આજના સુવિચારોઃ
આજના સુવિચારોઃ “ગ્રંથ કે સંત તો માગૅદશૅક તરીકે માત્ર પંથ બતાવી શકે,તદ્દનુરૂપ પંથ તો પથિકે પોતેજ કાપવો રહ્યો.”
*****************
મનુષ્યને સુખી થવા માટેના ત્રણ ઉપાય છે.. સદવતૅન, પુરૂષાથૅ અને સંતોષ….
અંત
ધબકતા, ઉછળાતા સંમુદરના મોજા,
અંતે કિનારે પછડાયા કરે.
સુંદર સરિતાના મીઠાજળ,
અંતે ખારા પાણીમાં ભળ્યાં કરે.
દિવસ-રાત્રી પાગલ-પ્રેમી બની,
અંતે એક-બીજાને શોધ્યા કરે.
સમય સાથે તાલ દેતા ગ્રહો,
અંતે સૂયૅની સાડમાં રમ્યા કરે.
અખિલ બ્રહ્માંડમાં ભટકતો માનવી !
અંત ન હોય એનો અંત શોધ્યા કરે!