“તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?”
ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.
વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.
દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનુંછે.
બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.
જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.
તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?
ને માણસજાતને શ્રદ્ધા સાથે જીવવાનું છે.
ડૉ. રઈશ મનીઆર
રામની ખૂબ જાણીતી ગઝલ ફરી માણી
તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?
ને માણસજાતને શ્રદ્ધા સાથે જીવવાનું છે.
વાહ્
‘તનિક કષ્ટ નહીં ધારૌં, ખૂલે નૈન પહચાનૌં,
હંસિ હંસિ સુંદર રૂપ નિહારૌં !’
આ સમસ્ત સૃષ્ટિ ઈશ્વરમય છે. એ પરમેશ્વરનું પ્રગટ સ્વરૂપ છે. માણસનો આ સૃષ્ટિ સાથે એકાત્મતાનો ઘનિષ્ઠ નાતો છે. માણસ સૃષ્ટિનો જ એક ભાગ છે અને સ્રષ્ટાનો એક અંશ છે. સૃષ્ટિ દ્વારા માણસના દેહનું ધારણ-પોષણ થાય છે અને સૃષ્ટિ દ્વારા જ તેના હૃદયને પણ પોષણ મળે છે. સૃષ્ટિ એ માણસ માટે અન્નનો ભંડાર છે અને બોધનો ખજાનો છે. માણસ સૃષ્ટિમાંથી સીધો બોધ ગ્રહણ કરી શકે છે અને આજ સુધી એ એમ કરતો આવ્યો છે. સૃષ્ટિના સાંનિધ્યથી ચિત્તની શુદ્ધિ થઈ શકે છે. માટે આપણે સમગ્રતામાં સમસ્ત વિશ્વને ઈશ્વરના રૂપમાં જોવું અને તેમાં તન્મય થઈ જવું. સૃષ્ટિ સાથે માણસનો આવો આત્મીય નાતો છે.
vah!
rayis maniarnee saras sabal krutino paricay thayo..
દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનુંછે.
બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.
જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.
તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?
ને માણસજાતને શ્રદ્ધા સાથે જીવવાનું છે.
aa adhaa sero gamyaa