"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શા માટે ?-મધુકર રાંદેરિયા

1413.jpg 

લાગે  છે  અવાચક    થૈ    ગઈ    છે   કલબલતી   કાબર બહાર બધે ,
ન્હૈ   તો અહીં  એકી     સાથે  આ   શાયરના    અવાજો      શા માટે ?

આકાશી   વાદળાને    નામે    આ     વાત    તમોને   કહી    દઉં  છું,
કાં   વરસી    લો, કાં    વીખરાઓ, આ    અમથા   ગાજો  શા માટે ?

મારો    તો     ઈરાદો     છે      ખાલી     કવિતામાં   કામણ પૂરવાનો,
ત્યાં     રૂપની   આડે    ઘૂંઘટના    બેઢંગ       રિવાજો       શા માટે ?

આ    જલતી     શમાને     ઠારો ના,  આ     પરવાનાને   વારો   ના,
એ પ્રેમની    પાગલ     દુનિયામાં      વહેવારું     રિવાજો     શા માટે ?

કોઈ     કહેશો     કે  મયખાનાની    શી      હાલત   છે     સાચેસાચી ?
‘પી’ ‘પી’ કહેનારા  બોલે છે ,  આ ‘ પાજો’ ‘પાજો’  શા માટે ?

દફનાઈ   જવાદો       ગૌરવથી  એ     જ્યાં   જનમે    છે  ત્યાં  ને ત્યાં,
આસું    ને     નિસાસાની      કાંધે    મહોબતનો    જનાજો   શા માટે ?

નમન-નમનમાં      હોય      છે  કૈ       વધતો-ઓછો      ફેર     નકી,
ન્હૈં    તો   આ નમેલી  નજરે    અમને   આપ     નવાજો      શા માટે ?

આ     દિલને  તમારે   માટૅ       તો      બચપણાથી   અનામત રાખ્યું છે,
આ     સહેજે      ઉંમરમાં  આવ્યાં    કે      રોજ       તકાજો    શા માટે ?

આ  વાત    નથી        છાની-છપની ,  ચર્ચાય    છે  જાહેરમાં   સઘળે,
શરમાળ    કુસુમને   કહી    દો    કે – ‘મધુકર’  નો મલાજો    શા માટે ?

-મધુકર  રાંદેરિયા
 

ઓગસ્ટ 6, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: