‘તે ચૂકવીને આવીશ’
દેવ હાજર ના રહી શકે ઘર ઘર મહીં,
મા સ્વરૂપે જન્મ લે જીવતર મહીં.
-દેવેન્દ્ર ભટ્ટ્
***********************************************************
મારા પિતાજી ગુજરી ગયા, તે વખતે મારાં બાને મેં કહ્યું,”હવે તમે આંબલા આવો;અહીં એકલા રહેવું નહીં ફાવે.”
બા કહેઃ”હજુ અહીં રહેવું પડે તેમ છે.તારા બાપુજી દાણાવાળાની દુકાનેથી જે કાંઇ લાવતા,તેમાં ૭૦-૮૦ રૂપિયા ચૂકવીને હું આવીશ.”
મેં કહ્યું,”એ કઇ મોટી વાત છે? હું સાંજે એની દુકાને જઇને રકમ ભરી આપીશ.”
મારી બા કહે,” એમ ન થાય, એ પૈસા તો મારે જ ભરવા જોઇએ; એ તો હું વેત કરીશ.”
“તું મારા પૈસા ન લે?”
“લઉં જ ને! પણ આ પૈસા મરનારે ભર્યા હતા; હવે એ નથી,એટલે હું ભરી આપીશ.”
હું જાણતો હતો કે ઘરમાં કાંઇ નથી.મારા બાપુજીને ૨૦-૨૨ રૂપિયા પેન્શન મળતું.એમાં પોતાનું ચલાવતા ને દીકરીઓ-ભાણેજડાંને ટાણે ટચકે સાચવતા.
મેં કહ્યું,” બા તું ક્યાંથી ભરીશ? મરનારાના વારસ તરીકે તેનું આ બધું દેણું હું ભરી આપીશ.”
બા, બોલ્યાં,”તું વારસ, ને ભરે તે વાત સાચી. પણ આ તો હું જ ભરીશ. તું માથાઝીક ન કર.”
તે ન જ માન્યાં.ત્રણ મહિને દેણું ભર્યું. કેવી રીતે કમાયા હશે? દળણાં દળ્યા હશે? બાંધણી બાંધી હશે? ભગવાન જાણે! જાત કમાણીથી
દેણું ભર્યું; પછી જ આંબલા આવ્યાં.
-મનુભાઇ પંચોળી
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા