આવું કેમ થાય છે?

(છેલ્લા બે વીકમાં ત્રણથી ચાર વખત ફ્યુનરલમાં જવાનું થયું..કોઈ સ્વજન, કોઈ મિત્ર ખોયો.દુ:ખ થાય છે.બસ આવું કેમ થાય છે? એ વિચારોમાં આ કાવ્ય સરી પડ્યું)
રોજ રોજ ફ્યુનરલમાં જવાનું થાય છે,
આવું કેમ થાય છે?
એક પછી એક સ્વજન સ્વધામ જાય છે,
આવું કેમ થાય છે?
ઊંમર કેવી આવી,મિત્રો ઓછા થાય છે,
આવું કેમ થાય છે?
વર્ષો વિતાવ્યા સાથ, સાથી ઓછા થાય છે,
આવું કેમ થાય છે?
બાગમાં ગાતી’તી કોયલ,ત્યાં કાગડાઓ જાય છે,
આવું કેમ થાય છે?
કેવી તે સાંજ આવી!સૂરજ રિસાતો જાય છે,
આવું કેમ થાય છે?
આજ-કાલ કેમ ફ્યુનરલમાં જવાનું થાય છે!
આવું કેમ થાય છે?
જૈન તીર્થધામ-પાલીતાણા
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૦કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું.
શહેર
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીતી સુશોભિત ૧૨૫૦ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારી પણ નહીં.
મોટેભાગના જૈનો ઝારખંડ (સમેતશિખર), માઉંટઆબુ કે ગિરનાર કરતાં પણ પાલિતણાને વધુ અગત્યનું માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ.
ગોહિલ રાજ્પુતોના રજવાડાનું પાટનગર પાલીતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલ ના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે.પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.
આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થરશીલાની ભાવપુર્વક પૂજા થાય છે.આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ, બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા-પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે ૩૯૫૦ પગથીયાં વાળો પગરસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે.
પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. “શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન” અને “સ્થાપત્ય કલા ગૃહ”. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણાં ચારણ વસતા હતાં. ગુલમહોર, લીમડા, ચંપાનાં વૃક્ષો તળેટીને રમણિય અને ખુશનૂમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરા, જાસુદ, જૂઇ અને ડમરાની વાડીઓ છે. ગુલછડી પણ વપરાય છે.પાલીતાણાના પેંડા ખૂબ વખણાય છે. કાઠિયાવાડી ભરતકામની ચીજો પ્રવાસીઓ ખરીદતા હોય છે.
ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીર નું પવિત્ર સ્થાન છે.
પાલીતાણા ની યાત્રાના માધ્યમો
એરોપ્લેન દ્વારા
પાલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રીય પણ છે અને વડોદરા એરપોર્ટ છે.આ બંન્ને દેશનાં મોટાં શહેરો જેવાંકે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે. સાથે રાજકોટ પણ નજીક નુ એરપોર્ટ છે.
બસ રોડ
ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદ થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે. 5 કલાક્ની મજલ છે. અમદાવાદથી ૨૧૫ કિ. મી. પાલીતાણા છે. ટેક્સી પણ મળી શકે છે.
ઇતિહાસ
પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે. જૈનોના આ પૂસિદ્ધ યાત્રાધામમાં ભારતના ખૂણેખૂણાથી ધાર્મિક જૈન સ્ત્રી-પુરુષો, બાળકો દર્શનાર્થે આવે છે.
પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. [૧]
ભુતપૂર્વ રજવાડું
પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતાણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું
સૌજન્ય: વિકિપીડિયા
વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!

વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!
સાગર તરે જ્યાં માછલી કાંધ પર કહેવું પડે!
મુજ પ્રેમની વાતો નગરમાં આમ વાત થઈ પડી,
ત્યાં સૂર્યના તડકા વિશે સૌ બેખર કહેવું પડે!
આકાશ જેવા મૌનની ચાહત અમે વાવી હતી,
ઘોંઘાટના સાગર ઊગ્યા પાંપણ ઉપર કહેવું પડે!
ફરિયાદ એના નામની કરવા ગયો દરબારમાં,
બુઠ્ઠી કલમની ઘારની જાણી અસર કહેવું પડે!
વરસાદ કે વૈશાખ એ તો જિંદગીના છે ભરમ,
‘રશ્મિ’ સમજ કે બે ઘડી બાકી સફર કહેવું પડે!
-રશ્મિ શાહ
વાંચતાં-વિચારતા

એક હાઈકુ, જે અમર બની ગયું..
હાઈકુ-જાપાનો એ સઘન કાવ્યપ્રકાર છે , જેમાં માત્ર સત્તર અક્ષરોમાં એક સમગ્ર વિચાર કે દ્રશ્ય કે આદર્શ કહી દેવાય છે. હાઈકુનો ગુજરાતીમાં પ્રથમ પ્રયોગ કરનાર’સ્નેહરશ્મિ; એ પાંચ-સાત-પાંચ અક્ષરો વડે હાઈકુ રચ્યાં. પછી તો ગુજરાતીઓને આ કાવ્ય પ્રકારમાં ભારે રસ પડી ગયો. કોઈ કે સેંકડો હાઈકુ રચ્યાં અને પાટણના મારા વડીલ મિત્ર મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયે તો આઠ હજાર જેટલાં હાઈકુ રચ્યાં.
દુનિયાભરમાં હાઈકુ રચાયાં, પરંતુ બધાં હાઈકુના પૂર્વજરૂપ અને આદર્શરૂપ હાઈકુ ટોકિયોના ફૂગાવા વિસ્તારમાં રહેનારા બાશોએ રચ્યું છે જે આ પ્રમાણે છે;
પ્રાચીન કુંડ
એમાં કૂદે દેડકો-
છપ્પાક નીર.
હવે એ કવિ એ કુંડ, એ દેડકો, બધાં અમર બની ગયાં છે. બાશોનું રહેઠાણ રાષ્ટ્રીય સ્મારક છે. એ રહેઠાણ આગળ ઊંચા ચોતરા પર કૂદવા તત્પર દેડકાનું શિલ્પ છે. થોડેક છેટે વાશો મ્યુઝિયમ છે. ત્યાં દેડકા જ દેડકા છે. પેપર વેઈટ તરીકે, શૉ-કેસની શોભા તરીકે, કાગળ પર રેશમ પર… અરે બૂક-માર્ક તરીકે પણ ! એક કવિતાએ કૂદકો મારવા તત્પર દેડકાને રાષ્ટ્રનો લાડકો બનાવી દીધો છે.
પાંચ વર્ષે કુટુંબમાં ‘કર્તા’
‘કર્તા’ શબ્દ ઈન્કમ-ટેક્ષની પરિભાષાનો છે. પરિવારના વડા માટે એ શબ્દ વપરાય છે. કલકતાનો પાંચ જ વર્ષનો એક બાલક એક પરિવારનો ‘કર્તા’(ભરણ-પોષણ કરનાર) બન્યો છે! એનું નામ બિલાલ.
બિલાલની કથા કોઈ પુસ્તક કે લેખમાં નહિ, પરંતુ એક દસ્તાવેજી ફિલ્મ દ્વારા કહેવામાં આવી છે. અલબત્ત એ કોઈ નવલકથાથી કમ નથી. બિલાલનાં માતાપિતા બન્ને અંધ છે. ઝૂપડપટ્ટીનાં રહેવાસી છે. મુફલિસ છે. પાંચ વર્ષનો બિલાલ એમની કાળજી અને સારવાર કરનાર એક્માત્ર પરિવારજન છે.
બંગાળના ફિલ્મ નિર્માતા સૌરવ સારંગી બંગાળી ભાષામાં બનાવેલી આ દસ્તાવેજી ફિલમમાં બેધડકપણે ‘હીરો’ની ભૂમિકા ભજવે છે. પાંચ જ વર્ષની વયે એ ‘પ્રૌઢ’ બની ગયો છે. દ્રરિદ્રત્તા અને અકાળ જવાબદારી બાળકને કેવું ઘડે છે, એ જાણાવતી આ દસ્તાવેજી ફિલ આંતરરાષ્ટ્રિય મેળાઓમાં સારો આવકાર પામી છે.
આશા રાખીએ કે આ ફિલ્મને ‘ગરીબીનું ગૌરવ કરવાનો ગુનો’ આચારનાર ગનવામાં નહિ આવે.
સૌજન્ય:’ ઉદ્દેશ ‘
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્વયથી.
હવે થાકી ગયો, સાકી પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેંકતા મયથી.
ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.
બધા દ્રશ્યો અલગ દેખાઈ છે,એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં,તમે દેખો છો સંશયથી.
હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.
તમે અદ્રશ્ય રહી બાજી રમો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.
ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉંછું,મિત્રો,
હું મહેફીલમાં નથી આવ્યો,ટકી રહેવાના નિશ્વયથી.
-હરેન્દ્ર દવે
ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન..
ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન-ઓકટૉબર-૩૧,
(ગાંધીજીના ઉપવાસ દરમ્યાન એમની સાથે ઈન્દિરા ગાંધીની બાળપણની તસ્વીર)
ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી ; નહેરુ; (19 નવેમ્બર 1917 – 31 ઑકટોબર 1984) એ 1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન હતાં. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.
રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવા નહેરુ કુટુંબમાં જન્મેલાં ઈન્દિરા રાજકીય રંગે રંગાયેલા વાતાવરણમાં ઉછર્યાં હતાં. એકસમાન અટક હોવા છતાં તેઓ મુત્સદ્દી મોહનદાસ ગાંધી સાથે કોઈ કૌટુંબિક સગપણ ધરાવતાં નહોતાં. તેમના દાદા, શ્રી મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. 1941માં ઑકસફર્ડથી ભારત પાછા ફર્યાં બાદ, ઈન્દિરા પણ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.
ઓગણીસો પચાસના દાયકામાં પોતાના પિતાના ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના સત્ર દરમ્યાન તેમણે અનૌપચારિક ધોરણે તેમના અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી.1964માં તેમના પિતાના અવસાન બાદ, ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજયસભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી અને તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતાં.[૧]
શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની કૉંગેસ પાર્ટીના પ્રમુખ કે. કામરાજનો મુખ્ય હાથ હતો. ઈન્દિરાએ થોડા જ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેમણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. 1971માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય અને તે પછીના અસ્થિર સમયગાળાને લઈને તેમણે 1975માં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી; પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, અને એ પછી તેઓ પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં સતત ઊંડા ઊતરતાં ગયાં, જેનો અંત છેવટે 1984માં પોતાના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યામાં આવી.
સૌજન્ય: વિકિપીડિયા
હેલોવીન (Halloween)-ઈતિહાસ

હેલોવીન (Halloween, અથવા Hallowe’en ) 31મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે. તેના મૂળ સેમહેઇનના સેલ્ટિક તહેવાર અને ઓલ સેન્ટ્સ ડેના ખ્રિસ્તી પવિત્ર દિવસમાં છે.
તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે, પરંતુ કેટલાક ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકોએ તેના ધાર્મિક અર્થો અંગે તીવ્ર લાગણીઓ વ્યક્ત કરી છે. [૧][૨][૩] આઇરિસ વસાહતીઓ આયર્લેન્ડના 1846ના મહાન દુકાળ વખતે આ પરંપરાના પ્રકારો ઉત્તર અમેરિકા લઈ ગયા હતા. [૪] આ દિવસ સામાન્યપણે નારંગી અને કાળા રંગ સાથે સંકળાયેલો છે અને જેક-ઓ-લેન્ટર્ન જેવા પ્રતીકો સાથે ગાઢપણે જોડાયેલો છે.
હેલોવીન પ્રવૃત્તિઓમાં ટ્રિક-ઓર-ટ્રીટિંગ, ઘોસ્ટ ટુર્સ, બોનફાયર, વેશપરિધાન મિજબાનીઓ, ભૂતિયા આકર્ષણોની મુલાકાત લેવી, જેક-ઓ-લેન્ટર્ન કોતરવા, ડરામણી કથાઓ વાંચવી અને હોરર મુવી જોવાનો સમાવેશ થાય છે.
મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે. (ઇવન અને ઇવ બંને ઇવનિંગ ના ટુંકા રૂપો છે, પરંતુ હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે “ઓલ હેલોઝ ડે”ની પૂર્વસંધ્યા છે, [૧૦] જે ઓલ સેન્ટ્સ ડે તરીકે પણ ઓળખાય છે.
પોપ ગ્રેગરી ત્રીજા અને ગ્રેગરી ચોથા ઓલ સેન્ટ્સ ડેનો જૂનો ખ્રિસ્તી તહેવાર 13મી મેથી (જે વાસ્તવમાં મૂર્તિપૂજકોના પવિત્ર દિવસ, ધી ફીસ્ટ ઓફ લેમુરસની તારીખ હતી) બદલીને પહેલી નવેમ્બરે લઈ ગયા, ત્યાં સુધી તે વિવિધ ઉત્તર યુરોપિય મૂર્તિપૂજક પરંપરાઓમાં ધાર્મિક ઉજવણીઓનો દિવસ હતો.
નવમી સદીમાં ચર્ચે ફ્લોરેન્ટાઇન પંચાંગ પ્રમાણે આ દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો ગણ્યો. ઓલ સેન્ટ્સ ડે હવે હેલોવીનના એક દિવસ પછી આવતો હોવાનું મનાય છે, તેમ છતાં બંને, તે સમયે, એક જ દિવસે ઉજવવામાં આવતા હતા.
ઈતિહાસ
હેલોવીનના મૂળ સેમહેઇનના નામે ઓળખાતા પ્રાચીન સેલ્ટિક તહેવારમાં રહેલા છે. (ઢાંચો:IPA-ga; ઓલ્ડ આઇરિસમાંથીsamain, possibly derived from Gaulish samonios) [૫] સેમહેઇનનો તહેવાર ગેલિક સંસ્કૃતિમાં લણણીની મોસમના અંતની ઉજવણી છે. અને ક્યારેક [૬] “સેલ્ટિક નવા વર્ષ” તરીકે ઉજવાય છે. [૭] પરંપરાગત રીતે આ તહેવારનો ઉપયોગ પ્રાચીન સેલ્ટિક મૂર્તિપૂજકો શિયાળાના સંગ્રહ માટે પુરવઠાની ગણતરી કરવા અને પશુધનની કતલ કરવામાં કરતા હતા.
પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર (હાલ હેલોવીન તરીકે ઓળખાતી તારીખે) સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા.
તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.
આ તહેવારોમાં પ્રેત આત્માઓની નકલ કરવા કે તેમને રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. [૮][૯]
નામનું મૂળ
મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે. (ઇવન અને ઇવ બંને ઇવનિંગ ના ટુંકા રૂપો છે, પરંતુ હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે “ઓલ હેલોઝ ડે”ની પૂર્વસંધ્યા છે, [૧૦] જે ઓલ સેન્ટ્સ ડે તરીકે પણ ઓળખાય છે.
પોપ ગ્રેગરી ત્રીજા અને ગ્રેગરી ચોથા ઓલ સેન્ટ્સ ડેનો જૂનો ખ્રિસ્તી તહેવાર 13મી મેથી (જે વાસ્તવમાં મૂર્તિપૂજકોના પવિત્ર દિવસ, ધી ફીસ્ટ ઓફ લેમુરસની તારીખ હતી) બદલીને પહેલી નવેમ્બરે લઈ ગયા, ત્યાં સુધી તે વિવિધ ઉત્તર યુરોપિય મૂર્તિપૂજક પરંપરાઓમાં ધાર્મિક ઉજવણીઓનો દિવસ હતો.
નવમી સદીમાં ચર્ચે ફ્લોરેન્ટાઇન પંચાંગ પ્રમાણે આ દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો ગણ્યો. ઓલ સેન્ટ્સ ડે હવે હેલોવીનના એક દિવસ પછી આવતો હોવાનું મનાય છે, તેમ છતાં બંને, તે સમયે, એક જ દિવસે ઉજવવામાં આવતા હતા.
પ્રતીકો
હેલોવ્ઝ ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં.
યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં સલજમ કે રુતબાગામાંથી કોતરવામાં આવ્યા હતા.
માથુ/0} શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના “માથા”નો ઉપયોગ કરતા હતા. [૧૧] વેલ્સ, આઇરિસ અને બ્રિટિશ દંતકથાઓ ઉદ્ધત મસ્તકની પુરાણકથાઓથી ભરપુર છે, જે શીર્ષછેદનની પ્રાચીન સેલ્ટિકોની વ્યાપક પરંપરાની લોકસ્મૃતિ હોઈ શકે છે. આવા છેદાયેલા મસ્તકો મોટેભાગે બારણાની બારશાખ પર લટકાવવામાં આવતા હતા અથવા તો અગ્નિ સમક્ષ લાવવામાં આવતા હતા, જ્યાં તેઓ તેમનું ડહાપણ ઉચ્ચારતા હતા.
જેક-ઓ-લેન્ટર્ન નામ [૧૨] લોભીયા, જુગારી, અતિશય દારૂડિયા, ઘરડા કિસાનની આઇરિશ પુરાણકથા અધમ જેકમાં જડી શકે છે.
તેણે શેતાનને એક વૃક્ષ પર ચડવા માટે પ્રેર્યો હતો અને પછી વૃક્ષના થડમાં એક ક્રોસ કોતરીને તેને ફસાવ્યો હતો.
વેર વાળવા શેતાને જેકને પોલા સલજમમાં મુકેલી એકમાત્ર મીણબત્તીના પ્રકાશમાં રાતભર દુનિયામાં હંમેશ માટે ભ્રમણ કરવાનો શ્રાપ આપ્યો હતો.
ઉત્તર અમેરિકામાં હેલોવીન સાથે કોળાને કોતરવાનું કામ સંકળાયેલું છે. [૧૩] અહીં કોળા આસાનીથી પ્રાપ્ય નથી, પરંતુ મોટા હોવાથી સલજમ કરતા વધારે સરળતાથી તેમને કોતરી શકાય છે.
ઘણા કુટુંબો હેલોવીનની ઉજવણી કરવા કોળાને કોઈ ભયાનક કે રમુજી ચહેરા તરીકે કોતરીને અંધારા પછી તેમના ઘરના બારણા પાસે મુકે છે.
અમેરિકામાં કોળાને કોતરવાની પરંપરા આઇરિસ વસાહતીઓના ભીષણ દુકાળના ગાળા પછી શરૂ થઈ હોવાનું મનાય છે.
કોતરેલા કોળા અમેરિકામાં સામાન્યપણે મૂળે લણણીના સમય સાથે સંકળાયેલા હતા અને 19મી સદીના મધ્યથી પાછોતરા ભાગ સુધી હેલોવીન સાથે ખાસ સંકળાયેલા નહોતા.
હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કેટલીક બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો, ખાસ કરીને ફ્રેન્કેસ્ટાઇન અને ડ્રેક્યુલાની નવલકથાઓ તેમજ અમેરિકી ફિલ્મનિર્માતાઓ અને ગ્રાફિક કલાકારોના એક સદીના સર્જનો [૧૪] અને છેલ્લે અંધકાર અને રહસ્યમયતાના વેપારીકરણનું મિશ્રણ છે.
હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યાt, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે. .
તેના પરંપરાગત ચરિત્રોમાં શેતાન, ગ્રિમ રીપર, પ્રેતો, પિશાચો, દાનવો, ડાકણો, કોળાના માનવો, ગોબલિનો, લોહી ચૂસતી વાગોળો, વેરવુલ્વ્ઝ, ઝોમ્બિઓ, મમીઓ, હાડપિંજરો, કાળી બિલાડીઓ, કરોળિયાઓ, ચામાચીડીયા, ઘુવડો, કાગડાઓ, અને ગીધોનો સમાવેશ થાય છે. [૧૫]
ખાસ કરીને અમેરિકામાં, ફ્રેન્કેસ્ટાઇન્સ મોન્સ્ટર અને મમી જેવી કાલ્પનિક ચરિત્રો ધરાવતી પ્રશિષ્ટ ભય ફિલ્મોએ પ્રતીકવાદને પ્રેરણા આપી હતી.
પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડીયો પણ પ્રચલિત છે.
હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતીકોથી શણગારવામાં આવે છે.
હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો.[૧૬]
સૌજન્ય: વિકિપીડીયા
Please read in English Read more »
કઈ જાણવા જેવું..કઈ શિખવા જેવું….
૧. અકર્મી કોને કહેવાય ?
ઊંટ પર બેઠા હોય છતાં જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો,
કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણાં પુરુષો સ્ત્રીને ધિક્કરે છે,
કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા
ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના
અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી
હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ
પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————–
૭. દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે
કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે જ ઘસાઇને સુવાસ ફેલાવશે !!
———————————————–
૮. પ્રશ્ન: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ , મોટી અને
જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
————————————————–
૯. જૂના ફર્નિચરમાંથીય જે વૃક્ષ બનાવે એ કવિ …
અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ
જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી
————————————————
૧૦, પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં
વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ
પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા!
—————————————————
૧૧. ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના:
હે પ્રભુ! બીજા ભલે અપ્રમાણિક હોય , પણ
મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી આ
દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય !!
————————————————-
Read more »
યાદ રે’વાદે
ન કર બરબાદ ઘર મારું, ભલા સય્યદ રે’વાદે,
બચેલા તણખલા માળા મહીં આબાદ રે’વાદે.
છે તારી યાદથી આબાદ દિલનો બાગ આ મારો,
ભલે ના આવ તું કિન્તુ દિલે તુજ યાદ રે’વાદે.
થયો બેહોશ, તેને હોશમાં લાવીને શું કરશે?
બિચારાના દિલે તારો પ્રણય-ઉન્માદ રે’વાદે.
કર્યા પાગલ ઘણાને રૂપથી આંજી મહોબ્બ્બતમાં,
ભલા થઈને હવે શાણો જગે એકાદ રે’વાદે.
હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ’,
મરણ થાતાં કરી માતમ નકામી યાદ રે’વાદે.
-’બેબસ’દેખૈયા
પથ્થરથી
શિકાયત ભૂલથી પણ નથી કરતો સિતમગરથી,
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.
ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરીશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સંમદરથી?
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
જગતનાં સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશ અમારા સ્નેહ-સાગરથી.
પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થતું જે ઈશ્વરથી.
મુસાફર તો વિખૂટા થાય છે ક્યારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખૂટી થઈ મુસાફરથી.
ગરીબીમાંયે ખુદારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તવંગર’રાઝ’શી નિસ્બત તવંગરથી!
-સૈયદ’રાઝ’
પ્યાલી ઉઠાવું છું

કોઈની ઈતેજારી છે, નયન પથમાં બિછાવું છું,
હું મુજ પાંપણની ઉપર ખૂનનાં મોતી સજાવું છું.
હજારો આફતો ડૂબી જશે ગભરા નહિ, અય દિલ,
હું એકએક અશ્રુની પાછળ સમંદર લઈને આવું છું.
એ નવજીવનની મુજને લેશ પણ પરવા નથી મૃત્યુ,
ખબર છે, ઠોકરો મારી નવી દુનિયા વસાવું છું.
હું મુંઝાઉં છું, મુજને ડૂબવા દેતી નથી કિસ્મત!
ઘણીએ કોશિશોથી નાવ તોફાનોમાં લાવું છું.
ઉઠાવું શાને તુજ અહેસાન,ઓ તકદીર, આજે તું,
હું મુજ હસ્તીને જો, મારા જ હાથોએ મિટાવું છું.
મને જોતાં સુરાલયમાં ઘટા કાળી ચડી આવી,
ખુદાનું નામ લે ‘યાવર’ હવે પ્યાલી ઉઠાવું છું.
-યાવર
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,

અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ એક ઉઠાવી, બનાવ્યા પાળીયા
ગામ પાદરે પૂજાયા પાળીયા.
કોઈ ઉઠાવી,બનાવી મૂર્તિ ઈશ્વરની,
મંદીરમાં મૂકી ધર્યા પકવાન.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મૂતિ નેતાની,
ધુળ ખાતી,ચકલી ચરકતી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી કબર,
હતી લાશાની આંખો ઉઘાડી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મા ની મૂર્તિ,
જીવતી થઈ ગઈ મા મરેલી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
આવો અમારે ભાવનગર

શેરીએ, શેરીએ સાદ દેતા કવિ જ્યાં નજરે ચડે,
આવો અમારે ભાવનગર.
ગામ વચ્ચે તળાવ મોટું, છોકરા છબ-છબીયા કરે,
આવો અમારે ભાવનગર.
ગંગા-જળીએ કપડા ધોતી, રુડી નાર નજરે તરે,
આવો અમારે ભાવનગર.
ઘોઘાનો ઘુઘવાટ એવો, જ્યાં લંકાની લાડી મળે,
આવો અમારે ભાવનગર.
વિશ્વ-વિખ્યાત ગાંઠીયા, પેડા શિહોરી સસ્તા મળે,
આવો અમારે ભાવનગર.
ભાવ-ભૂખ્યા ભાવનગરી,જ્યાં આદર ને સન્માન મળે,
આવો અમારે ભાવનગર.
રુવાપરી-તખ્તેશ્વર, જ્યાં તીર્થધામ જશોનાથ મળે,
આવો અમારે ભાવનગર.
સહેલતા સુંદર નર-નારી જ્યાં એવા સુંદર બાગ મળે,
આવો અમારે ભાવનગર.
ગૌરી-શંકર-સરોવર જ્યાં પાણીમાં મીઠાશ મળે,
આવો અમારે ભાવનગર.
કવિ કલાપી, કવિ કાન્ત, જ્યાં કવિઓનો દરબાર મળે,
આવો અમારે ભાવનગર.
નૂતન-વર્ષાભિનંદન…
![image003[1] image003[1]](http://vishwadeep.files.wordpress.com/2009/10/image0031.jpg?w=326&h=237)
નવા વર્ષની સૌ વાચકમિત્રોને ફૂલવાડી તરફથી શુભ-કામના, નવું વર્ષ આપ સૌ માટે સુખદાયી, આનંદદાયી નિવડે એજ શુભેચ્છા..
હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષને આવકારીએ..
કાળી ચૌદશ(નરક-ચતૃરદર્શિ)
(કાળી ચૌદશને દિવસે ગુજરાતમાં ઘરમાંથી કકળાટ કાઢવા માટે તે દિવસે..તેલમાં વડા(દાળવડા) તળી પહેલો ઘાણ શેરી કે પોળના ચાર રસ્તા પાસે પધરાવવાંમાં આવે અને પછી પાણીનું કુંડાળું કરવામાં આવે..માન્યતા એવી પ્રવૃતે છે કે એથી ઘરમાંથી કકળાટ જાય! ખરેખર તો એ દિવસે દિલ સાફ કરી મનનો મેલ ધોઈ..આત્માને શુદ્ધ રાખી પ્રમાણિકતાથી જીવવાનો છે.)
નર્કસૂરનામે એક અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.
સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું.કૃષ્ણએ સત્યભામાને શક્તિ પ્રદાન કરી. નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી.કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા.વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ,સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે( કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી,ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરેછે.
નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ!
આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરેછે.મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.
ગુજરાતમાં અને કાઠીયાવાડમાં આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરેછે..સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરેછે..
In English
Legends behind Chhoti Diwali
The story goes that the demon king Narakasur ruler of Pragjyotishpur (a province to the South of Nepal) after defeating Lord Indra had snatched away the magnificent earrings of Aditi, the Mother Goddess (the ruler of Suraloka and a relative of Satyabhama, Lord Krishna’s wife) and imprisoned sixteen thousand daughters of the gods and saints in his harem.
On coming to know about this, Satyabhama was enraged by Narakasura’s malevolence towards women, and she appealed to Krishna to give her the golden chance to destroy Narakasura. The legend also says that Narakasura was given a curse that he would be killed by a woman. Krishna granted Satyabhama a boon to fight with Narakasura. With Krishna as the charioteer, Satyabhama entered the battle field. During the war, Krishna swooned for a while, a preordained divinely act adopted to empower Satyabhama to kill the demon. After Narakasura was beheaded, the imprisoned women were released, and Krishna accepted to marry them.
So on the day previous to Narakachaturdashi, Lord Krishna’s divine intervention led to the killing of the demon, Narakasura and liberation of the imprisoned damsels as well as recovery of the precious earrings of Aditi. As a symbol of that victory Lord Krishna smeared his forehead with the demon king’s blood. Krishna returned home in the very early morning of the Narakachaturdashi day. The womenfolk massaged scented oil to his body and gave him a good bath to wash away the filth from his body. Since then the custom of taking bath before sunrise on this day has become a traditional practice specially in Maharashtra.
It is interesting to note that Bhudevi, mother of the slain Narakasura, declared that his death should not be a day of mourning but an occasion to celebrate and rejoice. Since then, Deepavali is being celebrated by people every year with joyous celebrations with lot of fun and frolic, and fire works.
In South India that victory of the divine over the mundane is celebrated in a very peculiar way. People wake up before sunrise prepare a paste by mixing Kumkum in oil, symbolizing blood and after breaking a bitter fruit that represents the head of the demon King that was smashed by Krishna, apply that mixture on their foreheads. Then they have an oil bath using sandalwood paste.
In Maharashtra also, traditional early baths with oil and “Uptan” (paste) of gram flour and fragrant powders are a `must’. All through the ritual of baths, deafening sounds of crackers and fireworks are there in order that the children enjoy bathing. Afterward steamed vermicelli with milk and sugar or puffed rice with curd is served.







