સંવત્સરી મહા પર્વ-મિચ્છામી દુક્ક્ડમ..
સૌ જૈનમિત્રોને ફૂલવાડી તરફથી..મિચ્છામી દુક્ક્ડમ..
“ક્ષમા” આપવી માનવજાત માટે શ્રેષ્ઠ ગુણ ગણવામાં આવે છે..
ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે. આજે (રવિવારે) દેરાવાસી જૈનો જ્યારે સોમવારે સ્થાનકવાસી જૈનો આ સવંત્સરી પર્વ ઉજવશે. દેરાસરો-ઉપાશ્રયોમાં સવંત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે. પ્રતિક્રમણ બાદ જૈનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ કહી એકમેકની ક્ષમા ચાહશે.
ગણેશ ચતુર્થી, મહત્વ અને વ્રતકથા
ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. આ વર્ષે ૧૫ સપ્ટેમ્બરે આ પર્વ આવે છે. આ દિવસે વ્રત રાખીને ગણેશજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. તેમને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ વ્રત કરવાથી દરેક સંકટ દૂર થાય છે. આ વ્રત સ્ત્રી, પુરુષ, વિધાર્થી દરેક માટે લાભદાયી છે.
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.
જયારે શિવે સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે તેને જીવતો કરો. ભગવાન શંકર દ્વિધામાં પડી ગયા. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બરચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.
આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
courtesy”Diwyabhaskar