સુંદર શે’ર
સુરાલયમાં જાશું જરા વાત કરીશું,
અમસ્તી શરાબી મુલાકત કરીશું.
-શેખાદમ આબુવાલા
દુઃખ વગર,દર્દ વગર,દુઃખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
– અમૃત ઘાયલ
પીઠમાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જીદમાં રોજ જા ઉં તો કોણ આવકાર દે!
આ નાના દર્દ તો થાતાં નથી સહન,
દે, એક મહાન દર્દ અને પારવાર દે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું , મને કોણ મનાવે?
-મરીઝ