થોડીક બૌધિક વાતો!!
ભૂલતા શીખો. …..
જીવનમાં અઘરામાં અઘરી વાત હોય તો એ છે” બસ ભૂલી જવું” કેટ્લી વાતો,રાતો, મુલાકાતો ભૂલી શકાતી નથી અને ભૂલી જવા માટે હૈયું વ્રજનું જોઈએ.કોમળ હૈયું કશું જ ભૂલવા તૈયાર જ નથી.
જિંદગીમાં કાયમ સરવાળા જ કરવાના નથી કરવાના, બાદબાકી માટે પણ તૈયાર રહેવું પડે…જીવનમાં બાદબાકી પણ કરવી પડે.
બસ ભૂલી જાવ બસ બીજાની ભૂલો ભૂલી જાવ, વિસરી જાવ ..માફ કરતા શીખી જાવ.ભૂતકાળ યાદ કરી ખોટા દુઃખી ન થાવ..શું લઈને આવ્યાં હતાં? શું લઈ ને જવાના? કોઈને કડવું કહેલું વેણ કાયમ યાદ આવે અને ડંખે..એ જિંદગી પાયમાલ કરી નાંખે એ પહેલા બસ એને ભૂલી જઈ એ!દુશ્મનાવટ કરી શું ફાયદો! જિંદગી શોકમય બનાવવામાં શું ફાયદો? જ્યાં શોક છે ત્યાં દુઃખ છે.
ભૂલવાની કળા શીખો! પણ એક પ્રકારની આવડત છે.સારું યાદ રાખો.. ડ્ંખને ભૂલી જાવ..તો હળવા ફૂલ જેવા થઈ જશો..અને એ જિંદગી જીવવાની જે મજા છે તે મજા-મસ્તીમાં જીવો. ફરિયાદી વગરની જિંદગી જીવવાની મજા માણો…
**************************************************************************************
પરોપકારી જીવન જીવતા માનવીઓ ઘણી વિપત્તિઓ થી દૂર રહેતાં હોય છે..હંમેશા શાંતીનો આસ્વાદ માણતા હોય છે અને પ્રસન્નતા અનુભવતા હોય છે.
શું લઈને આવ્યાં હતાં?
શું લઈ ને જવાના?
એ સીક્દર હતો કે ખાલી હાથે ગયો
અમે જશું ત્યારે તારી યાદ સાથે જશું
ફરિયાદી વગરની જિંદગી …?
શું કરું ફરીયાદ હું?
ફરીયાદમાં જ ફરી યાદછે!
ફરી ફરીને યાદ આવે
એ જ મારી ફરીયાદ છે!
‘ભૂલવાની કળા શીખો!’
એક સંતે ઉપદેશ આપ્યો…
ધ્યાન કરો ત્યારે વાંદરાને ભૂલી જાવ-
પછી તો ઉલટો ધ્યાનમાં વાંદરો આવતો જ!!