"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લગ્ન..

 indian-wedding-invitation-image
..તો વાતો    પ્રેમની તો     પ્રેમની      વાતો વ્હેમની તે
તે આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબુતર ઊડી ગયું.

લગ્નમાં મહિમા લગનીનો હોય છે. લગની વિનાનાં લગ્નમાં બે શરીર મળે છે, જાણે કે બે વાયરા હોય એમ. આપણે ત્યાં કંકોતરીમાં”હસ્તમેળાપ” છપાય છે. હ્રદય મેળાપનું શું? કંકોત્રરીમાં એવું  પણ છપાય છે કે”અમારી પુત્રી નલિની(બી.કોમ)નાં લગ્ન(બી.એસસી)સાથે નિરધાર્યા છે. ‘જાણે કે બી.કોમાના લગ્ન  બી.એસસી. સાથે થતાં હોય.લગ્નનો પ્રાસ  મગ્ન સાથે મળવાને બદલે ભગ્ન સાથે વિશેષ મળે છે. મધુરજનીનો ક્ષણજીવી સમય પુરો થયા પછી જાવન શરૂ થાય છે.સ્ત્રીપુરૂષના સહજીવનમાં શયનખંડમાં કેવળ વસ્ત્રો નથી ઉતારવાનાં પણ મનના વાઘા ઉતારવાના હોય છે. અહીં આરસનો સિંહ એ પુરુષ અને રૂનું કબૂતર એ સ્ત્રી એવાં સમીકરણો આગળ અટકી ન જવાય. ખરેખર તો અરસપરસની કહેવાતી લાગણી રૂના કબૂતર જેવી હોય છે. જે આરસના સિંહની ત્રાડથી નક્કર જીવનની વાસ્ત્વિકતાથી ઊડી જાય છે.

          સાચા પ્રેમમાં વહેમ હોતો નથી. શયનખંડની દીવાલો અરીસો થવાને બદલે ચોકીદારની જેમ ચોકીપહેરો ભરતી હોય છે. સોમાંથી અઠ્ઠાણું દંપતીઓ સાથે જીવવું પડે એટલે સાથે જીવે છે.કેટલાંક લગ્ન ટકી રહ્યાં છે તે કદાચ બાળકોને કારણે. મારો ભાઈ અરવિંદ ઘણી વાર મજાકમાં કહે છે કે શયનખંડની બહાર એક ન દેખાય કે ન વંચાય એવું કે પાટિયું લટકતું હોય છે અને એના પર હોય છે,”ઝેરતો પીધા છે જાણી જાણી’. બેડરૂમને બાથરૂમ એટેચ્ડ હોય છે, પણ બે વ્યક્તિઓ  એક્મેકને એટેચ્ડ નથી હોતી. વિરલ અપવાદ નહીં હોય એમ નહીં. એક અંગ્રેજ કવિએ લખ્યું છે,’મેરેજ ઈઝ એ મિરેજ’. લગ્ન એ ઝાંઝવા છે. સારુ ઘર હોય, ઉત્તમ ક્રોકારી હોય છે, પણ વાતો અને વર્તન અધમ હોય છે. લગ્નનું સુખ જેટલું લગ્નના આલબમમાં દેખાય છે, એટલું જીવનમાં દેખાતું નથી. જગદીશ જોષીની જ આ કાવ્યની બીજી બે પંક્તિ ટાંકું છું:”લગ્નજીવનનાં વીતી ગયેલા વરસો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.”

        કવિ ઑડને જેક અને જિલ કહેવાતા પ્રેમીઓની ઠઠ્ઠા ઉડાડી છે” મોટી મોટી કરેલી પ્રેમની વાતોને સમયનો શયતાન ખોંખરો ખાઈને વિકૃત બનાવી દે છે.”

સપ્તપદીના અગ્નિનો ધુમાડો શયનખંડમાં ધૂમરાય છે. સપ્તપદી  તપ્તપદી થાય છે અને શયનખંડ દયનખંડ.

-જગદીશ  જોષી
સૌજન્ય: “ઝલક”-સુરેશ દલાલ

ઓગસ્ટ 20, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: