"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિકરીઓ

 imagescalru6zc.jpg
– લલિતા ખાનવલકર
લેખક પરીચય – હિંદીના પ્રમુખ લેખિકા. નઈ દુનિયામાં નિયમિત રૂપે તેમની વાર્તાઓ વગેરે પ્રકાશિત થતી રહે છે, સાથે જ વિવિધ પત્ર-પત્રિકાઓમાં પણ રચનાઓ પ્રકાશિત થાય છે.

*******************

વિમાતાના સતત દુર્વ્યવહારથી કંટીળી હોવા છતાં સૌમ્યાનો વ્યવહાર તેમના પ્રત્યે અલગ જ પ્રકારની મીઠાશથી ભરેલો રહેતો હતો. જાણે દરિયાના ખારા પાણીની બાષ્પને ગ્રહણ કરીને પણ વાદળ મીઠા પાણીનો વરસાદ ન કરતો હોય.

બહુ નાની ઉંમરમાં જ તેની પોતાની માઁનો પ્રેમ ગુમાવી દીધો હતો, પરંતુ પોતાના નામને સાર્થક કરવાનો આત્મબોધ નાનપણમાં જ કેવી રીતે મેળવી લીધો હતો એ તો ભગવાન જ જાણે ! વિમાતાની પુત્રી ગ્રામ્યા પર પણ તે અખંડ સ્નેહ ધરાવતી હતી, અને તેના વાકબાણ, તિરસ્કાર, અપમાન સહર્ષ સહન કરી લેતી હતી. વિમાતાનાં રંગમાં રંગાયેલા પિતાના કડવા વચનોને પણ આંખ આડા કાન કરી સહન કરે જતી હતી.

સમય વિતતો ગયો. ધીમે-ધીમે બન્ને દિકરીઓ બાળપણમાંથી યુવાન થઈ લગ્ન સંસારમાં પગલા માડી લીધા છે. સૌમ્યાની સાસરું પડોશમાં જ હતું એટલે તેને વિદા કરી તેમ કહી પણ ન શકાય. ઘર કી મુર્ગી…. ગ્રામ્યાના ઘર-વર દૂર હતા, વાગતે-ગાજતે, ભોજન સમારંભ યોજવામાં આવ્યા અને અઢળક દાન-દહેજ આપી તેને વિદાય કરવામાં આવી.

હવે માઁ-બાપના આયુષ્ય ખૂટી રહેવા આવ્યાં હતાં ગમે ત્યારે કંઈને કઈ શારિરીક મુશ્કેલીઓ રહ્યા કરે છે. સાવકી દિકરી પાડોશમાં જ હતી, સહજ રીતે જ તેમની સેવાની જવાબદારી તેણે ઉપાડી લીધી. પ્રેમ અને કોઈ પણ સ્વાર્થની આશા રાખ્યા વિના તેમની સેવા કરતી હતી. દૂર રહેતી દિકરી ક્યારેક ખબર અંતર પૂછવા માટે આવતી હતી. થોડી વાતચીતથી જ માઁ-બાપ તેમને ધન્ય સમજી લેતા હતા. નાની દિકરી દૂરથી ચાર દિવસો માટે રહેવા માટે આવી છે તો તેને આરામ મળે તેવી અપેક્ષા સૌમ્યા પાસે પણ રખાતી હતી.

અચાનક એક દિવસ માઁનું અવસાન થઈ ગયું. મોટી દિકરી એક પળવાર પણ માઁ પાસેથી પ્રેમ પામી નહોતી છતાં ખૂબ દુ:ખી થઈ ગઈ. આસુંઓના સાગર છલકાવા લાગ્યાં હતા. નાની દિકરીને આ સમાચાર મોકલાવામાં આવ્યાં હતા., તેના આવવાની રાહમાં પાર્થીવ દેહને ઘરમાં રાખવામાં આવ્યો હતો. જેવી નાની દિકરી આવી કે તરત જ દુ:ખથી વિહવળ બનેલી સૌમ્યા તેને ભેટી પડી અને રડતા રડતા કહેવા લાગી, ‘ગ્રામ્યા, આપણી માઁ આપણને મૂકી ચાલી ગઈ… હવે આપણે કોને માઁ કહીને બોલાવીશું ?

સૌમ્યાના દુ:ખને નકારી કાઢતી ગ્રામ્યાએ તોછડાઈથી કહ્યું, ‘તારી માઁ તો ક્યારનીય મૃત્યું પામી છે. આજે તો મારી માઁનું મૃત્યું થયું છે.

મે 15, 2007 Posted by | ટુંકીવાર્તા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: