"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

યાદગાર શે’ર-સૈફ પાલનપૂરી

મસ્ત યૌવન  પછી આવ્યું  આ  ઘડપણ  એવું,
જાણે   કીધેલાં    ગુનાહોની   સજા  રહી ગઈ.

જિંદગીથી   છે    જીવિત, મૃત્યુનો      ભય,
મોતમાં    ખુદ     મોતનું    અવસાન    છે.

કોઈ    વેરાનમાં જન્મેલો  તમાશો  થઈ  જા,
તું જ પોતે તારા આંસુનો   ખુલાસો થઈ  જા.

સમજદારીની કોઈ વાત સ્વીકારી નથી શકતો,
કહે છે કોણ? પાગલને કોઈ બંધન નથી હોતા.

શે’ર      મારા        સલામ છે ,  પ્યારા,
આ   તો તરસ્યાનાં   જામ    છે,   પ્યારા.

ઓ   જવાની! એ બધાં  તારા હતા તોફાનો,
જીવ  લેનારી    હવે      પરીક્ષા  ક્યાં    છે?

મિત્રો ને સ્નેહીઓ તો ઊંચકશે બસએક વખત,
ઊંચક્યો છે  મેં તો   મારો જનાજો અનેકવાર.

કોણે  ઈશ્વરના  હૃદય પર ઠેસ પહોંચાડી  હશે,
કોણ સર્જન માટે  કારણ પ્રેરણાનું  થઈ  ગયું?

ઈન્સાનછું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે,
સૂરજ ન પડે ઝાંખો, માટે અંધકાર  બનીને રહેવું છે.

જૂન 15, 2009 - Posted by | શાયરી

3 ટિપ્પણીઓ »

  1. good collection

    Sapana

    ટિપ્પણી by sapana | જૂન 15, 2009

  2. bahu sunder

    ટિપ્પણી by bharat suchak | જૂન 16, 2009

  3. મજાનું સંકલન…

    ટિપ્પણી by વિવેક ટેલર | જૂન 16, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: