"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

-નાઝિર દેખૈયા

73.jpg 

ખૂબ   ક્ડવો    જિંદગીનો   જામ   છે;
ગટગટાવે   જાઉં  છું      આરામ  છે.

નાશમાંથી    થાય   છે  સર્જન  નવું ;
મોત   એ       જીવનનું    નામ   છે.

તું    નહીં  માણી  શકે  દિલનું   દરદ;
તારે  ક્યાં  આરંભ  કે    પરિણામ   છે!

દ્વાર  તારા    હું  તજીને   જાઉં   ક્યાં ?
મારે  મન તો એ  જ   તીરથ  ધામ છે.

આછું  મલકી લઈ  ગયા  દિલના કરાર;
કેવું   એનું  સિધું     સાદું  કામ     છે!

છેહ   તો      તારાથી   દેવાશે    નહીં;
ઠારનારા ! એ     ન  તારું   કામ   છે.

ખાકને ‘નાઝિર’ ન    તરછોડો    કદી;
જિંદગીનો     એ   જ  તો    અંજામ છે.

ફેબ્રુવારી 4, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: