રિવોલ્વર રક્ષા કરશે?
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને એક બુધ્ધિશાળી અને વફાદાર ગોરા સાથીદાર મળી ગયા. એનું નામ હતું કેલનબેંક.
એકવાર ગાંધીજી ખીટી પરથી પોતાનો કોટ લેવા ગયા ત્યાં પાસે લટકતા કેલનબેંકના કોટના ગજવામાં એમને રિવોલ્વર દેખાઈ. એમણે એ બહાર કાઢી અને પૂછ્યું: “રિવોલ્વર તમે શા માટે રાખો છો?”
કેલનબેંક:”અમસ્તી જ”.
ગાંધીજીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો: રસ્કિન-તોલ્સ્ત્યનો તમારી ઉપર ખૂબ પ્રભાવ છે. તેઓએ એવું લખ્યું છે ખરું કે વગર કારણે રિવોલ્વર ખિસ્સામાં રાખવી?”
કેલનબેંક વિનોદ સમજ્યા, શરમાયા. દબાતે અવાજે એમણે કબૂલ કર્યું.”જાણવા મળ્યું છે કે કેટલાક ગુંડાઓ તમારી પાછળ તમને મારવા માટે ફરી રહ્યાં છે.”
ગાંધીજી કહે: ” એટલે તમે આ રિવોલ્વરથી મારી રક્ષા કરવાના એમને ?”
કેલનબેંકે: ” જી, હા એટલેજ હું તમારી પાછળ પાછળ હંમેશા ફરું છું.”
ગાંધીજી હસી પડ્યા.: “વાહ રે! ત્યારે તો હું હવે નિશ્ચિત બન્યો. મારું રક્ષણ કરનારે(પ્રભુએ) તમને જ જવાબદારી સોંપી છે, એમને? અથવા તો તમે પોતે આપમેળે એ સ્વીકારી છે. એટલે તમે જીવતા હો ત્યાં સુધી મારે મારી સલામતી જ સમજવાની ને? વાહ, ભાઈ, તમે તો પરમેશ્વરનો અધિકાર પણ ઝૂંટવવાની ઠીક હિંમત કરી!”
કેલનબેંક સમજ્યા પોતે કોણ રક્ષણ કરવાવાળા? બાપુને રોમેરોમે એમણે એ શ્રદ્ધા જોઈ કે રક્ષણ કરવાવાળો તો સર્વશક્તિમાન મારો રામ બેઠો છે. એની ઈચ્છા હશે ત્યાં સુધી આ શરીરને કોઈ કશું કરી નહી શકે. અને એનો હુકમ છૂટશે ત્યારે આ શરીરને કોઈ રક્ષકો કે દાકતરો બચાવી શકે.
સૌજન્ય: ગાંધી-ગંગા(ભાગ-૨)
khub sundar
“Gandhiji ni vishe vanchi ne dil anand thi bhari aviyu, temani vato ketali sachot chhe!
bahu saras.. tamari site khulata bahu j var lage chhe…. I dont know where the problem is ?
“Gandhiji ni vishe vanchi ne dil anand thi bhari aviyu, temani vato ketali sachot chhe!
Dikri no janama to bahu Saras Ganay chhe Karan ke dikari ne LAXAMAI – AVATAR MANva ma ave chhe. I DO BELIEVE IT.
Bahu saras, dil ma pyar no jopsh chhe / umrako avyo chhe.
ghanu saras.”