વેદ છે-નાઝિર
છે પ્રતિક પુરુષાર્થનું પ્રારબ્ધ પર પ્રસ્વેદ છે;
તોય વંચાયે વિધિના લેખ એનો ભેદ છે.
તું નહીં બોલે તો સઘળા પાપ તારા બોલશે,
બંધ મોઢું છો કરે પણ રોમે રોમ છેદ છે.
ઓ નિરાકારી! થજે સાકાર મારા સ્વપ્નમાં,
બંધ આંખે જોઈ લઉં બસ એટલી ઉમ્મીદ છે.
જો ઉઘાડું હાથતો ભાંગી જશે સઘળો ભરમ,
બંધ મુઠ્ઠીમાં જ મુજ અસ્તિત્વ કેરો ભેદ છે.
શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે,
આપની વાણીજ આ ‘નાઝિર’ ને મન વેદ છે.
-નાઝિર દેખૈયા
આપના બ્લોગનો આ નવો દેખાવ હવે વધુ ધ્યાનાકર્ષક લાગે છે… ખૂબ ખૂબ આભાર…. હળવાશમાં જે મજા છે તે વજનમાં ક્યાં? બોલ્ડ ટાઈપ તો કોઈ વાત પર વજન મૂકવું હોય ત્યારે જ સારા લાગે… મારાથી પ્રતિભાવ તો આપતા અપાઈ ગયો હતો, પણ આપ ખુલ્લા દિલે મારા અભિપ્રાયને મહત્વ આપશો એવું ધાર્યું નહોતું….આભાર !
Excellent thoughts for a poem. Congratulations Nazirbhai!
Dinesh O. Shah,Ph.D. Gainesville, FL, USA
જો ઉઘાડું હાથ તો ભાંગી જશે સઘળો ભરમ…આનાથી મને યાદ આવે છે કહેવત કે બંધ મુઠી લાખની…બહુ જ સરસ છે.
બહુ જ સરસ રચના . નાઝીર દેખૈયાની રચનાઓ મને બહુ જ ગમે છે.
પ્રસ્વેદ અને પુરુષાર્થની સામે પ્રારબ્ધને સરસ રીતે ભીડાવી દીધું છે.
મોં એક જ છે પણ છીદ્રો તો રોમ રોમે છે. ખાળે ડાટા ને દરવાજા મોકળા છે. પાપની જેમ સારાં કાર્યને પણ આ પંક્તીઓ લાગુ પડે. સારાં કામો કરનાર ભલે ન બોલે પણ એની સુવાસ તો ફેલાશે જ.
નાઝીરજીની ગઝલો બહુ ગમે એવી હોય છે.
najirni gazalono sufi andaj niralo chhe……..its exellent.