"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શૈફ પાલનપુરીના સુંદર ચૂંટેલા શે’ર..

જિંદગીએ     હસીને     કહ્યું        મોતને,
આપણી   વચ્ચે   કેવી રમત થઈ  ગઈ !

એક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવને જોઈ, થયું,
પ્રશ્નો   તો   નિરાતે સૂતા છે, પ્રેશ્નોનાં  ખૂલાસા    જાગે છે.

મોતનો   આઘાત તો    જીરવી  શકાશે  એક   દિન,
જિંદગીનો    ઘાવ  જે     ઝીલે છે ,  શક્તિમાન  છે.

પ્યાસ  સાચી  હોય તો મૃગજળને શરમાવું  પડે,
હોય   જો પાનાર તો  ખુદ ઝાંઝવા  છલકાય છે.

જીવી   રહ્યો   છું   કિન્તુ   જીવન  લાગતું    નથી,
એવું    મરી     ગયું    છે   કે  મન  લાગતું નથી.

જરા  મૂંઝાઈને  જો    બંધ   બારીઓ   ઉઘાડું   છું,
તમારું    નામ  લઈને    અંદર   આવે  છે  તડકો.

જગતની  ભીની   ઝુલ્ફોનાં   રહસ્યો  એ  જ  જાણે,
વિતી છે  રાત કઈ રીતે, એ વર્તી  જાય છે તડકો.

જોતાંની  સાથે    લોક    તરત  ઓળખી    ગયા,
મુજથી  વધુ     સફળ  મારી  દિવાનગી     હતી.

મે 12, 2008 - Posted by | શાયરી

2 ટિપ્પણીઓ »

  1. મોતનો આઘાત તો જીરવી શકાશે એક દિન,
    જિંદગીનો ઘાવ જે ઝીલે છે , શક્તિમાન છે.
    ——————

    મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
    જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

    ટિપ્પણી by સુરેશ જાની | મે 12, 2008

  2. સુંદર પસંદગી
    તેમા આ-
    જગતની ભીની ઝુલ્ફોનાં રહસ્યો એ જ જાણે,
    વિતી છે રાત કઈ રીતે, એ વર્તી જાય છે તડકો.
    જોતાંની સાથે લોક તરત ઓળખી ગયા,
    મુજથી વધુ સફળ મારી દિવાનગી હતી.
    વાહ્

    ટિપ્પણી by pragnaju | મે 13, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: