"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગણેશ ચતુર્થી, મહત્વ અને વ્રતકથા

ganesh

ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. આ વર્ષે ૧૫ સપ્ટેમ્બરે આ પર્વ આવે છે. આ દિવસે વ્રત રાખીને ગણેશજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. તેમને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ વ્રત કરવાથી દરેક સંકટ દૂર થાય છે. આ વ્રત સ્ત્રી, પુરુષ, વિધાર્થી દરેક માટે લાભદાયી છે.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જયારે શિવે સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે તેને જીવતો કરો. ભગવાન શંકર દ્વિધામાં પડી ગયા. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બરચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

courtesy”Diwyabhaskar

ઓગસ્ટ 23, 2009 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. ganeshpati bapa moriya gina ladu choriya …….
    jay ganesh…

    ટિપ્પણી by rakesh | સપ્ટેમ્બર 10, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: