"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વેદ છે-નાઝિર

att181.jpg 

છે   પ્રતિક   પુરુષાર્થનું    પ્રારબ્ધ   પર   પ્રસ્વેદ   છે;
તોય     વંચાયે      વિધિના    લેખ   એનો    ભેદ છે.

તું   નહીં   બોલે   તો   સઘળા   પાપ    તારા  બોલશે,
બંધ   મોઢું   છો    કરે   પણ     રોમે     રોમ  છેદ છે.

ઓ     નિરાકારી!   થજે      સાકાર  મારા  સ્વપ્નમાં,
બંધ   આંખે   જોઈ    લઉં  બસ  એટલી     ઉમ્મીદ  છે.

જો    ઉઘાડું     હાથતો    ભાંગી    જશે    સઘળો ભરમ,
બંધ    મુઠ્ઠીમાં    જ    મુજ    અસ્તિત્વ    કેરો   ભેદ છે.

શબ્દ   બે    સંભળાવશો  તો  ધન્ય   જીવન  થઈ  જશે,
આપની    વાણીજ     આ ‘નાઝિર’ ને   મન   વેદ છે.

-નાઝિર દેખૈયા
 

જૂન 21, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: