવેલ એક અનોખું ભવ્ય નાટક. “એક અનોખી મહેફીલ
હ્યુસ્ટન ગુજરાતી સાહ્ત્ય સરિતાએ ..”એક અનોખી મહેફીલ” જેમાં ગાંધીજી, કસ્તુરબા, ઝવેચંદ મેઘાણી, સરદાર, ડો..વિક્રમભાઈ, કવિ નર્મદ, અને ચોકીદાર નું પાત્ર લઈ, હાસ્ય, ગંભીર, અને ગુજરાતની ગૌરવગાથા સાથે એક અનોખું શાનદાર નાટક ઉજવી, સૌ પાત્રોએ એક છટાદાર અદાકરી પ્રક્ષકોને ચકીત કરી દીધા. નાટક પુરું થતાં જ સૌ પ્રેક્ષકોએ આ નાટક ને ઉભા થઈ..તાળીઓના ગગડાટ સાથે માન આપ્યું અને અમારી સાહિત્ય સરિતાનું આ એક વિશેષ ગૌરવ ગણાવી શકાય.ફતેહઅલી ચતુર લેખિત, અશોકભાઈ પટેલનું “Direction અને સૌ પાત્રોએ પોત પોતાનું પાત્ર વિશે વિશેષ માહીતી પ્રાપ્ત કરી નાટકને વધારે સુ઼ંદર બનાવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે
************************************************************
ચૌકીદારઃ હાશ…! માંડ exhibition પૂરૂ થયૂ. આજનો દિવસ તો બહુ લાંબો હતો. કોણ જાણે આટલા બધા લોકો આ પત્થરની મુર્તિઓ જોવા શું આવતા હશે? પાછા ફોટાઓ પાડે..! અરે આટ્લા ફોટાઓ તો મારા લગ્નમા પણ નહોતા લીધા. કંઇ નહીં તમે તો નેતા છો ને? પણ આજના સમયમાં આટલા ફોટા પણ આજના નેતાઓને ઓછા પડે છે.!!
(વલ્લભભાઇ પટેલની મુર્તિ ને સાફ કરતા કહે છે)
તમે થાકતા નથી? આ.. આખો દિવસ આમ ઊભા ઊભા ! બધાને pose આપી આપી ને..!
હા પણ તમે શાના થાકો, તમે તો લોખંડી પુરૂષ..! (પડદો ખુલે છે અને બધી મુર્તિઓ સ્થિર ઉભી હોય છે)
“સરદાર વલ્લભ ભાઇ પટેલ”..!
(મોરારજી દેસાઇ તરફ જાય છે અને ગણગણે છે)
ઓ મોરારજી ભૈ, ઓ.. મોરારજી ભૈ, આ મુમ્બઇ મા આવી ને અમને ભારે પડી ગઇ..!
સરદારઃ બકવાસ બંધ કર..!
ચૌકીદારઃ (ચમકીને) કોણ બોલ્યુ? કોણ છે ત્યાં? (પછી ભોઠો પડીને) આ રાજકીય નેતાઓની વચ્ચે રહીન મારૂ યે મગજ ચસ્કી ગયુ છે. ખોટા ખોટા આભાસ થાય છે.
(પછી ગાંધીજીની મુર્તિ તરફ જાય છે)
બાપુ તમારા ઉપર તો ખરેખર દયા આવે છે. ખબર નહી તમને શા માટે આટલો વખત આમ ઉભા રાખે છે. જરા વાર બેસી જાઓ, આરામ કરો..!
મોરારજીઃ હા બાપુ બેસી જાઓ, બેસી જાઓ હવે પ્રદર્શન બંધ થઇ ગયુ, કોઇ નહી જુએ.
(મોરારજી ભાઇ ધીમે પગલે આગળ ચાલે છે)
ચૌકીદારઃ (આંખ ચોળે છે, ગાલ પર તમાચો મારે છે અને હાથ પર ચિમકી ભરે છે. અને જોરથી ચીસ પાડે છે.) ના ના હૂં તો જાગુ છું. ઊંઘમા નથી..!
સરદારઃ ઝવેરચંદભાઇ, આવો આવો અંહી, સાંજ પડી, ચાલો આપણે આપણી મહેફીલ જમાવીયે.
ચૌકીદારઃ અરે.. અરે.. અચ્છા તો તમે બધા રોજ સાંજે મહેફીલ જમાવો છો?
સરદારઃ તારે પણ જોડાવુ હોય તો જોડાઇ જા. પણ ખબરદાર જો વાત બહાર ગઇ તો..! ખબર છે ને.. મારૂ નામ સરદાર છે?
ચૌકીદારઃ જી… જી.. જી જી.
ગાંધીજીઃ અરે ઓ નર્મદ ..વીર નર્મદ… આમ ઓરા આવો, ત્યાં દૂર કયાં ઊભા?
નર્મદઃ જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત ! સાંભળ્યું છે કે આજે ગુજરાતમાં તેમન વિશ્વમાં વસતા સૌ ગુજરાતીઓ “સુવર્ણ જયંતિ ઉજવી રહ્યાં છે. એ ઘણાં ગૌરવ અને આનંદની વાત છે (આગળ આવે છે)
ઝવેરચંદઃ નર્મદ, તમે તો સુરતના! તમારી સુરતની ઘારી અને વાણીની તો શી વાત? ઘારી ખવડાવશો તો સૌને ગમશે પણ સુરતી વાણી….
નર્મદઃ સુરતની વાણીની વાત પછી. સુરત એતો સોનાની મૂરતની વાત કરો.મે સાંભળ્યુ છે કે તે તો ભારતનું સૌથી સમૃધ્ધ શહેર ગણાય છે .. વાહ! વાહ! મારું સુરત ફરી પાછુ સોનાનું થઇ ગયું.
ગાંધીજીઃ કેમ છો ઝવેરચંદ! તમે તો રાષ્ટ્રીય શાયર
ઝવેરચંદઃ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે
રખેવાળઃ વાહ! મેઘાણી સાહેબ, વાહ, વાહ.
ઝવેરચંદઃ આજ કાલ ગુજરાતનાં હાલ શું છે? Continue reading