મુજથી રોવાયું નહીં-બરકત વીરાણી ‘બેફામ’
આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કરતાં નવા નવા પ્રયોગો અને તુક્કા લગાડવા જતા સિંહ જો કાંગારૂ બની જાયતો તે કેવો લાગે?
******************************************************************
સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં.
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેજાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.
આપનો પરદો વિરહની રાતના જેવોજ છે,
આપને જોતો રહ્યો ને કાંઈ દેખાયું નહીં.
થઈ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઈ પર.
મોત આવે ત્યાં સુધી મારાથી જિવાયું નહીં.
જેને દર્શાવ્યું મેં, એણે ફેરવી લીધી નજર,
મારી એકલતાનું દુઃખ કોઈથી જોવાયું નહીં.
સાથ મારા શત્રુનો લેવો પડ્યો એ કાર્યમાં,
મારે હાથે તો જીવન મારું મિટાયું નહીં.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મરવા પછી,
સૌ રડ્યા ‘બેફામ’ જ્યારે મુજથી રોવાયું નહીં.
-બરકત વીરાણી ‘બેફામ’