"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે

 Lamb-of-God

                  આપણને ટેવ પડી છે કે દરેક વસ્તુના પુરાવા જોઈ એ એટલું જ નહીં વસ્તું હાથમાં જોઈ એ. ઈશ્વર છે કે નથી એની વચ્ચે શંકાશીલ  માણસ ઝોલા ખાય છે. ઝોકા ખાય છે. ઈશ્વર એ તર્કનો નહીં શ્રદ્ધાનો વિષય છે. હવા દેખાતી નથી, પણ હવા છે જ. હવા કદાચ ઈશ્વરનો ભાસ હોય શકે. આપણે આસ્થા ગુમાવી બેઠેલા માણસો છીએ. આ સૃષ્ટીનું તંત્ર જે ચલાવે છે એ પરમ શક્તિ નથી એવું માનવા મન માનતું નથી. અનંતકાળ ઈશ્વરનું સ્વરૂપ છે.

           આપણે ટેક્સીમાં બેસી એ છીએ ત્યારે ટેકસી ડ્રાવરને પૂછતા નથી કે તારું લાઈસન્સ બતાવ. ડ્રાવઈંગનો તારો અનુભવ કેટલો? આપણે ટેકસીમાં બેસી જઈએ છીએ.એક ટેક્સી ડ્રાવર પર ભરોસો રાખી એ છીએ તો જે આખી સૃષ્ટીની નૌકાને હંકારે છે એના પર ભરોસો કેમ મૂકી નથી શકતા? સુન્દરમે એક કાવ્ય કર્યું છે: એનો ભાવાર્થ કંઈ આવો છે. દેખાતું ના હોય એટલે નથી એમતો કેમ કહેવાય? રણની રેતીએ દરિયો જોયો નથી અને દરિયા એ રણને જોયું નથી અને છતાં એ નથી એમ તો કેમ કહેવાય? આપણે નથી જોતાં એ સૃષ્ટીની મર્યાદા નથી પણ દ્રષ્ટીની મર્યાદા છે.

           જગતના ઉત્તમ ચિંતકોએ ઈશ્વર વિશે ના જાત જાતનાં વિધાનો કર્યા છે તેના પર પણ નજર ફેરવીએ અને ઠેરાવવા જેવી લાગે તેવી ઠેરવીએ. જે આપણને માફ કરે છે તે ઈશ્વર છે અને  એ જ એનું કર્મ છે. માણસનું ઉત્તમ કાર્ય એ ઈશ્વરનું કાવ્ય છે. મારા કરતાં જે સવિશેષ સબળ છે અને જે મને જકડી રાખે છે એ કદાચ ઈશ્વર છે. ઉમાશંકરે ઈશ્વરનું એક સ્વરૂપ આ રીતે વર્ણવ્યું છે.’સંધ્યાના રંગથી એ વૃક્ષના થડ રંગતો હતો.’ ઈશ્વર સમદ્ર્ષ્ટા છે. ભલભલો વીર નાયક હોય કે ડાળ પરથી પડતી ચકલી હોય ઈશ્વરને તો બન્ને સરખા.ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે બંદૂકના ધડાકા પછી પણ વૃક્ષ પર પંખીઓ ટહુકતાંજ હતાં. એક વર્ગ એવું માને છે  કે ઈશ્વરનો જન્મ આપણાં ભયમાંથી થયો છે. ભયમાંથી અભય તરફ લઈ જાય છે એજ ઈશ્વર.સાચા સંતો છે ને કાચા સંતો છે. કાચા સંતો ઈશ્વરનું લિલામ કરે છે. આપણું અસ્તિત્વ પણ ઈશ્વરનો જ આવિષ્કાર છે. ઈશ્વર આપણી બહાર નથી ભીતર છે. પણ આપણે જોતા નથી. હેનરી થૉરોને કોઈકે પૂછ્યું કે તમારી અને ઈશ્વરની વચ્ચે સલાહ સંપ થઈ ગયો? ત્યારે થૉરો એ  જવાબ  આપ્યો: અમારા વચ્ચે ઝગડો જ ક્યાં હતો?એમ પણ કહેવાય છે કે શૂન્ય અને અનંત વચ્ચેનું કેન્દ્ર ઈશ્વર છે. સૃષ્ટીનો ખુલાસો આપનાર જો કોઈ એક શબ્દ હોય તો એ “ઈશ્વર”છે. એક સાધકે એમ પણ લખ્યું છે કે ઈશ્વરને સમજવો સહેલો છે પણ સમજાવવો અઘરો છે. સાત્રે એની લાક્ષણિક રીતે કહ્યું કે ઈશ્વર સાથે મારો જાહેર સંબંધ છે અને હું એની સાથે ખાનગી સંબંધ રાખવામાં માનતો નથી. સૃષ્ટીનું જે સનાતન સંગીત સંભળાય છે એના સ્વરમાં ઈશ્વર જ છે.
-વોલ્તેર

ઓગસ્ટ 27, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: