"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નદીકિનારાની ભેખડ છું

 

અશબ્દ વાવ છું-પડઘાથી  ગૂંગળાઈ  જઈશ,
ખમો  હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ.

કરો   મને   તમે   આજ    સિન્દૂરી   થાપા,
હું પાળિયો છું- પછી  ધૂળથી છવાઈ જઈશ.

નથી   હું  રાતનો   ઓથાર  કે    બહું  પીડું,
પ્રભાતકાળનું  સ્વપ્ન છું   હુ ભુલાઈ જઈશ.

હું ચૈત્ર  છું, મને  ઝંખો  નહીં     અષાઢરૂપે,
ગગનથી નીચે વરસતામાં  હું સુકાઈ જઈશ.

લખું  છું   નામ  તમારું    હથેળીમાં    આજે,
ને હિમખંડથી, સંભવ છે, હું   ગળાઈ જઈશ.

સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
નદીકિનારાની  ભેખડ છું   હું -ઘસાઈ  જઈશ.

-ભગવતીકુમાર શર્મા

એપ્રિલ 17, 2010 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

  1. સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
    નદીકિનારાની ભેખડ છું હું -ઘસાઈ જઈશ.ખૂબ સરસ
    પૂ.રવિશંકર મહારાજે ઘસાઈને ઊજળા થવાની વાત કહી છે કાટ ઘસાઈ જાય ત્યારે લોઢું ચાંદી જેવું ચમકે છે. ઊજળું અને રેશમ જેવું સુંવાળું પણ હોય છે! રવિશંકરદાદા ગુજરાતની અસ્મિતાના સાચા જ્યોતિર્ધર છે. તેઓ સેવામૂર્તિ હતા. જાતે ઘસાઈને ઊજળા થઈને બીજાની મદદ કરીને, બીજાને ઉપયોગમાં આવીને સાદગી-સેવા વિનમ્રતા-ઋજુતાની સદેહ મૂર્તિ બનનાર પૂ. રવિશંકર મહારાજે માણસાઈના દીવા પ્રગટાવ્યા હતા.

    ટિપ્પણી by pragnaju | એપ્રિલ 17, 2010

  2. સિદ્ધહસ્ત સર્જકોની એકએક પંક્તિમાં કેટલું સુક્ષ્મ સંવેદન પ્રગટી શકે છે ! સમગ્ર રચના ભાવ–વિચારથી સુંદર રીતે કંડારાઈ છે.

    ટિપ્પણી by jjkishor | એપ્રિલ 18, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: