મને ગમતા શેર
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
-મરીઝ
મારી હસ્તી મારી પાછ્ળ એ રીતે વીસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.-
ઓજસ પાલનપુરી
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય,
ને એજ હોય પગની તળે એમ પણ બને.
-મનોજ ખંડેરીયા
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
-હેમેન શાહ.
અસર એવી નથી જોઈ મેં વર્ષોની ઈબાદતમાં,
ફકત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.
-મરીઝ
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?
-અમૃત ઘાયલ
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઈનસાન નીકળ્યા.
-અમૃત ઘાયલ