"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાચન કે વ્યસન ?

ગ્રંથોના શ્રવણ પઠનની સાથે સાથે એનું ચિંતન અને મનન પણા થવું જોઈએ;

અને ચિંતન પછી જે વસ્તું યોગ્ય લાગે તેનું આચરણ થવું જોઈએ.

ભારતનો ઈતિહાસ વાંચીને આપણે એ જાણી લઈ એ કે ગુલામ કેમ બન્યા;

તે પછી પણ સ્વતંત્રતાના ઋક્ષણની  વૃર્તત આપણામાં ન આવે,

તો ઈતિહાસના વાચનથી આપણે શું પ્રાપ્ત કર્યુ?

વાચનથી આપણે માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય,

 તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃધ્ધી થતી ન હોય અને

તે પ્રમાણે આચરણ ન થતું હોય તો

એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.

            ભારતમાં  રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીરથી ગાંધીજી સુધીના મહાપુરૂષોની

એક પરંપરા ચાલી  આવે છે. એમનો ઉપદેશ ગ્રંથો દ્વારા ઉપલબ્ધછે છતાં

 ભારતમાં સામાન્ય નાગરિકોમાં પ્રમાણિકતાની અણુપ જ છે એનું કારણા એ છે

કે આપણે સદગ્રંથોનો મહિમાં ગાઈએ છીએ, પરંતુ તેવું આચરણ કરતાં નથી.

આપણે સંતોનાં ગુણાગાન કરીએ છીએ,

એમની ભક્તિ કરીએ છીએ, પર્ંતું એમના ગુણો જીવનમાં ઉતારતા નથી
-કેદારનાથ

એપ્રિલ 17, 2008 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: