આરામ થઈ જાશે.
તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે,
વિના ઉપચાર આ બિમારને આરામ થઈ જાશે.
પછી મંદીર કે મસ્જીદ જે ગણું તે ઘર હશે મારું,
કદમથી આપના મુજ દ્વાર તીરથ ધામ થઈ જાશે.
નિછાવર થઈ જનારા ! આટલો તો ખ્યાલ કરવો તો ?
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.
ખબર કરશો નહીં નિજ આગમનની હષૅ-ઘેલા ને!
નકર એ કેણ એના મોતનો પયગામ થઈ જાશે.
તુષાતુર જાઉં છું કિન્તુ ત્રુષા કેરી અસર જોજો,
છલકતાં કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.
ચૂકયા અવસર ક્રુપાનો તો વગોવાઈ જાશો વિશ્વે,
થવું છે એ તો જ્યાં ને ત્યાં ઠરી ને ઠામ થઈ જાશે
દયાળું ! દાન જો કરવું ઘટે તો પાત્ર ને કરજો,
નહીં તો કંઈક આ ” નાઝિર” સમા બેફામ થઈ જાશે.