સ્વગૅના અધિકારી
એક મોટી નદી ને આ પાર એક ઋષીની કુટિર અને સામે કિનારે એક નાચનારી નો મોટા મહેલ જેવું ઘર . નાચનારીને પોતાના ભરણ પોષણ માટે આ ધંધો ના છૂટ્કે કરવો પડતો હતો. રોજ સવારે સૂયૅને નમસ્કાર કરી ને કહે ,” હે!પ્રભુ મારા નસીબમાં આ જીવનમાં આવા કર્મો કરવાના લખાયેલા છે!!. સામે કિનારે ઋષી દેવ સવાર સાંજ તારૂ સ્મરણ કરેછે , ભક્તિ-ભાવથી ભજે છે,કેવા પુણ્યશાળી આત્મા છે!!.” સામે કિનારે ઋષી સવારે ઉઠી નાચનારી નો મહેલ જોઈ બોલી ઉઠે ” મારે રોજ ઉઠી ને આ કુલ્ટા સ્ત્રીનું મો જોવાનું!!સંસારમાં આવી સ્ત્રી નું નામ નિશાન ના હોવું જોઈએ”. આ રોજ સવાર સાંજનો બન્ને નો ક્રમ. સમય જવા લાગ્યો , નાચનારી અને ઋષી બન્ને ની ઉંમર થઈ. લાગી, યમના તેડા આવ્યાં. દુર થી સ્વગૅ લોક થી વિમાન આવતું ઋષી એ જોયું અને નાચનારી એ પણ જોયું. ઋષી બોલ્યાં. “વાહ! મને લેવા ભગવાને મારા માટે “વિમાન” મોકલ્યું.”
સામે મહેલમાં બેઠેલી સ્ત્રી બોલી..” ઋષીદેવ કેવા નસીબદાર છે કે તેમને સ્વગૅમાં જવા વિમાન આવેછે !!”. પરંતુ ” વિમાન સિધ્ધુ સ્ત્રીના આંગણમાં આવેછે. ” યમરાજ તમારી કંઈક ભુલ થતી લાગે છે!! ઋષીદેવ તો સામે કિનારે વસે છે, તેના માટે છે ને ?” ….”ના બહેન આ વિમાન તમારા માટેજ છે, તમેજ ખરા દિલ થી ભગવાન ને ભજ્યાં છે, કુટુંબના ભરણ્-પોષણ માટે મજબુરી ને લીધે આ કામ કરવા પડયા છે, કરેલા કમૅ પર દિલથી પસ્તવો કર્યો છે.સામે બેઠેલા ઋષી જીવનભર નિંદા-કુથલી કરી છે. તમેજ ખરા સ્વગૅના અધિકારી છો !!!”
(પસ્તાવા સ્વરૂપ વિપુલ ઝરણું સ્વગૅથી ઉતરે ને પાપી પણ એમાં ડુબકી મારે તો એ પણ પુણ્યશાળી બની જાય!!!)