ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલો આજે બહાર જમવા…


બહાર આવે જમવાની ઘણી મજા,
પછી  કેવી   ભોગવવી પડે   સજા!

July 5, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | No Comments

ના પાડી …

દુઃખ એ  વાતનું   નથી  એમણે  ‘ના’ પાડી,
વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના” પાડી..

નયને ‘હા’ પાડવા છતાં,
તારી નજરે’ના’ પાડી.

દિલે ‘હા’ પાડવા છતાં,
તારા હોઠે મને ‘ના’પાડી.

મારા પ્રત્યે ના વિશ્વાસ’હા’ પાડી છતા
ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન
 ના ડરે મને ‘ના’ પાડી.

લખવા માગુ છું ઘણું બધુ પણ
આ પેને મને ‘ના’ પાડી,
ના ભલે પાડી પરંતું મને
લાગેછે કે’ના’છુટકે ‘ના’ પાડી.

કવિ-અનજાન ( કોઈને ખબર હોયતો જાણ કરશો?)

July 5, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | No Comments

Happy Independence Day!

227 years ago…on July 4th, 1776
This great nation, the United States of America,
In a struggle for what was right and free,
Was proudly born…
May we celebrate that precious freedom
For which our forbears fought so brave
The freedom that is inherent
In the Stars and Stripes, our revered flag…
Celebrate Freedom
This Fourth of July!

The Anthem
The Defense of Fort McHenry
by Francis Scott Key
20 September 1814

Oh, say can you see, by the dawn’s early light,
What so proudly we hailed at the twilight’s last gleaming?
Whose broad stripes and bright stars, through the perilous fight,
O’er the ramparts we watched, were so gallantly streaming?
And the rockets’ red glare, the bombs bursting in air,
Gave proof through the night that our flag was still there.
O say, does that star-spangled banner yet wave
O’er the land of the free and the home of the brave?

On the shore, dimly seen through the mists of the deep,
Where the foe’s haughty host in dread silence reposes,
What is that which the breeze, o’er the towering steep,
As it fitfully blows, now conceals, now discloses?
Now it catches the gleam of the morning’s first beam,
In full glory reflected now shines on the stream:
‘Tis the star-spangled banner! O long may it wave
O’er the land of the free and the home of the brave.

And where is that band who so vauntingly swore
That the havoc of war and the battle’s confusion
A home and a country should leave us no more?
Their blood has wiped out their foul footstep’s pollution.
No refuge could save the hireling and slave
From the terror of flight, or the gloom of the grave:
And the star-spangled banner in triumph doth wave
O’er the land of the free and the home of the brave.

Oh! thus be it ever, when freemen shall stand
Between their loved homes and the war’s desolation!
Blest with victory and peace, may the heaven-rescued land
Praise the Power that hath made and preserved us a nation.
Then conquer we must, for our cause it is just,
And this be our motto: “In God is our trust.”
And the star-spangled banner forever shall wave 
O’er the land of the free and the home of the brave!

July 4, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

સ્વગતોકતિ-નિરંજન ભગત

મૅરિન સ્ટ્રીટ - પડખેથી આંધળો પસાર  થાય છે, એને જોઈ ને
ફેરિયો-’  આ આંધળો છે છતાં
            ફરતો ફરે છે  બેપત્તા

ગિરગામ રોડ,પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને
આંધળો- ‘ આ કોણ છે ? જેની નજર તોફાન મચવે,
         ને હથેલીમાં  રૂપાળું   આ જગત  નચવે.

કોલાબા- પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને
ભિખારી-’ અરે!આ દેહ પર છે કેટલી દોલત!
        દસમા  ભાગની મારી કને જો હોત તો આમ ન બોલત!

ઍપોલો- પડખેથી પતિયા પસાર થાય છે , એને જોઈને
વેશ્યા-’ અહો, શી ખુશનસીબી! કોઈની આંખ જ્યાં રોકાએ ના,
       છૂરી સમી ભોકાય ના!

બોરીબંદર -પડખેથી કવિ પસાર  થાય છે, એને જોઈને
પતિયો- ‘વેશ્યા, ભિખારી , આંધળો અને ફેરિયો,
       કહો, કેમ લાગે છે મને સૌ આ જનમના વેરીઓ?

મધતરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં
કવિ..
    “બસ ચૂપ રહો, નહી તો આહીંથી ચાલવા માંડો…
 

July 3, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | No Comments

મૃત્યુ..

 
મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા  ઘરમાં ઘૂસી  શકે છે.

મૃત્યુ લજ્જા વગરની  લલના  છે,
એ તમારો  હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકીટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો  ગુનેગારે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે  ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબી છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.
મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેર માલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્ર્લ સુધી દોડી શકે છે.
અને બહેરીનથી બૉમ્બે સેન્ટ્રલની
ફલાઈટ કેન્સલ કરાવી શકે છે, છતાંયે,
માત્ર મૃત્યુ જ એક  વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે  ગમે ત્યાં!

-ચંદુ મહેસાનવી-(૦૫-૦૯-૧૯૪૪) મૂળ નામ ચંદુલાલ  ઓઝા, વતન મહેસાણા. હાલ અમદાવાદ સિટી સેશન્સ જજ તરીકે  સેવા આપે છે.’તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘાપેલા મૌન’એમના કાવ્યસંગ્રહો. સંપાદન પણ કરે છે.

 

July 2, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

….અથવા પ્રભુ, તું ન મળે તો સારું

હે પ્રભુ !
જો તું કોઈક વાર મને ક્યાંક  મળી જાયને
અને કહે કે ,
‘માગ, માગ, જે માગે તે  આપું’
ત્યારે , હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે ,
જેથી હું કાંઈ  બોલી ના શકું.
ફક્ત તારી સામે  નજર માંડી રહું.
કારણ… તું તો અંતર્યામી છે..
અને જો આપણું  મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે જો મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

દિનેશ દલાલ(૧૯-૦૮-૧૯૩૫) -’કવિતા’ના કાવ્યમય મુખ્પૃષ્ઠ માટે જાણીતા, અનુવાદક       અને ક્યારેક કાવ્યો પણ લખે છે.             
                   
 

 

July 1, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 7 Comments

શોધ(એકીશ્વાસે વાંચો)

 આપણે એક એવા જાદુગરની શોધમાં છીએ જે ઘડિયાળને આંખ અને પગ  આપે એટલુંજ નહિ ચશ્મા અને મોજાં પહેરાવે હવાના  હાથને પાછળથીબાંધી ધક્કેલી દે મિલોની ચીમનીઓમાં નીચે સૂતેલા કારીગરના પોલાદી સ્વપ્નાં તેની ખૂલ્લી નાસિકામાંથી ધોળા  કબૂતરનાં રૂપ લઈ ઊડી જાય સારોવરના કાંઠે ખોપરિઓના  હારડા જેવાં વૃક્ષો પ્રભુનો’ મૅસેજ’ આપતા ‘વાયરલેસ પોલ”બની જાય પાંદડે પાંદડે પ્રલયની તારીખોના સિક્કા માર્યા હોય ઘરડા ચિત્રગુપ્તના હાથનાં વાહનો અને સાંચાઓના ઠરડાયેલા ઘાંટા સૂરજચંદ્રના ગળે ઘંટની જેમ કે ઘંટીના પડિયાની પઠમા લટકાવેલા જોઈ શકાયતો સોનાની બિલાડી અને તાંબાની ઊંટની જાત્રાની ગાથા નરકનું નગારું પીટી ગાઈ શકીએ થરમોસમાં પુરાયેલા સાત સંમુદરોનું મંથન બૂચ ખોલતાં સમી જાય પ્રતિકરૂપે એક પરપોટો તર્યા કરતો હોય બૃહસ્પતિના વ્યભિચારિ જોવા મળે જેમાં શહેરનું એક ટાવર અન્ય મિનારાને આંગળીના સંકેત કરી સમજાવે કે ચલો ઊઠો અહીંથી આ  ઠીંગણશીઓના મલકમાંથી આપણે મક્કા હજ કરી આવીએ અને રુદને ચઢેલા કાબાના પથ્થરને શૂન્યનું અભ્ય્ંગસ્નાન આપીએ ખૂરશી ખાલી પડતી નથી થાકી ગઈ છે એ અને  પયગંબરોનો વસ્તી વધારો જાદવાસ્થળી કરાવ્યા વિના નહી રહે નદીઓના નીર સુકાઈ સુકાઈને લોકોને લોહીનું પાણી પૂરું પાડવાના પેંતરામાં નોતરી રહી છે તેમ એક સ્વિચ દબાવો ને આકાશનું પતરું આખું હેઠે આવીને  અળસિયા સુધ્ધાંને રિપ્રેસ કરીને ચાલ્યું  જઈ શકે સ્કાયસ્ક્રેપર પરના ધાબેથી એક શુષ્ક પાંદડું ધુબાકા સાથે’ડાઈ’ લાગાવે ત્યારે ડામરના સરોવરે સરતી એક મોટી હાઉસબોટનું બૅન્ડ(ઈન એટેન્ડન્સ) અખિયા મિલાકે જીયા ભરમાકે વગાડતું એ પરદેશી પર્ણને વાસંતી વાઘો પહેરાવીને જ છૉડે રેડિયો પરથી રનિંગ સાઈરનો વાગતી જાય જેની ધૂનમાં પ્રત્યેક  પ્રાણીના શ્વાસમાં એકે એક તીતીઘોડો પહેલાં રોક ઍન્ડ રોલ કરીલે  અને જંપી જાય જેના ધ્વનિનામ પ્રતિબિંબો  ઝૂંપડાની જાળી પાસે ઝૂલતા કૂર્માવતાર કે વરાહાવતારનાં કૅલેનડરોને ઊંચાનીચાં કરે ખૂણે ખાચરાનું ખણે ચઢેલું ખરજવું લોહીલોહાણ થઈ એક નવો પોપડો રચી દે તેની તળે અનેક નગરના બ્રહ્માંડોની વસાહત સ્થાપી શકાય પણ હવે તો ઈંડાની જ સપ્તધાતુ દૂષિત થઈ છે ત્યાં હાય જાદુગર, ઓય જાદુગર…જયહિન્દ.

-રાધેશ્યામ શર્મા (૦૫-૦૧-૧૯૩૬૦)નવલકથાકાર, કવિ,વાર્તાકાર, વિવેચક.સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. અવારનવાર દેશ-પરદેશના કાવ્ય આસ્વાદો પણ કરતા રહ્યા છે.’આંસુ”, નિષ્કારણ’એમના કાવ્ય સંગ્રહો.નવોદિત કવિઓને પ્રોતસાહિત કરનાર,સાદગી ધારણ કરતા એક ઉત્તમ કવિ.
 

June 30, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

તોફાન-મેઘનાદ ભટ્ટ

મારા શૈશવના સ્મશાનમાં
પોઢી ગયેલી ક્ષણોને
પુનર્જન્મ  આપો
તો…

દરિયાની ભીંસમાં ચગદાયેલ આ શહેરને
મારા  ગામની નદીથી  નવડાવી દઉં,
સમુદ્રનાં આ તોતિંગ  મકાનો પર
નદી ઉપરનાં હિરણ્યગર્ભ  વૃક્ષોનાં
હરિયાળાં તોરણો બાંધી દઉં
અને
ગાડા નીચેના શ્વાન જેવા
જનસમુદાયને,
મારા ફળિયાના રાજા
-ઓલા  લાલિયા કૂતરા
જેવી  રાડ પાડતાંય શીખવી દઉં.

કલ્લોલથી  કલબલ   કરતી
મારા  શૈશવની એ ક્ષણોના
પુનર્જન્મને આવકારવા
ફાઉન્ટનના સુકાયેલા ફુવારામાં
એક એવું તો ધનંજય બાણ મારી દઉં
કે
અસહાય બનીને
ભરસભામાં દ્રોપદીનાં વસ્ત્રહરણના મૂક  સાક્ષી બની
રહેલા
ભિષ્મ પિતામહની  નીંદરઘેરી આંખો
ઉના એ પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય.

- મેઘનાદ ભટ્ટ(૨૪-૧૦૧૯૩૬-૨૨-૦૪-૧૯૯૭) ૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્ય સંગ્રહ’છિપલાં’માં આ કવિ કહે છે ‘કવિતા  મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાંખે , અસ્વસ્થ કરી મૂકે એવી છે . કવિતા નએ વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ’મલાજો’૧૯૮૮મા પ્રકટ થયો.

June 27, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

નારી ! તું તારિણી-મીરા ભટ્ટ.

આપ-ઓળખનો પરોઢ સમો ઉઘાડ

મીરા બેન ભટ્ટનું મૂળ વતન ભાવનગર,સ્ત્રી ઉદ્ધાર, સ્ત્રી -શક્તિ  જાગરણ એ એમનું પપ્ર્મૂખ કાર્ય રહ્યું છે. હું એમને ઘણાં સમયથી મળાવાની ઈચ્છા ધરાવતો હતો કે જ્યારે વતન જાવ ત્યારે આ લેખિકાને મારે જરૂર મળવું છે. એમના વિષે ઘણું જ સાંભળ્યું હતું .પણા જ્યારે રૂબરૂ એમને વડોદરા મળ્યો ત્યારે એવો અહેસાસ થયો કે જાણે એમને હું વર્ષોથી ઓળખું છે, એટલી આત્મયિતા બંધાય ગઈ. એક મોટી બહેન મળી એટલો પ્રેમ મળ્યો, ઘણી વાતો કરી  અને અત્યાર  સુધીમા એમના લખેલ બધાજ પુસ્તકો મને ભેટ રૂપે આપ્યાં,આશિર્વાદ પણ મળ્યા.એમની આ બુક”નારી! તું તારિણી”માંથી થોડા અવરતણો લેખ રુપે મુકી રહ્યો છું, આશા છે કે આપ સૌને ગમે.)

  **************************************************************************

 આજના યુગની નારી શોધી રહી છે પોતાનો ચહેરો,સાચ્ચો ચહેરો, કોઈ પણ મહોરા વગરનો ચહેરો. આજે સમસ્ત વિશ્વના નારી સમાજની આપ ઓળખની એક ઊંડી તલાશ, એક ગહન ખોજ ચાલી રહી છે-જીવનનો અર્થ પામવા એ મથી રહી છે.

  અરીસા સામે યુગયુગાંતરથી એ ઊભતી આવી છે.કોઈ એ કહ્યું “નારી તું તો કામિની છું , મોહિની છું  અદભૂત છે તારી કાયા. કામણાગારાં છે તારા રૂપ!તું પૃથ્વી પરનું અમૃત છે!”

  કોઈકે કહ્યું,’ નારી  તારું મંગળામય રૂપ છે તારું માતૃત્વ. હે મા, તું તો સાક્ષાત પ્રભુનો પયગંબર છે. તું મુક્તિદાયિની માતા.’

કોઈને એને “નારી તું નારાયાણી’ કહી, તો કોઈકે નારી-નરકની ખાણ’ રૂપે પણા બિરદાવી. કોઈકે એને ‘લક્ષ્મી’ કહી તો કોઈકે એને ‘પથ્થરો’પણ કહી . અત્યાર સુધી બીજાએ એને જે જે વિશેષણો આપ્યાં તેમાંજ પોતાના પ્રતિબિંબ ને શોધતી રહી. પરંતુ આજની સ્ત્રીને હવે આ ઈતર સાથે જોડાઈને  આવતી ઓળખ પર્યાપ્ત નથી. એણે   તો હવે જાણવું છે કે  એ પોતે કોણ છે? કોઈના અનુસંધાનને ઓળખાતું રૂપ નહીં, પોતાનું સગું રૂપ! મૂળ સ્વરૂપ! પોતાના જ પગ પરૂ ભેલું , સ્વાયત્ત, સ્વાધિન, સ્વતંત્ર રૂપ!

   અત્યાર સુધી એ પોતે સુધ્ધા પોતાને પુરુષ   સાથેના સંબંધે જ ઓળાખાતી રહી. દીકરી, બહેન, પત્ની, મા જેવી બીજી અસંખ્ય ભૂમિકાઓ  યુગયુગાંતરથી એ ભજવતી  આવી, પરંતુ  ક્યારેય એણે અંતરમાં ડોકિયું ન કર્યુ કે આખરે તે પોતે  કોણ છે?

દર્પણા તો એનું એ જ છે, પણા કોણ જાણે ક્યાંથી એનાં વિધવિધ સ્તર આજે નારી સમક્ષ ખૂલ્લાં થઈ રહ્યાં છે અને કવિ ઉશનસ કાહે છે તેમ ,

  “દર્પણામાં ફૂટ્યું  ક્યાંથી આટલું અતલણું !
   ઊભી   ઊભી   ઊંડી  જાઉં    છું ઊતરી !”

આજે સ્ત્રી પોતાના વ્યક્તિત્વને લપેટી વળાગેલા બહારના તમામ વઘા ઉતારી અરીસા સામે જોઈ પોતાનું મૂળ સ્વરૂપ શોધવા  નીકળી છે ત્યારે પ્રતિતી થાય છે કે પોતાની ભીતર તો શક્તિનો અખૂટ -અપાર  મહાસાગર ઘૂઘવી રહ્યો છે! એ પોતાના પગ પર ઊભી રહેલી એક સ્વતંત્ર હસ્તિ છે.
   એ ‘બિચારી’નથી , ‘ઓશિયાળી ‘ નથી ‘ગોણ “નથી. પાણો તો હરગીજ નથી જ નથી. એ  તો એક …( ક્રમશ..)

June 25, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 2 Comments

એક ગઝલ-”નયન” ગાંધી

તને  આખું  ચમન  છોને  જુએ  છે   ખૂબ  ધારીને,
તને   હું  બાગમાં   લાવ્યો  નઝર એની  ઉતારીને.

દવા  સામે    નથી  મારી    કદી  શિકાયત   પણ,
ભલા  તું  એક વેળા  તો  તપાસી  લે,   બિમારીને.

મિલનમાં  પણ વિરહની વેદનાઓ  યાદ  આવે છે,
ફરી  કંપે  બદન, એના   વિશે  પાછું     વિચારીને.

ખબર  છે કે    કદીયે  જાન  મારો   તું  નહીં  માગે,
કરું    છું   એટલે  વાતો    મહોબતની    વધારીને.

મને  એની ખબર ક્યાંથી  પડે  કે  શું   લખું છું હું,
‘નયન’ તું ગોઠવીને  વાંચજે  કાગળ  સુધારીને.

June 24, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | No Comments

મા-બાપની ફરજો..

Cross am I sometimes

with my little daughter

fill her eyes with tears

forgive me Lord;

united my various soul

sole watch man of the wide

& single stars.

-john Berryman

*******************************

ઘણા   માણસો    હમેશાં   ઉપદેશ    આપીને
અને    પોતાથી   નાના  હોય   તેમને  ઠપકો
આપીને સામી વ્યક્તિનાં દિલ દુભાવતા   હોય
છે. જાણે  પોતે જ પવિત્ર  રહી  શકે છે  અને
પોતે  કોઈ  ભૂલ  કરતા  નથી  અને  પોતાનાં
પુત્ર-પુત્રી  કંઈ ભૂલ કરી બેસશે  તેમ  માનીને
ટોક    ટોક  કરતા  હોય  છે. તેમ કરીને  આપણે
તદ્દન   કોમળ     હૈયાને  દુભાવીએ     છીએ.
આપણાં બાળકો  આપણા  આત્મા  જેવાં  છે તે
આત્માને પીડવા તે આત્મપીડન જેવું છે. તેને
પીડવાને  બદલે  એ  બધા  સાથે  આત્મસાત
થઈ  જવું  જોઈએ.આકાશના તારા  પ્રકાશીને
પોતપોતાની  ચોકી  કરે   છે તે  રીતે  તમામ
બાળકો  પોતાનું આત્મપરિક્ષણ  કરીને પોતાની
જ   ચોકી  કરે     તેવી  સ્વતંત્રતા  મા -બાપે
બાળકોને  આપવી  જોઈએ.

“પ્રેરણાની પળોમાં”-કાન્તિ ભટ્ટ

June 23, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

કાર્ટુન( હસો અને હસાવો)-મહેન્દ શાહ

-Mahendra Shah

**************************************************************************************************

 

June 21, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 1 Comment

“સ્ત્રી”.ચંદ્રકાંત બક્ષીની દ્રષ્ટીએ..

સ્ત્રીઓ સતી થાય છે એકજ જગ્યાએ-બીજાની પથારીમાં.

“સ્ત્રી બુદ્ધી પગની પાની એ “.જેવી કહેવત શોધનારના  આખા  શરીરમાં કદાચ બુદ્ધીનો  કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય!

સ્ત્રીની સુખની  શું વ્યાખ્યા છે. એ સ્ત્રીને સ્વયં  ખબર હોતી નથી, અને મહાન માનવશાસ્ત્રી સિગમંડ ફ્રોયડે અભ્યાસ  કર્યા  પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈ એ છે એ હું સમજ્યો નથી!

સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત  થઈ ચુક્યો છે , રાઈટ ટુ (માય) બોડી! મારા શરીર પર મારો અધિકાર ! અને  અધિકાર બોધનો અગ્નિ સમાજનાં બધાં જ પારંપારિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી દેશે.

એકલી સ્ત્રીનો સૌથી ક્રૂર  શત્રુ  હોય છે, ભવિષ્ય. અને સૌથી ક્રૂર ભય  હોય છે એકલતા.

ઔરતોની આંખો જિંદગીભર બુઢ્ઢી થતી નથી…

મમ્મી સૌથી વહેલી ઊઠે છે, સૌને સૂવાડીને એ સુવે છે. રાત્રે દરવાજા બંધ કરીને  અંધકારને કાઢી મૂકે  છે, સવારે બારીઓ ખોલીને અજવાળું લઈ આવે છે. ગળું ભરાઈ આવે એવું સરસ હસે છે. ભૂખ લાગે છે, ખૂશી થાય છે. લોહી  નિકળે છે, ગળું  ગરમ થાય છે, આંખો બળે છે ત્યારે  મમ્મી ચોવીસે  કલાકનો કબજો લઈ લે છે. મને હજી  સમજાતું નથી કે  દરેક મમ્મી કેવી રીતે   ઘરમાં સૌથી વહેલી ઉઠે છે, અને સૌથી મોડી સૂઈ  જાયઈ છે? દરેક મમ્મી  જગતની શ્રૅષ્ઠ  રોટલી  કેવી રીતે  બનાવે છે? દરેક મમ્મીની આંખો સૌથી સ્વચ્છ કેવી રીતે  હોય છે? દરેક મમ્મી કેમ કંઈ  માગતી નથી?

સ્ત્રીઓ માટે મને જરા સૉફ્ટ કોર્નર છે, હું આજીવન સ્ત્રીઓનો પ્રેમી  રહ્યો છું. બહેન ન હતી, માતા  નથી, અને મને લાગ્યું છે કે સ્ત્રી છે માટે પૃથ્વી ફરે છે, ઋતુંઓ  બદલાય છે, સૂર્ય ઊગેછે, જિંદગી  ગુજરતી  જાય છે. આ પૃથ્વી પર સ્ત્રી ન હોત તો હું કદાચ આપઘાત કરી નાંખત…

 

 

 
 

June 20, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 11 Comments

તુલસીનું પાંદડું..

મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી  ખીણમાં પડતો વરસાદ
           ક્યાંક છૂટાછવાયાં  ઢોર  ચરતાં,
ભુલકણી  આંખનો ડોળો  ફરે ને
           એમ  પાંદડામાં  ટીપાંઓ  ફરતાં.

મેં તો આબરૂના  કાંકરાથી પાણીને કુંડાળું દીધું.
પાણીનાં ટીપાંથી  ઝગમગતા   ઘાસમાં
           નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા  કંદબના  ઝાડમાંથી મોઈ ને
          દાંડીઓ  બનાવીને  રમતા.

મેં  તો  વેશ્યાના  હાથને  સીતાનું  છૂદણું    દીધું.
મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

-અનિલ જોશી

 

June 19, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 6 Comments

હજારો ખેલ ખેલ્યા કરે..

કોઈ સ્મરણની હોળી, કોઈ સ્મરણની દિવાળી કરે,
મન   ક્યારે ક્યારે   કદી   જુદુ   જુદુ  જલન  કરે.

 

આશને   અરમાન  વચ્ચે  માનવી  ઘુંટાયા  કરે,
જિંદગી  કેવા   કેવા  તોફાનો     જગાવ્યા    કરે.

 

સમય-આધિને  ગોળ,  ગોળ   કેમ  ફર્યા    કરે?
અંતમાં તો  એમની  ઓળખાણ  ગુમાવ્યા   કરે.

 

ટુંકી    જિંદગીમાં    હજારો   ખેલ   ખેલ્યા  કરે,
અસ્તીત્વની   આરતી   ખુદની   ઉતાર્યા   કરે.

 

 

 

 

                                                                                            

 

June 18, 2008 Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 6 Comments