આજના સુવિચારોની મહેંક..
એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે, નાની નાની તકોને ઝડપી લેવાથી આપણે મુકામે ઝ્ટ પહોંચીએ છીએ.
તકની તકલીફ એજ છે કે એ આવે છે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે.
તક કદી એળે જતી નથી. તમે જે ગુમાવી હોય તેને બીજો જણ ઝ્ડપી લે છે.
દંભ એ પાપે પુણ્યને આપેલી અંજલિ છે.
દુનિયાની મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીય ઊંચા અવતા નથી.
કોઈ માણસને તમારો દુશ્મન બનાવવો હોય તો એને એટલું કહેજો કે: ‘તારી વાત ખોટી છે’. આ તરકીબ હંમેશા કામ આપે છે.
દુશ્મનનો તે નથી જેઓ આપણને ધિક્કારે છે, પણ તેઓ કે જેમને આપણે ધિક્કારીએ છીએ.
હાજરીમાં જે તમારાથી ડરે, એ ગેરહાજરીમાં તમને ધિક્કારે છે.
નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી; ગબડ્યા પછી ત્યાં પડ્યા રહેવામાં છે.
સમસ્ત વિશ્વને ચાહવું તેમાં કોઈ મોટી વાત નથી. સવાલ તો પડોશમાં જ રહેતા પેલા આભાગિયાનો છે.
સૌજન્ય: ધૂપસળી