વાચન કે વ્યસન ?
ગ્રંથોના શ્રવણ પઠનની સાથે સાથે એનું ચિંતન અને મનન પણા થવું જોઈએ;
અને ચિંતન પછી જે વસ્તું યોગ્ય લાગે તેનું આચરણ થવું જોઈએ.
ભારતનો ઈતિહાસ વાંચીને આપણે એ જાણી લઈ એ કે ગુલામ કેમ બન્યા;
તે પછી પણ સ્વતંત્રતાના ઋક્ષણની વૃર્તત આપણામાં ન આવે,
તો ઈતિહાસના વાચનથી આપણે શું પ્રાપ્ત કર્યુ?
વાચનથી આપણે માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય,
તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃધ્ધી થતી ન હોય અને
તે પ્રમાણે આચરણ ન થતું હોય તો
એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.
ભારતમાં રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીરથી ગાંધીજી સુધીના મહાપુરૂષોની
એક પરંપરા ચાલી આવે છે. એમનો ઉપદેશ ગ્રંથો દ્વારા ઉપલબ્ધછે છતાં
ભારતમાં સામાન્ય નાગરિકોમાં પ્રમાણિકતાની અણુપ જ છે એનું કારણા એ છે
કે આપણે સદગ્રંથોનો મહિમાં ગાઈએ છીએ, પરંતુ તેવું આચરણ કરતાં નથી.
આપણે સંતોનાં ગુણાગાન કરીએ છીએ,
એમની ભક્તિ કરીએ છીએ, પર્ંતું એમના ગુણો જીવનમાં ઉતારતા નથી
-કેદારનાથ
Very very true. We are blind. We as a people do not think on our own. We do not understand the core . We just see the FORM.
વાચન કે વ્યસન બહુ જ સરસ છે….મોટે ભાગે વ્યસન જ હોય છે…મઝા આવી ગઇ.
That is why it is said
” MANBHAR VAACHAN KARTA TOLABHAR AACHARAN SARU”
મઝા આવી
યાદ આવી-
‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?
વ્યસન એટલે ખરાબ તેવી માન્યતા
ત્યારે આવા બે વ્યસન તો જરુરી-
વિદ્યાભ્યસનમ વ્યસનમ
યદ્વા
હરિપાદ સેવનમ વ્યસનમ્