ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલો આજે બહાર જમવા…


બહાર આવે જમવાની ઘણી મજા,
પછી  કેવી   ભોગવવી પડે   સજા!

July 5, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | No Comments

શોધ(એકીશ્વાસે વાંચો)

 આપણે એક એવા જાદુગરની શોધમાં છીએ જે ઘડિયાળને આંખ અને પગ  આપે એટલુંજ નહિ ચશ્મા અને મોજાં પહેરાવે હવાના  હાથને પાછળથીબાંધી ધક્કેલી દે મિલોની ચીમનીઓમાં નીચે સૂતેલા કારીગરના પોલાદી સ્વપ્નાં તેની ખૂલ્લી નાસિકામાંથી ધોળા  કબૂતરનાં રૂપ લઈ ઊડી જાય સારોવરના કાંઠે ખોપરિઓના  હારડા જેવાં વૃક્ષો પ્રભુનો’ મૅસેજ’ આપતા ‘વાયરલેસ પોલ”બની જાય પાંદડે પાંદડે પ્રલયની તારીખોના સિક્કા માર્યા હોય ઘરડા ચિત્રગુપ્તના હાથનાં વાહનો અને સાંચાઓના ઠરડાયેલા ઘાંટા સૂરજચંદ્રના ગળે ઘંટની જેમ કે ઘંટીના પડિયાની પઠમા લટકાવેલા જોઈ શકાયતો સોનાની બિલાડી અને તાંબાની ઊંટની જાત્રાની ગાથા નરકનું નગારું પીટી ગાઈ શકીએ થરમોસમાં પુરાયેલા સાત સંમુદરોનું મંથન બૂચ ખોલતાં સમી જાય પ્રતિકરૂપે એક પરપોટો તર્યા કરતો હોય બૃહસ્પતિના વ્યભિચારિ જોવા મળે જેમાં શહેરનું એક ટાવર અન્ય મિનારાને આંગળીના સંકેત કરી સમજાવે કે ચલો ઊઠો અહીંથી આ  ઠીંગણશીઓના મલકમાંથી આપણે મક્કા હજ કરી આવીએ અને રુદને ચઢેલા કાબાના પથ્થરને શૂન્યનું અભ્ય્ંગસ્નાન આપીએ ખૂરશી ખાલી પડતી નથી થાકી ગઈ છે એ અને  પયગંબરોનો વસ્તી વધારો જાદવાસ્થળી કરાવ્યા વિના નહી રહે નદીઓના નીર સુકાઈ સુકાઈને લોકોને લોહીનું પાણી પૂરું પાડવાના પેંતરામાં નોતરી રહી છે તેમ એક સ્વિચ દબાવો ને આકાશનું પતરું આખું હેઠે આવીને  અળસિયા સુધ્ધાંને રિપ્રેસ કરીને ચાલ્યું  જઈ શકે સ્કાયસ્ક્રેપર પરના ધાબેથી એક શુષ્ક પાંદડું ધુબાકા સાથે’ડાઈ’ લાગાવે ત્યારે ડામરના સરોવરે સરતી એક મોટી હાઉસબોટનું બૅન્ડ(ઈન એટેન્ડન્સ) અખિયા મિલાકે જીયા ભરમાકે વગાડતું એ પરદેશી પર્ણને વાસંતી વાઘો પહેરાવીને જ છૉડે રેડિયો પરથી રનિંગ સાઈરનો વાગતી જાય જેની ધૂનમાં પ્રત્યેક  પ્રાણીના શ્વાસમાં એકે એક તીતીઘોડો પહેલાં રોક ઍન્ડ રોલ કરીલે  અને જંપી જાય જેના ધ્વનિનામ પ્રતિબિંબો  ઝૂંપડાની જાળી પાસે ઝૂલતા કૂર્માવતાર કે વરાહાવતારનાં કૅલેનડરોને ઊંચાનીચાં કરે ખૂણે ખાચરાનું ખણે ચઢેલું ખરજવું લોહીલોહાણ થઈ એક નવો પોપડો રચી દે તેની તળે અનેક નગરના બ્રહ્માંડોની વસાહત સ્થાપી શકાય પણ હવે તો ઈંડાની જ સપ્તધાતુ દૂષિત થઈ છે ત્યાં હાય જાદુગર, ઓય જાદુગર…જયહિન્દ.

-રાધેશ્યામ શર્મા (૦૫-૦૧-૧૯૩૬૦)નવલકથાકાર, કવિ,વાર્તાકાર, વિવેચક.સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. અવારનવાર દેશ-પરદેશના કાવ્ય આસ્વાદો પણ કરતા રહ્યા છે.’આંસુ”, નિષ્કારણ’એમના કાવ્ય સંગ્રહો.નવોદિત કવિઓને પ્રોતસાહિત કરનાર,સાદગી ધારણ કરતા એક ઉત્તમ કવિ.
 

June 30, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

નારી ! તું તારિણી-મીરા ભટ્ટ.

આપ-ઓળખનો પરોઢ સમો ઉઘાડ

મીરા બેન ભટ્ટનું મૂળ વતન ભાવનગર,સ્ત્રી ઉદ્ધાર, સ્ત્રી -શક્તિ  જાગરણ એ એમનું પપ્ર્મૂખ કાર્ય રહ્યું છે. હું એમને ઘણાં સમયથી મળાવાની ઈચ્છા ધરાવતો હતો કે જ્યારે વતન જાવ ત્યારે આ લેખિકાને મારે જરૂર મળવું છે. એમના વિષે ઘણું જ સાંભળ્યું હતું .પણા જ્યારે રૂબરૂ એમને વડોદરા મળ્યો ત્યારે એવો અહેસાસ થયો કે જાણે એમને હું વર્ષોથી ઓળખું છે, એટલી આત્મયિતા બંધાય ગઈ. એક મોટી બહેન મળી એટલો પ્રેમ મળ્યો, ઘણી વાતો કરી  અને અત્યાર  સુધીમા એમના લખેલ બધાજ પુસ્તકો મને ભેટ રૂપે આપ્યાં,આશિર્વાદ પણ મળ્યા.એમની આ બુક”નારી! તું તારિણી”માંથી થોડા અવરતણો લેખ રુપે મુકી રહ્યો છું, આશા છે કે આપ સૌને ગમે.)

  **************************************************************************

 આજના યુગની નારી શોધી રહી છે પોતાનો ચહેરો,સાચ્ચો ચહેરો, કોઈ પણ મહોરા વગરનો ચહેરો. આજે સમસ્ત વિશ્વના નારી સમાજની આપ ઓળખની એક ઊંડી તલાશ, એક ગહન ખોજ ચાલી રહી છે-જીવનનો અર્થ પામવા એ મથી રહી છે.

  અરીસા સામે યુગયુગાંતરથી એ ઊભતી આવી છે.કોઈ એ કહ્યું “નારી તું તો કામિની છું , મોહિની છું  અદભૂત છે તારી કાયા. કામણાગારાં છે તારા રૂપ!તું પૃથ્વી પરનું અમૃત છે!”

  કોઈકે કહ્યું,’ નારી  તારું મંગળામય રૂપ છે તારું માતૃત્વ. હે મા, તું તો સાક્ષાત પ્રભુનો પયગંબર છે. તું મુક્તિદાયિની માતા.’

કોઈને એને “નારી તું નારાયાણી’ કહી, તો કોઈકે નારી-નરકની ખાણ’ રૂપે પણા બિરદાવી. કોઈકે એને ‘લક્ષ્મી’ કહી તો કોઈકે એને ‘પથ્થરો’પણ કહી . અત્યાર સુધી બીજાએ એને જે જે વિશેષણો આપ્યાં તેમાંજ પોતાના પ્રતિબિંબ ને શોધતી રહી. પરંતુ આજની સ્ત્રીને હવે આ ઈતર સાથે જોડાઈને  આવતી ઓળખ પર્યાપ્ત નથી. એણે   તો હવે જાણવું છે કે  એ પોતે કોણ છે? કોઈના અનુસંધાનને ઓળખાતું રૂપ નહીં, પોતાનું સગું રૂપ! મૂળ સ્વરૂપ! પોતાના જ પગ પરૂ ભેલું , સ્વાયત્ત, સ્વાધિન, સ્વતંત્ર રૂપ!

   અત્યાર સુધી એ પોતે સુધ્ધા પોતાને પુરુષ   સાથેના સંબંધે જ ઓળાખાતી રહી. દીકરી, બહેન, પત્ની, મા જેવી બીજી અસંખ્ય ભૂમિકાઓ  યુગયુગાંતરથી એ ભજવતી  આવી, પરંતુ  ક્યારેય એણે અંતરમાં ડોકિયું ન કર્યુ કે આખરે તે પોતે  કોણ છે?

દર્પણા તો એનું એ જ છે, પણા કોણ જાણે ક્યાંથી એનાં વિધવિધ સ્તર આજે નારી સમક્ષ ખૂલ્લાં થઈ રહ્યાં છે અને કવિ ઉશનસ કાહે છે તેમ ,

  “દર્પણામાં ફૂટ્યું  ક્યાંથી આટલું અતલણું !
   ઊભી   ઊભી   ઊંડી  જાઉં    છું ઊતરી !”

આજે સ્ત્રી પોતાના વ્યક્તિત્વને લપેટી વળાગેલા બહારના તમામ વઘા ઉતારી અરીસા સામે જોઈ પોતાનું મૂળ સ્વરૂપ શોધવા  નીકળી છે ત્યારે પ્રતિતી થાય છે કે પોતાની ભીતર તો શક્તિનો અખૂટ -અપાર  મહાસાગર ઘૂઘવી રહ્યો છે! એ પોતાના પગ પર ઊભી રહેલી એક સ્વતંત્ર હસ્તિ છે.
   એ ‘બિચારી’નથી , ‘ઓશિયાળી ‘ નથી ‘ગોણ “નથી. પાણો તો હરગીજ નથી જ નથી. એ  તો એક …( ક્રમશ..)

June 25, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 2 Comments

મા-બાપની ફરજો..

Cross am I sometimes

with my little daughter

fill her eyes with tears

forgive me Lord;

united my various soul

sole watch man of the wide

& single stars.

-john Berryman

*******************************

ઘણા   માણસો    હમેશાં   ઉપદેશ    આપીને
અને    પોતાથી   નાના  હોય   તેમને  ઠપકો
આપીને સામી વ્યક્તિનાં દિલ દુભાવતા   હોય
છે. જાણે  પોતે જ પવિત્ર  રહી  શકે છે  અને
પોતે  કોઈ  ભૂલ  કરતા  નથી  અને  પોતાનાં
પુત્ર-પુત્રી  કંઈ ભૂલ કરી બેસશે  તેમ  માનીને
ટોક    ટોક  કરતા  હોય  છે. તેમ કરીને  આપણે
તદ્દન   કોમળ     હૈયાને  દુભાવીએ     છીએ.
આપણાં બાળકો  આપણા  આત્મા  જેવાં  છે તે
આત્માને પીડવા તે આત્મપીડન જેવું છે. તેને
પીડવાને  બદલે  એ  બધા  સાથે  આત્મસાત
થઈ  જવું  જોઈએ.આકાશના તારા  પ્રકાશીને
પોતપોતાની  ચોકી  કરે   છે તે  રીતે  તમામ
બાળકો  પોતાનું આત્મપરિક્ષણ  કરીને પોતાની
જ   ચોકી  કરે     તેવી  સ્વતંત્રતા  મા -બાપે
બાળકોને  આપવી  જોઈએ.

“પ્રેરણાની પળોમાં”-કાન્તિ ભટ્ટ

June 23, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

“સ્ત્રી”.ચંદ્રકાંત બક્ષીની દ્રષ્ટીએ..

સ્ત્રીઓ સતી થાય છે એકજ જગ્યાએ-બીજાની પથારીમાં.

“સ્ત્રી બુદ્ધી પગની પાની એ “.જેવી કહેવત શોધનારના  આખા  શરીરમાં કદાચ બુદ્ધીનો  કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય!

સ્ત્રીની સુખની  શું વ્યાખ્યા છે. એ સ્ત્રીને સ્વયં  ખબર હોતી નથી, અને મહાન માનવશાસ્ત્રી સિગમંડ ફ્રોયડે અભ્યાસ  કર્યા  પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈ એ છે એ હું સમજ્યો નથી!

સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત  થઈ ચુક્યો છે , રાઈટ ટુ (માય) બોડી! મારા શરીર પર મારો અધિકાર ! અને  અધિકાર બોધનો અગ્નિ સમાજનાં બધાં જ પારંપારિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી દેશે.

એકલી સ્ત્રીનો સૌથી ક્રૂર  શત્રુ  હોય છે, ભવિષ્ય. અને સૌથી ક્રૂર ભય  હોય છે એકલતા.

ઔરતોની આંખો જિંદગીભર બુઢ્ઢી થતી નથી…

મમ્મી સૌથી વહેલી ઊઠે છે, સૌને સૂવાડીને એ સુવે છે. રાત્રે દરવાજા બંધ કરીને  અંધકારને કાઢી મૂકે  છે, સવારે બારીઓ ખોલીને અજવાળું લઈ આવે છે. ગળું ભરાઈ આવે એવું સરસ હસે છે. ભૂખ લાગે છે, ખૂશી થાય છે. લોહી  નિકળે છે, ગળું  ગરમ થાય છે, આંખો બળે છે ત્યારે  મમ્મી ચોવીસે  કલાકનો કબજો લઈ લે છે. મને હજી  સમજાતું નથી કે  દરેક મમ્મી કેવી રીતે   ઘરમાં સૌથી વહેલી ઉઠે છે, અને સૌથી મોડી સૂઈ  જાયઈ છે? દરેક મમ્મી  જગતની શ્રૅષ્ઠ  રોટલી  કેવી રીતે  બનાવે છે? દરેક મમ્મીની આંખો સૌથી સ્વચ્છ કેવી રીતે  હોય છે? દરેક મમ્મી કેમ કંઈ  માગતી નથી?

સ્ત્રીઓ માટે મને જરા સૉફ્ટ કોર્નર છે, હું આજીવન સ્ત્રીઓનો પ્રેમી  રહ્યો છું. બહેન ન હતી, માતા  નથી, અને મને લાગ્યું છે કે સ્ત્રી છે માટે પૃથ્વી ફરે છે, ઋતુંઓ  બદલાય છે, સૂર્ય ઊગેછે, જિંદગી  ગુજરતી  જાય છે. આ પૃથ્વી પર સ્ત્રી ન હોત તો હું કદાચ આપઘાત કરી નાંખત…

 

 

 
 

June 20, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 11 Comments

“પ્રેમ..”

 

લવ  કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઊર્દૂની ઈશ્કિયા શાયરી કામ  આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા  રહી ને આદમકદ આયનામાં  જોઈને વાળ ઓળતા  ગોરાચિટ્ટા સુંવાળા નવરાવો માટે ઉર્દૂના શેર ચરકતા  રહેવું  ઠીક છે , બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવું  પડે છે!

ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ  કરે પણ સામાન્ય દ્વિપગી  જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણા ગાવું . ગુનગુનાવું ચાલું  રાખે તો સમજવું કે એ રોમાં કિત  અવસ્થામાં છે. આજ કાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદારક ચીસો પાડવી પડે છે.૭૦ એમ. એમ.માં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ  સરકસના  અંગ કસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયમ બની  ગયો છે.

મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે.

પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્ક્રુત શબ્દકોશો માં”પ્રેમન્ રૂપે અપાયો છે.

દરેક સ્ત્રી પ્રેમ કરવા લાયક હોતી નથી અને સૌથી મોટી ટ્રેજડી “Not to love ”નથી પણ”Not to be loved “ છે.. આપણે કોઈને પ્રેમ ન કરીયે એ ટ્રેજડી નથી. કોઈ  આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજડી છે.

પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને  શરદી  લાગતી નથી.

જે  પ્રેમમાં નિષ્ફળ  જાય છે એ જુગારમાં સફળ થાય છે…અને જે જુગારમાં પૈસા  ખૂવે છે એ પ્રેમમાં જીતી જાય છે.

પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે, તડાકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવી અઘરી પડે , પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખૂલી ગયો છે.

-ચંદ્રકાંત બક્ષી

June 6, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 7 Comments

અમેરીકામાં ભિખારી ની પણ એક અદા હોય છે!!

“જો તમે મને  એક ડોલર  આપો તો ..   તમારા મનમાં જેટલી ગાળો હોય તેટલી આપો..પણ શરત એટલી એક ડૉલર આપો”.. વાહ !પેટમાં  આગ લાગે..તમારી ગાળ પણ ઘણી વ્હાલી લાગે!!

***************************************************************************************************

ભિખારી રહ્યા છતાં પ્રમાણિકતા નથી છોડી. આજ ના આ સત્યવાદી હરિચંદ્ર કહે છે કે જૂઠ શામાટે બોલું?
દારૂની આદત છે..ભૂખ  સહન કરીશ પણ દારૂ વગર રહેવાતું નથી.. માત્ર દારૂ માટે પૈસાની જરૂર છે..

**************************************************************************************************

 

બિચારા  આ ભિખારી સાહેબની બૈરી ને કોઈ  અપહરણ કરી ગયું..!  બૈરીને સમજાવવા કે પછી અપહરણ કરનાર પાસે થી છાડવવા..માત્ર  $૦.૯૮ સેન્ટની જ  જરુરત છે..આપની પાસે હોય તો આ લાટ-સાહેબ ને આપશો?

*************************************************************************************

લ્યો આ ભિખારી-સાહેબ ગરીબ છે   પણ કોઈ અમીર-પૈસાદાર સ્ત્રી મળી જાય..તોજ આ ગરીબી  ભાગી જાય!! કોઈ લક્ષ્મીદેવી દ્વાર ખખડાવે!!તો રંકમાંથી રાજા બની જવાય!

**********************************************************************************************

 

 

 

May 17, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 5 Comments

શું સત્ય હશે ! કોને ખબર?

 

 

May 2, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

રવિન્દ્રનાથના મૌક્તિકો..

આ જીવન તો સાગરખેપ છે;
આપણે એક નૌકામાં હમસફર કરીએ છીએ.
 મૃત્યું આરે પહોંચીશું અને
સહુ પોતપોતાના મુકામની વાટ લેશું.

This is the crossing of a sea,

where we met in the same narrow ship.

In death we reach the shore and

go to our different  worlds.

હું તને મારા આવાસમાં નથી બોલાવતો.
અંતઃસ્તલની અનંત એકલતામાં આવ પ્રિયે!

I do not ask thee into the house.

Come into my loneliness, my lover.

હે પ્રભુ, ફૂલો અને સૂર્યકિરણોમા ઝળકતા
તારા નમણા ઉદગારના મર્મ હું પામ્યો છું.
હવે મને વેદના અને મૃત્યુંની તારી વાણી સમજાવ.

Teach me to know thy words in pain and death.

I have learnt the simple meaning  of thy

whispers in flowers and sunshine-

હે પૃથ્વી, હું તારા રળિયામણા તટ
 ઉપર ઊતર્યો ત્યારે આંગતુક હતો;
તારા સદનમાં રોકાયો અતિથિ બનીને,
આજે તારું સખ્ય પામીને વિદાય લઉં છું

I came to your shore as a stranger,

I lived in your house as a guest,

I leave your door as a friend, my earth.

***************************************************

કાતિલકા ઈરાદા હૈ બિસ્મિલકો   મિટા  દેંગે,
બિસમિલકા તકાજા હૈ  કાતિલકો  દુઆ  દેંગે.
-શાદ

 

 

April 30, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

કર્મ પરથી જ..

જે માણસ કોઈ પણ પ્રાપંચિક દુઃખથી  ડરતો નથી, કોઈ વસ્તું ઉપર જેને આસક્તિ નથી , તેને હું બ્રાહ્મણ કહું છું, બીજાએ દીધેલ ગાળો, વધ,બંધ વગેરે  જે સહન કરે છે. ક્ષમા જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ ગણું છું.

  જન્મથી કોઈ બ્રાહ્મણ થતો નથી કે અબ્રાહ્મણ થતો નથી. કર્મથી જ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થાય છે. ખેડુત કર્મ વડે થાય છે, ચોર કર્મથી થાય છે. સિપાઈ કર્મથી થાય છે અને રાજા પણ કર્મથી જ થાય છે. કર્મથીજ આ જગત ચાલે છે

-ગૌતમ બુદ્ધ   

April 28, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 2 Comments

કોઈ બેસતું કેમ નથી ….

જાપાનની  શહેર-પરાંની લોકલ ટ્રેન માં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવીજ ; પણ લોકો તાલીમ બદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડાનારા હારબંધ ઊભા હોય પ્લેટફોર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે; દરવાજો બંધ થાય પછી જ ગાડી ઉપડી શકે , તેવી યાંત્રીક  ગોઠવણી.

સાકાઈથી ઓસકા જવા હું લોકલમાં ચડ્યો. ડ્બ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક  ખાલી પડેલ હતી. ” કોઈ બેસતું કેમ નથી?” મેં સાથેના  મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, ” જેટલા ઊભા છે  તે સૌ ને બેસવું તો  છે; પણ ખાલી બેઠક  એક જ છે  તેથી બધા વિચારે છે કે , બેઠક  મને નહી-બીજાને મળવી જોઈએ. માટે સૌ ઉભા છે”

બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં જોઈ.

-મોહન પરીખ
************************
કોઈ દિવસ  જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક  દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને  કાજે  હાર પામવાનું હું પસંદ કરું છું
-વુડ્રો વિલસન

 

April 25, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 4 Comments

“ભગવાં ઉતારવા પડશે !”

આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી  સત્યદેવઆવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યાં હતા, તે જોઈ તેઓ  બહું પ્રસન્ન થયાં. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈને કહેવા લાગ્યા,’ હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું.’

    બાપુ કહે, ‘ બહું સારું.આશ્રમ તમારા જેવા  માટે જ છે. પણ  આશ્રમમાં દાખલ થાઓ એટલે  આપને આ ભગવાં કપડા ઉતારવા પડશે.’

આ સાંભળીને સ્વામી સત્યદેવને ઘણો આઘાત લાગ્યો.ગુસ્સે થયા. પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શકતા નહોતા.. તેમણે કહ્યું, ‘એતો કેમ બને? હું સંન્યાસી છું ને?’

    બાપુએ કહ્યું,’હું સંન્યાસી છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરોબર સમજી લો.’
પછી બાપુએ  તેમને શાંતીથી સમજાવ્યું, ‘આપણા દેશમાં ભગવાં કપડાં જોતાજ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં. સેવા કરવાનું છે.આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે  જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે  આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તું છે,સંકલ્પની બાબત છે.બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?’

સત્યદેવને વાત સમજાઈ તો ખરી પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, ‘આતો મારાથી નહીં બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યો છે , તે છોડી નહીં શકું.’
-કાકા કાલેલકર
 

April 23, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

એક માત્ર માને..

ભગવાન પાસે આપણે શું માગીશું? માગીશું અહૈતુકી કૃપા અને ભગવાન આપણી પાસેથી શું માગે છે ? માગે છે અમલા અનિમિત્તા ભક્તિ, અકારણ પ્રેમ.

     જેવો હતો પ્રેમ પ્રહલાદનો. પ્રહલાદ, જે શાથી ભગવાનને પ્રેમ કરે છે તે પોતે જાણાતો નથી. હાથીના પગ નીચે નાખ્યો ત્યારે પણ હરિ, પહાડના શિખર પરથી ફેંકયો ત્યારે પણા હરિ પછી ભગવાને પ્રહલાદને વરદાન આપવા ઈચ્છ્યું. પ્રહલાદે કહ્યું કે , હું તમને ચાહું છું. તે શું બદલામાં ક્શું પામવા માટે ?

    સંસારમાં આ પ્રમાણે પ્રયોજન વગર આપણે કોઈને ચાહીએ  છીએ ? એક માત્ર માને . સંતાન જ્યારે માને ચાહે છે ત્યારે પૂછતું નથી કે મા, તું શું રૂપસી છે કે વિદૂશી છે ! તે મા છે એજ તેનું  ઐશ્વર્ય સદાની ભિખારણ મા-તેને છોડીને  તેનું શિશું લંબાવેલા  હાથવાળી રાણીને ખોળે જતું નથી. મા જ્યારે સંતાનને મારે છે ત્યારે પણ સંતાન તો માને જકડી રાખે છે, ત્યારે પણ મા-મા કહીને જ રડે છે. કારણ કે તે જાણે  છે કે જે નયનોને તેમણે છલકાવ્યા છે , તેજ નયનોને તેમણે સ્નેહ-ચુંબનથી ભરી પણ દીધા છે.. અચિંત્યકુમાર સેનગુપ્ત

 

April 22, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 5 Comments

વાચન કે વ્યસન ?

ગ્રંથોના શ્રવણ પઠનની સાથે સાથે એનું ચિંતન અને મનન પણા થવું જોઈએ;

અને ચિંતન પછી જે વસ્તું યોગ્ય લાગે તેનું આચરણ થવું જોઈએ.

ભારતનો ઈતિહાસ વાંચીને આપણે એ જાણી લઈ એ કે ગુલામ કેમ બન્યા;

તે પછી પણ સ્વતંત્રતાના ઋક્ષણની  વૃર્તત આપણામાં ન આવે,

તો ઈતિહાસના વાચનથી આપણે શું પ્રાપ્ત કર્યુ?

વાચનથી આપણે માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય,

 તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃધ્ધી થતી ન હોય અને

તે પ્રમાણે આચરણ ન થતું હોય તો

એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.

            ભારતમાં  રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીરથી ગાંધીજી સુધીના મહાપુરૂષોની

એક પરંપરા ચાલી  આવે છે. એમનો ઉપદેશ ગ્રંથો દ્વારા ઉપલબ્ધછે છતાં

 ભારતમાં સામાન્ય નાગરિકોમાં પ્રમાણિકતાની અણુપ જ છે એનું કારણા એ છે

કે આપણે સદગ્રંથોનો મહિમાં ગાઈએ છીએ, પરંતુ તેવું આચરણ કરતાં નથી.

આપણે સંતોનાં ગુણાગાન કરીએ છીએ,

એમની ભક્તિ કરીએ છીએ, પર્ંતું એમના ગુણો જીવનમાં ઉતારતા નથી
-કેદારનાથ

April 17, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 4 Comments

રવીન્દ્રનાથનાં મૌકતિકો..

 

રાત્રિએ સૂરજને કહ્યું-’આ ચન્દ્ર તારો પ્રેમ-પત્ર છે,
તો   ધરતી-પુત્ર    તરણાં પર ઠરેલાં અશ્રુબિંદુઓ
મારા પ્રત્યુતર છે.

‘In  the  moon  thy  love  letter  to   me’,

said the night  to the sun.

I live my answer in  tears upon the grass.

હું રજળપાટ કરતો હતો ત્યારે , હે! પગદંડી,
મને તારો થાક લાગતો હતો
હવે તારા સખ્યમાં મજલ મીઠી લાગે છે.

When I travelled to here and to there,

I was tired of thee, O Road. But  now  when thou

leadest me everywhere

I am wedded to thee in love.

જીવનમાં રહી ગયેલાં છિદ્રો વાટે
મૃત્યુંનું કરૂણ સંગીત  આવે છે.

Gaps are left in life  through which comes

the sad music of death.

કિરતારની પરમ શક્તિ હવાની શીતળ લહેરખી
લાવ છે, અંધાધુંધ નહી.

God’s great power is in the

gentle breeze, not in the storm.
**************************************************************
ખોરાક માટે  પ્રાણીઓને માર્યા વગર પણ માનવી  જીવીત અને તંદુરસ્ત  રહી શકે છે,
તો પછી માનવી પ્રાણીઓને મારી માંસ ખાય  તો માત્ર શોખને સંતોષવા!

April 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment