"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગુડફ્રાઈડે

 

બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખિ્રસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખિ્રસ્તી ધર્મનું ખાસ નિશાન છે.

રોમન લોકોમાં ક્રોસે લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને ઐને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખિ્રસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે.

સૌજન્ય: વિકિપીડીયા

એપ્રિલ 2, 2010 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

અલવિદા, જોસેફ મેકવાન

અલવિદા, જોસેફ મેકવાન

એમનું અમૃતપર્વ ઊજવી શકીએ, રૂડી પેરે ને રંગેચંગે, તે પહેલાં જ જોસેફભાઈ ડાયરામાંથી ઊઠી ગયા. જોસેફ મેકવાન ગયાનું સાંભળ્યું અને મન પચીસેક વર્ષ પાછળ ચાલી ગયું, પહેલા પહેલા પરિચયની યાદોમાં. એ વર્ષોમાં એમણે સરસ પાત્રો કરવા માંડેલાં. એમની લાડુમાએ આ લખનાર પેઠે કેટલાનાં પોપચાં પલાળ્યાં હશે, ન જાણે. દેશ આખાએ એમને ‘આંગિળયાત’ના લેખક તરીકે ઓળખ્યા, પણ એ તો પછીની વાત. ગુજરાતને એમનો હૃધ્ય પરિચય થયો તે ૧૯૮૫માં ‘વ્યથાનાં વીતક’ એ ચરિત્રલેખો સાથે. ત્યારે સરસ ને સચોટ કહેલું નીરવ પટેલે કે હરેક જમાનાને એનો જોસેફદાદો મળી રહો.

મધ્યમવર્ગી ગુજરાતને અજાણી એક આખી દુનિયા, કહો કે દલિતોનો દેશ, જોસેફ મેકવાને એમનાં ચરિત્રો સાથે ને વાર્તા-નવલકથાઓ સાથે ઉઘાડી આપી. ૧૯૮૫-૮૬ એટલે કે ‘વ્યથાનાં વીતક’ અને ‘આંગિળયાત’નાં પ્રકાશન વર્ષોનું મને હંમેશ એક વાતે કૌતુક રહ્યું છે. તમે જુઓ કે ૧૯૮૭માં, એટલે કે ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ પ્રકાશિત થયાને સો વર્ષ થવામાં હતાં અને જોસેફ સહસા પ્રગટ થયા. જોસેફભાઈ કરતાં બે’ક વર્ષ પહેલાં કુંદનિકાબહેન ‘સાત પગલાં આકાશમાં’ લઈને આવ્યાં. નારી ચેતના અને દલિત ચેતનાના આ પ્રસ્ફોટો, કેમ જાણે પ્રાૈઢ ગુજરાતી નવલકથાની શતાબ્દીની નાંદી ઘટનાઓ ન હોય!

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ગ્રેજયુએટોનો જે પહેલો પહેલો ફાલ આવવા લાગ્યો, એમને લાયક એવું, ભણેલ લોકની નાની દુનિયાનું પણ સામંતી માહોલમાંથી બહાર આવવા કરતું ભાવવિશ્વ ગોમાત્રિ લઈને આવ્યા હતા. વાલકેશ્ર્વર અને સુંદરગિરિના અધ્ધર ને સધ્ધર લોકનું માણસ કલ્યાણ ગ્રામનાં સપનાં જરૂર જોતું હતું, પણ એ ભદ્ર દુનિયા હતી. ગોમાત્રિમાં નહીં એવા ધસમસતા વાર્તાવેગે મુનશી જરૂર આવ્યા પણ એ પ્રતાપી પાત્રોની રાજદુનિયા હતી. અને લોક? એને તો આપણા એકના એક પનાલાલ લઈ આવ્યા ત્યારે. પનાલાલ ગયા ત્યારે જો સહૃદય ગુજરાતે એમ કહેવાનું થયું હોય કે એ લીલી વાડી મૂકતા ગયા છે તો એનું કારણ એ હતું કે આપણી વચ્ચે રઘુવીર, ભગવતીકુમાર વગેરે હોવા ઉપરાંત ત્યારે સવિશેષ તો જે મનેખને તમે અને હું ભદ્રલોક ઝાઝાં મુખોમુખ થયા નહોતા એને મેળવી આપનારા જોસેફ એ વર્ષોમાં તરત આવી મળ્યા.

આરંભે કહ્યું કે હર જમાનાને એનો જોસેફદાદો મળી રહો. પણ જોસેફભાઈએ ‘આંગિળયાત’માં આમ તો વીતી ગયેલા જમાનાની વાત કરી છે. એમના જ શબ્દોમાં કહું તો એક આથમી ગયેલી સંસ્કૃતિ અને સાયાસ વિસારે પાડવામાં આવી રહેલી સામાજિકતાની એ વાત છે. અલબત્ત, એમણે ઉમેર્યું છે કે એ સમાજવ્યવસ્થાની પુન: પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્વશીલતાના પુરસ્કારનો ઉદ્દેશ છે.

મારો રસ ને ખેંચાણ, એમાં વીતેલા જમાના તરીકે એવાં ને એટલાં નથી જેવાં ને જેટલાં મારી સાંકડી દુનિયામાં દલિત પાત્રોના પ્રત્યક્ષ પ્રવેશ અને પરિચયનાં છે. ખરું જોતાં, ભદ્ર ગુજરાત આ એક જ વાત માટે પણ લાંબો સમય દલિત સર્જકોનું ઋણી રહેશે. ભોં અલબત્ત, જોસેફભાઈએ ભાંગી, પણ હવે તો દલપત ચૌહાણ, મોહન પરમાર અને બીજાઓ પણ આપણી વચ્ચે છે.

બકુલ ત્રપિાઠી બરાબર સાહિત્ય પરિષદની શતાબ્દીના અરસામાં જ પ્રમુખ થયા ત્યારે એ જોગાનુજોગ હોંશે હોંશે સંભારવાનું બન્યું હતું કે સો વર્ષ પહેલાં એક નડિયાદી નાગર નામે ગોવર્ધનરામ ત્રપિાઠી પહેલા પ્રમુખ બન્યા હતા, અને હવે સોમે વર્ષે બીજા નડિયાદી નાગર, નામે બકુલ ત્રપિાઠી. જોકે યુગઘટનાની રીતે વધુ સમર્પક ઉલ્લેખ કદાચ એ છે કે જે ચરોતરે ગોમાત્રિ આપ્યા, એ જ ચરોતરે જોસેફ પણ આપ્યા. જોસેફભાઈ પૂર્વે પેટલીકરે ચરોતરની ગોમાત્રિ-ઇતર સ્úિષ્ટ કંઈક ખોલી હતી- અને પછી તો જોસેફભાઈ જે કોળ્યા છે… તમાકુની ખળીઓમાં શોષાતાં જીવતરની ખરખબર વગર કલ્યાણગ્રામ ખાલી ખાલી ખખડતું હોત.

રણજિતરામ ચંદ્રક, કેન્દ્રની સાહિત્ય અકાદમીનું પારિતોષિક, દર્શક સન્માન, મળી શકે એટલાં માન અને શતસહસ્ર વાચકચાહકગણ એમને મળ્યા છે. પ્રસંગે શબ્દબંબોળ ને વગિત તરબોળ થઈ જતાં હોવા છતાં એ લાંબો વખત વંચાશે એમાં પણ શંકા નથી. લેન્સી લોબોએ ‘ન્યૂ કવેસ્ટ’માં ‘આંગિળયાત’ પર સવિસ્તર સમીક્ષાલેખ કરેલો તે અહીં સાંભરે છે. એમણે લખેલું કે વણકરો ઉપરાંત હજુ તો ભંગી, શેણવા, ચમાર સૌ સાહિત્ય ચિત્રણની રાહ જુએ છે. ભાઈ, મેઘાણીએ પણ ‘માણસાઇના દીવા’ને પારિતોષિક મળ્યું ત્યારે કેટલા બધા પ્રજાવર્ગો હજુ સાહિત્ય પ્રવેશની રાહ જુએ છે એની વાત કરી હતી. સતત ચાલતી પ્રક્રિયા છે આ તો. એમાં એક નાજુક નિણૉયક પળે જોસેફ આવ્યા અને ન્યાલ કરતા ગયા.

હવે સવા સોએ પહોંચવા કરતી ગુજરાતી નવલકથાએ તો ક્ષિતજિો ઠીક વિસ્તારી આપી છે, પણ આપણા રાજદરબારો અને સમાજવ્યાપારો કેમ પાછા પડે છે? જોસેફ ગયા અને આ સવાલ વળી સંકોરતા ગયા.

સૌજન્ય: “દિવ્યભાસ્કર”

એપ્રિલ 2, 2010 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: