ઘરોમાં પત્નીનું જ રાજ હોય છે
વોશિંગ્ટન, તા.: ૦૭
આખરી બને છે, એનો જ હુકમ ચાલતો હોય છે. આયોવા સ્ટેટતાજેરમાં કરાયેલ એક અભ્યાસ પ્રમાણે દરેક ઘરમાં પત્નીનું જ ચાલતું હોય છે. ઘરમાં જ્યારે પણ કલેશ થાય તો એનો જ બોલ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસ અનુસાર પત્નીઓ પતિ ઉપર વાણી અને વર્તન બંને રીતે વધુ જોરાવર હોય છે અને હુકમ ચલાવતી હોય છે. કોઈપણ વાતે વિવાદ થાય તો એનો અંત લાવવામાં આખરી શબ્દ પણ પત્નીનો જ હોય છે. ભલે ગમે તેણે શરૂઆત કરી હોય કે ગમ તેનો વાંક હોય. પત્નીઓ આગળ જતાં પતિ સાથેનો સબંધ કેવો બનશે તે અગાઉથી જાણી લે છે, આગોતરા પગલાં ભરીને સબંધો સચવાય તેવા પગલાં ભરવા લાગે છે, દરેક કામ બરાબર થાય તેની ચોકસાઈ રાખે છે અને પરિવારમાં બધા સુખી અને ખુશ રહે તેનો ખ્યાલ પણ રાખે છે. અભ્યાસ કરનાર નિષણાતોમાંના એક મનોવિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ વોગેલ કહે છે કે પતિ ગમે તેવો હોય પત્ની પોતાની રીતે હુકમ ચલાવતી થઈ જ જાય છે. તે પતિ કરતાં વધુ જવાબદારીઓ પણ ઉપાડતી હોય છે. આવું બદલાતા સમાજને કારણે થયું છે કે કેમ તેનો જવાબ હજી નિષ્ણાતો શોધી રહ્યા છે.
“સંદેશ”ના સૌજન્યથી
અભિપ્રાયઃ મારું વ્યક્તિગત રીતે માનવું છે કે આ લેખ સંશોધનને આધારે લખાયેલ છે.પત્નીનું કાયમ ચાલતું હોય છે એમાં સહમત થતાં પહેલાં અભિપ્રાય અને વ્યવાહરિતાની તપાસવી જરૂરી છે..અહીં માજી ને સ્વ.પ્રમૂખ રેગનની પત્ની નેન્સી રેગનનો ટી.વી પર ઈન્ટવ્યું હતો (જ્યારે રેગન પ્રેસિડેન્ટ હતાં)અને તેણી ને પૂછવામાં આવેલ કે પતિ-પત્નીના સંબંધો ફિફટી-ફિફટ હોય છે કે કેમ ? ત્યારે એમણે બહુંજ સૂંદર જવાબ આપેલ કે એ કાયમ શક્ય્ નથી કે પતિ-પત્ની વચ્ચે સંબંધ કાયમ ફિફટી ફિફટી હોય શકે! કોઈ વાર પતિ ૬૦% અને પત્ની ૪૦% તો કોઈવાર પત્ની ૭૦% તો પતિ ૩૦% ,પતિ-પત્નીના સંબંધમાં કોઈ કાયમી એકજ મેજરમેન્ટ આંકી ન શકાય!
મને હજુ મિત્રની પતિ-પત્નીની વાત યાદી આવી જાય છે. એ ભારત થી આવ્યાને એકાદ -બે વરસ થયાં હશે .હ્યુસ્ટ્નમાં સ્થાઈ થયાં અન અમારે એમને ત્યાં અવાર-નવાર જવાનું થતું.. મિત્ર પોતે રેફ્રી-જેટર પાસે ઉભા હોય ને તેની પત્નીને કહે ..”મને પાણી આપ!” આપણને જરૂર લાગે કે એક નાની વસ્તું પણ જાતે કરી ન શકે ! એક ત્રીપિકલ ઈન્ડીયન હસબન્ડ!( જોકે સમય પ્રમાણૅ હવે એ મિત્ર ઘણાં ચેઈન્જ થઈ ગયાં છે)
અને લેખમાં ઉલ્લેખ પણ થયો છે કે પતિ-પત્ની સંબંધો સચવાય તેના સાવચેતી અને ચોકસાઈ ના પગલા તેણી લેતી હોય છે.આ દેશમાં પણ ઘણી પત્નીઓ
હાઉસ-વાઈફ હોય છે અને કૌટુંબિક જવાબદારી પોતાની પર રાખે છે.અહીં પણ ઘણાં ઉત્તમ-કક્ષાના ફેમીલી છે અને તેમાં કોઈ જાતની હરિફાઈ જોવા નમળે કે કોનું વધારે ચાલે છે!
પતિ-પત્નીના સંબંધો સિક્કાની બે સાઈડ જેવા છે! અરસ-પરસની સમજૂતી સાથે ત્યાગની ભાવના!કોનું કેટલું ચાલે છે એના કરતાં એક-બીજા સાથ મળી કુટુંબની જવાબદારી કેટલી સુંદર રીતે નિભાવે એ મહત્વનું છે.
ચાલો દોસ્તો, આપણે નિરંજન ભગતે સ્ત્રી-પુરુષ વિષે લખેલ કાવ્ય માણીએ.
“તમે જે નથી..”
સ્ત્રીઃ આમ શું તમે મને જોઈ રહ્યા છો?
આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
આજે જ મને જૂઓ છો?કદી મને જોઈ નથી ?
જૂઓ, હું એની એજ છું, જે આજ લગી હતી.
આમ આજે શું મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો?
પુરુષઃ તમે એનાં એ જ છો એ માત્ર તમારો વહેમ છે,
તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે?
આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.