"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સચવાતી નથી

(કવિશ્રી  કિરણ ચૌહાણે , એક કવિ મિત્રની યાદ રૂપે  ડિસેમ્બર,૧૧,૨૦૦૭ માં મારી સુરતની મુલાકાત વખતે “સ્મરણોત્સવ”ની અમુલ્ય ભેટ આપી, અવાર નવાર એજ ગઝલ સંગ્રહ વારંવાર વાંચુ છું, આનંદ અનુભવુ છું..અવાર-નવાર એમની યાદગારો ગઝલો આ બ્લોગમાં મૂકવા મન લલચાય  છે.)

બે  જ  પળની  જિંદગી  છે  તો  ય   જીવાતી   નથી,
એક  પળ  ખોવાઈ  ગઈ  છે, બીજી  સચવાતી નથી.

ઓ  શિકારી! પાંખ   લીધી, આંખ પણ લઈ લે હવે,
આભને   જોયા   પછીની    પીડ   સ્હેવાતી    નથી.

ઈશ્વરે  જાણે   તમસ  પર    શ્યામ  અક્ષરથી  લખી,
વાત   મારા   ભવિની  મુજને     જ વંચાતી  નથી.

હા, કદી   બિલકુલ  અનાયાસે   ગઝલ  સર્જાય  છે,
સો   પ્રયત્નો  બાદ  પણ    ક્યારેક   સર્જાતી   નથી.

તું    હવે   તારી જ  ગઝલો  ભૂલવા  લાગ્યો ‘કિરણ’
આટલી   મૂડી   છે તારી, એ ય સચવાતી   નથી?!

સપ્ટેમ્બર 10, 2008 Posted by | ગમતી ગઝલ | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: