સિધ્ધા-સાદા માનવ !
સૂરજ જેમ રોજ રોજ બળ્યા કરવું છે મારે,
થોડું તેજ દઈ ઠર્યા કરવું છે મારે.
એકજ કવચ મળ્યું છે વરદાનમાં મને,
કોઈ ભલી કુંતામાત ને દાનમાં દેવું છે મારે.
મૃત્યુંનો ડર કદી પણ રહ્યો નથી મને,
મૃત્યુંલોકમાં હવે થોડી જગા કરવી છે મારે.
સ્વર્ગ મળશે કે પછી નર્કની ચિંતા શીદ મને,
એ સિધ્ધા-સાદા માનવ બની જીવવું મારે.
એક ગઝલ- રાવલ પરિમલા કે.
આવે ભલે સંકટ જીવનની હરપળે,
પ્રેમથી પંપાળવાના હોય છે.
ખીલતાં ખુશબુ ભરેલા ફૂલડાં,
કળી કાજે સમર્પિત થાય છે.
આ જગતને ડરનથી મોજા સુનામી તણો,
અંચળો અમરતા તણો પહેરી ફર્યા કરે છે.
રોગ શત્રુ પણ અચાનક આવશે,
આનંદથી સ્વીકારવાના હોય છે.
અળગા થયા મૃત્યુ પછી સંસારથી,
ન-નામી નામ તેને અપાય છે.
ઉઠે પરપોટા ઘણાં સંસારના સાગરમહીં,
નિશ્રિત બધા તે ફૂટવાના હોય છે.