મન-ભાવક શે’ર
તું મરે કે જીવે આ દિનિયાને શું
એ ચલાવી લે છે પયગંબર વગર.. દિપક બારડોલીકર
ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં..મુસાફીર પાલનપુરી
જેટલામી આ ચિતા ખડખાય છે,
એટલામાં ગર્ભનો અધ્યાય છે…હરેશ’તથાગત’
તું કહે છે , કાશીની ક્ષણ છે તો કરવત મૂકશે
હું કહુછું, ફૂલ પર નખથી જ આંકો પડશે..હરીશ મીનાશ્રુ
ગળામાં ગાળિયો નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશમાં ચૂમવાની ક્ષણો છે…વીરુ પુરોહિત
શબ્દોય છે તો જોડ તું બેચાર કથા ઓર
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર…રમેશ પારેખ
આથી વધારે બીજો ભરમ શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ
ટુકડો આ તડકા તણો ચાવી જુવો,
જીભ પર સૂરજને મમળાવી જુઓ..પંથી પાલનપુરી