"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માત્ર મનની વ્યથા લખું છું !

કયાં કોઈ કાવ્ય  લખું છું ?
માત્ર મનની વ્યથા લખું છું..

ડુબુ છું ખાબોચિયામાં ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

બળુછું રોજ જવાળામાં ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

વિષના ખુટડા પીઉં છું ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

આંખમાં આંસુ સરી પડે ત્યારે
માત્ર મનની વ્યથા લખું છું..

કોઈ કાંધો દેનાર નથી ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

“દીપ’ બળીને  ભસ્મ થાય  ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

September 14, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 5 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers