સુવિચારોઃ
સુવિચારોઃ “પ્રેમ જ્ઞાન ને સૌંદયૅ એ ગુણો સંપૂણૅ શુધ્ અથૅમાં સમજાય તો તેમાં ક્યાંરેય અતિરેક ઉદભવતો નથી.”
******************
“પોતાની વેદ્વવતા પર અભિમાન કરવું એ સઘળા અજ્ઞાન કરતા ચડિયાતું અજ્ઞાન છે.”
*****************
જેનામાં નૈતિકતા અને ચારિત્રયની ઉણપ હોયછે તેવા લોકોજ મુંગા મોઢે દુરાચારીને સહાય કરે છે.
************************* **********************************
મારી જિંદગી લાજે..
સ્મરણને પીંખવા ચાહું તો મારી જિંદગી લાજે,
ઉદાસી આંજવા ચાહું તો મારી જિંદગી લાજે.
મને ઓ દોસ્ત તારી જેમ શ્બ્દોની નજર લાગે,
જખમ દેખાડવા ચાહું તો મારી જિંદગી લાજે.
પ્રલોભન છે દિશા પણ છે ને સાથે દુઆ પણછે,
પસીનો લુંછવા ચાહું તો મારી જિંદગી લાજે.
ગતિ પણ એ, સ્થિતી પણ છે,સરળતાનો છે સધિયારો,
હવે જો હાંફવા ચાહું તો મારી જિંદગી લાજે.
અમે બાંધ્યો ભરમ રાખ્યો મુકદ્દરને મનાવી ને,
મુઠ્ઠી જો ખોલવા ચાહું તો મારી જિંદગી લાજે.
સમયની શાન રાખીને જીતી સંઘષૅની દુનિયા,
કિનારે ડુબવા ચાહું તો મારી જિંદગી લાજે.
અનુભવ બાંધવા લાંબી પછેડી તો મળી મેહૂલ્,
હવે એ ફાડવા ચાહું તો મારી જિંદગી લાજે.
સુરેન ઠાકાર