"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ડરવા જેવું કંઈજ છે નહીં.

 
                 રાત્રે ચાલી  રહેલો માણસ ખડક પરથી લપસી પડ્યો. તેને ખબર પડી હતી કે ત્યાં ઊડી ખાઈ હતી. ડર લાગ્યો કે તે હજારો ફીટ નીચે પડી જશે. આથી તેણે ખડક પાસેની એક ડાળખી પકડી લીધી. રાત્રે તેને તળીયા વિનાની ખીણ  સિવાય કંઈ દેખાતું નહોતું. તેણે બૂમો પાડી પણ તેનાજ પડખા જ સંભળાતા.બૂમો સાંભળનારું કોઈ હતું નહી.

                 આખી રાત એ માણસે વેઠેલી યાતનાની કલ્પના કરી શકાય એમ છે.પ્રત્યેક ક્ષણ તેને મૃત્યુ દેખાતું. તેના હાથ ઠરી જતાં, તે પક્કડ ગુમાવી બેસતો…અને સૂર્યોદય થતાં એણે નીચી જોયું. જોતાં જ તે હસી પડ્યો. ક્યાંય ખીણ ન હતી. ફક્ત છ ઈંચ નીચે બીજો ખડક હતો. તે આખી રાત આરામ કરી શક્યો હોત. સારી રીતે ઉઘી શક્યો હોત. કેમ કે ખડક ઘણો મોટો હતો. પણ તેની આખી રાત દુ:સ્વપ્ન સમાન બની રહી.

                મારા ખુદના અનુભવ પરથી હું તમને કહી શકું કે: ભય છ ઈંચથી વધુ ઉડો હોતો નથી. હવે એ તમારી પર છે કે તમે ડાળીને વળગી રહેવા માંગો છો અને એ રીતે તમારી જીંદગીને દુ:સ્વપ્નમાં પરિવર્તિત કરવા માંગોછો કે પછી તમને  ડાળી છોડીને તમારા પોતાના પગ પર ઉભા રહેવું ગમશે?

               ડરવા જેવું કંઈજ છે  નહીં.
-ઓશો

December 31, 2009 Posted by | ગમતી વાતો | Leave a Comment

Happy New-year

December 31, 2009 Posted by | સ્વરચિત રચના | Leave a Comment

સમજણની શેરીયુંમાં..

 

સમજણની શેરીયુંમાં
      હું નો હું હરુંફરું ને બેસું
      હુંનો હું ગાઉ હું  સાંભળુ
      હુંનો  હું  હોંકારા   દઉં
          સમજણની શેરીયુંમાં…

આવન-જાવન રસ્તા ખુલ્લા
એમાં વળી અટપટી કેડીયું
હુંનો  હું  દોડું, હું    થોભું
હુંનો હું   ચડું  ને   ઊતરું,
      સમજણની શેરીયુંમાં…

આંગણિયે   અવસર હુંનો હું
ઢોલ    નગારા     જંતર હું
હું નો હું વગાડું,હુંનો હું નાચું
      સમજણની શેરીયુંમાં…

‘ભરતજી’માં હું    નો હું
અંતરથી ઉમંગી શબ્દ હું
હું  રાધાને   હું   કાનજી
હું   અર્જુનને  હું  સારથિ
હું  જીવ આત્મ, શિવ હું
       સમજણની શેરીયુંમાં…

-દાસ’ભરતજી
ભાવનગર

December 30, 2009 Posted by | મને ગમતી કવિતા | Leave a Comment

ઈશ્વર તરફ..

December 30, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 Comments

ક્રીસમસ(નાતાલ)ની વાર્તા..

નાતાલ એટલે ઇસુજયંતી કે ખ્રિસ્તજયંતી. ખ્રિસ્તી ધર્મના કેન્દ્રમાં ભગવાન ઇસુ ખિ્રસ્ત છે. એટલે દુનિયાભરની સમગ્ર ખ્રિસ્તી આલમ ઇસુનું જન્મપર્વ નાતાલ ઉજવે છે. પરંતુ આજે કેવળ ખ્રિસ્ત આલમ જ નહીં પણ ઇતર ધર્મોના લોકો તેમજ કોઇ ધર્મમાં ન માનનારા લોકો પણ નાતાલનું પર્વ ઉજવે છે. ઘણા બધા લોકો એક જ પર્વ ઉજવે ત્યારે એમાં ખૂબ વૈવિઘ્ય અને ભિન્નતા પણ જૉવા મળે છે. મોટા ભાગના લોકો પરંપરાગત રીતે દર વર્ષે ડિસેમ્બરની ૨૫મીએ નાતાલ ઉજવે છે. તો અમુક ઓર્થોડૉકસ ખ્રિસ્તી સંપ્રદાયના લોકો જાન્યુઆરીની છઠ્ઠીએ નાતાલ ઉજવે છે. પણ ખરી વાત એ છે કે ભગવાન ઇસુનો જન્મ કયા દિવસે થયો છે તે વાત ચોકસાઇથી આપણે જાણતા નથી. તેરતુલિયન અને ઓરિજીન જેવા જાણીતા ઇતિહાસકારોએ ચોથી સદીમાં રોમ અને આફ્રિકામાં નાતાલ ઉજવવાની વાત કરી છે.

આધુનિક ઇતિહાસકારો ઇસુનો જન્મ ઇસવીસન પૂર્વે ૭ અને ૬ વર્ષના ગાળામાં થયો છે એમ માને છે. આમ તો ઇસવીસનની ગણતરી ઇસુના જન્મથી કરવામાં આવી છે. પરંતુ ડાયોનિષ્યસ એગ્િઝગૂસે (ઝiંઁક્કસ્ન્iયસ્ન્ રહૃiયિંયસ્ન્) કરેલી એ ગણતરી ખોટી હતી, તે આજે સૌ જાણે છે. છતાં સૌ સ્વીકારે છે કે ઇસુનો જન્મ કોઇ દંતકથા નથી પણ ઇતિહાસની ખરી વાસ્તવિકતા છે. કેવળ બાઇબલના નવા કરારની વાત જ નહીં પણ રોમના ઇતિહાસમાં પણ ઇસુના જન્મનો પુરાવો મળે છે. પણ ખ્રિસ્તઓ માટે બાઇબલમાં ઇસુ વિશે શુભ સંદેશકારોએ કરેલી વાત જ આધારભૂત છે. એમાં ઇસુના જન્મ અને બાળપણની વિગતવાર વાત સંત લૂકકòત શુભ સંદેશમાં આવે છે. લૂકે કરેલા ઇસુના જન્મના વર્ણનમાં ઇતિહાસના સંદર્ભનો ઉલ્લેખ કર્યોછે. પરંતુ લૂક ઇતિહાસકાર નથી અને ઇતિહાસ લખવાનો એમનો પ્રયત્ન પણ નથી. લૂક તેમજ બીજા શુભ સંદેશકાર માથીએ કરેલા ઇસુના જન્મની વાતમાં ઇતિહાસ કરતાં શ્રદ્ધાપ્રેરિત વર્ણન છે. આ વાત માથ્થીએ આલેખેલા ઇસુના જન્મની વાતમાં આપણે વધુ સ્પષ્ટપણે જૉઇ શકીએ છીએ. માથી ઇસુના અવતારનું વર્ણન કરતાં લખે છે, ‘હવે ઇસુ ખિ્રસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો: એમનાં માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયાં હતાં. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલૂમ પડયું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાંડા પાડવા ઇરછતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટાં કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઇને કહ્યું, ‘હે દાવિદપુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ધેર તેડી લાવતાં ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઇસુ પાડજે, કારણ, તે પોતાની પ્રજાને પાપમાંથી મુકિત આપનાર છે.’ ‘પ્રભુએ પયગંબરમુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે ભાખ્યું હતું કે, ‘કુંવારી કન્યાને ગર્ભ રહેશે, અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે.’ ઇમાનુએલ એટલે ‘ઈશ્વર આપણી સાથે છે.’ યોસેફ દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ધેર તેડી લાવ્યા. તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યોસેફ તેનું નામ ઇસુ પાડયું (માથ્થી ૧,૧૮-૨૫). શુભસંદેશ અને રોમન ઇતિહાસમાંથી આપણે જાણીએ છીએ કે ઇસુનો જન્મ રાજા હેરોદના વખતમાં (હેરોદનું મૃત્યુ ઇસવીસન પૂર્વે ૪માં) બેથલેહેમ ગામમાં થયો હતો. પણ એમનો ઉછેર નાસરેથમાં થયો હતો. તેમના પાલક પિતાનું નામ યોસેફ અને માતાનું નામ મરિયમ હતાં. તેમને યાકુબ, યોસેફ, સિમયોન અને યહૂદા નામે નજીકનાં સગાંઓ કે ‘ભાઇઓ’ હતાં. ઇસુના જન્મ વિશે ચોથા શુભસંદેશકાર યોહાને કરેલી વાત સાદી સીધી લાગે છે પણ એની ગહનતા  તો માનવ સમજણની બહાર છે. યોહાન લખે છે, ‘અને શબ્દ માનવ થઇને અવતર્યો અને તેણે આપણી વરચે વાસ કર્યો’ (યોહાન ૧,૧૪). આપણા માન્યામાં ના આવે એવી આ વાત છે. અહીં ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધાના હાર્દની વાત છે. ખ્રિસ્તીઓ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના ત્ર્ૌકય ઈશ્વરમાં માને છે. અહીં ઈશ્વર પિતાતુલ્ય ઈશ્વરપુત્ર માનવ જેવા માનવ બન્યાની વાત છે. ઈશ્વરપુત્ર એટલે યોહાનના શબ્દોમાં ‘શબ્દ’ માનવ થઇને અવતર્યો  એટલું જ નહીં પણ તેણે આપણી વચ્ચે વાસ કર્યો. ઇસુના જન્મ વિશે વિચાર કરો. ઇસુનો જન્મ કોઇ શકિતશાળી દેશની રાજધાનીમાં નહીં, કોઇ બાદશાહના ભવ્ય મહેલમાં નહીં, રોમ, એથેન્સ જેવી કોઇ સાંસ્કòતિક નગરીમાં નહીં, કોઇ હોસ્પિટલ કે ઘરમાં પણ નહીં પણ એક ગમાણમાં થયો છે! સર્વસૃષ્ટિના સર્જનહાર એક ‘સર્જન’ બને છે, માનવ જેવા માનવ બને છે! ઇસુ ખરેખર ઇમાનુએલ છે અને ‘ઇમાનુએલ’ એટલે ‘ઈશ્વર આપણી સાથે છે’ (માથ્થી ૧,૨૩).

ઇસુ પોતાના જન્મથી ઘોષણા કરે છે કે તે સૌ માણસો સાથે છે. પણ વિશેષ તો તેઓ ગરીબો, દલિતો અને આશ્રય વિનાની સાથે છે. નાતાલ પર્વ નિમિત્તે કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં બે હજાર વર્ષ પહેલાં પ્રથમ નાતાલની રાત્રે પોતાનાં ધેટાંની ચોકી કરતા કેટલાક ભરવાડોને દેવદૂતે કરેલી વાતનો પ્રતિઘ્વનિ આપણા કાન પર પડી શકે છે: ‘બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઇ રહેશે, આજે દાવિદાના નગરમાં તમારો મુકિતદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે’ (લૂક ૨, ૧૦-૧૧). આ દૃષ્ટિએ નાતાલ પ્રેમ અને આશાનું પણ પર્વ છે.

સૌજન્ય: વિકિપીડિયા

December 22, 2009 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું | Leave a Comment

ખટક્યું નહીં.

કોઈ પ્હોંચ્યું   નહીં કોઈ અટક્યું   નહીં,
તે  છતાં   કોઈને કૈ  જ ખટક્યું   નહી.

ખુબ સમજું  હતા સૌ  સ્વજન તે છતાં,
કેમ  લાગ્યું સતત? કોઈ સમજ્યું નહીં.

કોઈ વાદળ રહ્યું  ઘર  ઉપર હરવખત,
પૂછ્યા કયાં જવું ? કેમ વરસ્યું   નહી?

ઘર  બળ્યું હોત    તો વાત જુદી હતી,
જીવ  બળતો   રહ્યો, કોઈ ફરક્યું નહીં.

પીંજરું   પાંખ    જેવું   જ વ્હાલું   હતું,
ઊડવા   તરફ્ડ્યું   ક્યાંય ઊડ્યું   નહીં.

-રાજેશ  વ્યાસ ‘મિસ્કીન’

December 22, 2009 Posted by | ગમતી ગઝલ | 2 Comments

બે મુઠ્ઠી લોટ!

નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ અમેરિકાથી પધારેલ દીપેશભાઈ એ કહ્યું:  “પરદેશમાં ચાલીસ વર્ષ વિતાવ્યા બાદ પણ મા-ભોમ, દેશવાસીઓની યાદ આવે છે અને અમો દરવર્ષે આ ભૂમીપર આવી આનંદ અને મજા માણીએ છીએ. તમો સૌનો સ્નેહ-પ્રેમ લાગણી જોઈ એક અનેરો આનંદ આવે છે. ” નેત્રયજ્ઞના આયોજક યોગેશભાઈ સ્વાગતના બે શબ્દો બોલતા કહ્યું: “મિત્રો. પરદેશમાં વર્ષોથી વસતા  દીપેશભાઈ અને રાખીબેનની આપણા પ્રત્યેની લાગણી અદભૂત છે..નેત્રયજ્ઞને સ્પોન્સર કરી જે ગરીબ જનતાને વિનામુલ્યે આંખની સારાવાર , મોતીયાનું નિદાન થાય એ એક અનોખું દાન કરેછે , તેમજ ગરીબો માટે રોજ રામ-રોટી આપવા એક લાખ રૂપિયાનું સંસ્થાને દાન આપેલ છે એ માટે ભગવાન એમને વધારે બરકત આપે એવી પ્રાર્થના. આવા શુભકાર્ય કરવા બદલ સંસ્થા દીપેશભાઈ અને રાખીબેનના આભારી છે.

            આજુબાજુના  ગામડામાંથી..ગાડામાં, બસમાં લગભગ ૩૦૦થી વધારે દર્દીઓ   આંખ તપાસવા ઉમટી પડ્યા. આંખના નિશ્રણાંત ડૉ.પડ્યા સાહેબ અને એમની ટીમ એક પછી દર્દિને તપાસતા હતાં અને સાથો સાથ  જરુરિયાત પ્રમાણે આંખના ટીપા અને નિદાન કરી રહ્યાં હતાં.. ચાલીસથી વધારે દર્દીઓને મોતીયાનું ઑપરેશન કરાવવું જરૂરી લાગ્યું.

‘ડાકટર સા’બ..આ ડાબી આંખમાં જરી પણ દેખાતું નથી  અને જમણી આંખે બહું ઓસુ દેખાઈ..કાઈ એવી દવા આપો..જેથી બે-ટક રોટલાતો ટીપી સકુ.’૮૦વર્ષના માજી ધ્રુજતા, ધ્રુજતા માંડ માંડ બોલી શક્યા..
માજી તમારે કોઈ છૈયા-છોકરા નથી?
બાપલા..મે બે મોટા પાણા જણ્યા સે..
હાવ..નકામા..સ..
એક ઝોપડીમાં રવસુ..ને  બે ટક પેટ ભરાઈ  આટલું કમાઈ લવસુ..
તમો અહી કેવી રીતે આવી શક્યા?
બાજુમાં બાર વરહનો રમણીયાને કહ્યુ કે બે રુપિયા આપું તું મને તારા સાઈક પર ડાકટર પાહે  લઈજા..
પૈયા આપ્યા એ રાજી, રાજી.થોડા..માટી ઢેભા નડ્યા..પણ અહી આવી ચડીયા..
‘માજી..તમારી મંછીવહું.’  રમણિયાએ મોબીલ ફોન આપતા કહ્યું..
‘હાલો.’
મને થોડી ઘર  આવતા સાજ પડી જસે..
તું..મારા માટે બે રોટલા ટીપી રાખ..જે..
પણ..
પણ હુ..
હા..હા..હું પાસી આવી બે રૉટલાનો બે મુઠ્ઠી લોટ તને આપી દઈસ..પસી કઈ..!
પરદેશથી પધારેલ દીપેશભાઈ તુરત ગળગળા થઈ બોલી ઉઠ્યા: “મારો દેશ..મારી જન્મભૂમિ જ્યાં પોતે ભૂખ્યા રહી મહેમાનને જમાડે,,ત્યાં આજ  જન્મ આપનાર  જનેતાને..રૉટલા ઘડવા પોતાના છોકરાની વહુને બે મુઠ્ઠી લોટ આપવો પડેછે!!

December 18, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | Leave a Comment

કવિયત્રી દેવિકા ધૃવના..”શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન કવિશ્રી તુષાર શુકલના હસ્તે..

 

યુ.એસ.સ્થાઈ કવિયત્રી દેવિકા ધૃવના “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન, સભાનું સુંદર સંચાલક રેખાબેન મહેતા એ  કાનનબેનને મા-સરસ્વતિની સ્તુતિ ગાવા વિનંતી કરેલ. ઈશ્વરના આશિર્વાદ મેળવી સૌને આવકારતા રેખાબેન મહેતાએ કહ્યું ” આજ  અમારા પરિવારનો ખુશીનો, સરસ્વતિ-માની આરાધના-સાધનાનાં પરિણામનો દિવસ છે તપશ્ર્યા બાદ સફળતા અને આનંદનો દિવસ છે.” સ્વાગત સહ કહ્યું:  ”જેમને સરસ્વતિનું વરદાન મળ્યું છે એવા કવિશ્રી તુષારભાઈ શુક્લનું સ્વાગત કરું છું.’

                  રેખાબેને  મહેતા હ્યુસ્ટન(યુ.એસ.એ.)થી પધારેલ વિશ્વદીપ બારડને બે-શબ્દો કહેવા વિનંતી કરી. વિશ્વદીપ કહ્યું: ‘કવિયત્રી દેવિકાબેન ધૃવ જેમણે અક્ષર રૂપી સુંદર મોતી વિણી, વિણી શબ્દમાળા-મોતી, પાલવડે ગુંથી એક કાવ્યમાં નવો પ્રયોગ આદરી “ક”થી માંડી આખી બારખડીમાં એકથી એક ચડીયાતા કાવ્યો લખ્યાં એનું હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ગૌરવ લે છે. આજે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે બદલ ગુજરાતી સાહિત્ય સરિતા અને એમના ૧૬૦ સભ્યોવતી અભિનંદન પાઠવું છું અને અમો ગૌરવ અનુભવીએ છીએ.

                  કવિશ્રી તુષાર શુકલે સહર્ષ “શબ્દોને પાલવડે”નું વિમોચન કરતાં  કહ્યું ” આ કવિયત્રીએ પોતાના કુંટુંબ-સંબંધી સૌને સાથ રાખી એના બંધનમાં રાખી એ પિંજરમાં રહીને વિહાર કરવું ગમે, કાવ્ય-સંગ્રહ “શબ્દોને પાલવડે” ઘણો સુંદર બનાવી ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન છે.”ક”થી આખી બારખડીવાળી લયબધ કવિતા અને ગીતમય કવિતા  એ સંગીતમાં કંપોઝ કરી શકાય એવી કવિતા લખી છે.  કવિયત્રીની ઘણી કવિતા એમને ગમી અને પઠન કર્યું.  આખી સભામાં એક અનોખું આકર્ષણ ૯૪ વર્ષ માતુશ્રી બુદ્ધીબેન ધૃવ એ દેવિકાબેનના સાસુ ને રાહુલભાઈના બા ની હાજરી હતી. તુષારભાઈના હસ્તે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ અર્પણ કર્યો..૯૪ વર્ષની ઉંમરના બુદ્ધિબેને છટાદાર ભાષામાં આશિર્વાદ આપતા કહ્યું” દેવિકાએ આ કાવ્ય સંગહ પ્રકાશિત કર્યો એ મારું સ્વપ્ન સફળ કર્યું એ મારું તેમજ અમારા કુંટુંબનું ગૌરવ છે.  ત્યારબાદ દેવિકાબેને સૌનો આભાર વ્યકત કર્યો. રેખાબેન મહેતા સમયને લક્ષમાં રાખી સભાનું સુંદર આયોજન કર્યું.  ત્યારબાદ   સૌ પ્રીતિ-ભોજન લઈ વિખુટા પડ્યા.

December 18, 2009 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | 4 Comments

પસ્તાવાનું ઝરણું કે નઝરાણું?

 ’ડેડ, મારી જિંદગી સાથે આવી રમત ના રમો? હેતવીના આંખમાં આંસુ સરી પડ્યા..
હેતવી! હું  તારો બાપ છું. તારા સારા ભવિષ્યનો વિચાર કરવાનો મને સંપૂર્ણ અધિકાર છે.રમણભાઈ કડક બની બોલ્યા..
ડેડ, તમે મને આ દુનિયામાં લાવ્યા એટલે  મારા બધા અધિકાર તમને મળી ગયાં?
મારા જીવનનો મને કશો અધિકાર નહી?
તું  હજું  અનુભવમાં કાચી છો..ઉતાવળે નિર્ણય લઈ તું પાછળથી પસ્તાઈશ!
ડેડ, રાજ  કઈ આલતુ-ફાલતું વ્યક્તિ નથી એક કાબેલિયત એન્જીનયર છે..વર્ષે ૭૫૦૦૦ હજાર ડૉલર બનાવે છે..
હા. પણ એનું ખાનદાન આપણને ખબર નથી. એ આપણી નાત નો નથી!
ડેડ, અમેરિકામાં રહી તમો નાત-જાતમાં માનો છો?
ઈન્ડિયન કલચર એસૉસિએશનનાં પ્રમુખ,અને તમો આંતર-રાષ્ટ્રીય કુટુંબની અવાર-નવાર સમાજમાં વાત કરો છો..
હા, હા. એ વાત અલગ છે..આ મારા સંતાનનો સવાલ છે.
સંતાનને કોઈ હક્ક ખરો?
કોઈ ખોટી દલીલ મારે સાંભળવી નથી..હું જે નક્કી કરીશ તેજ આ ઘરમાં થશે!

હેતવીને લાગ્યું કે આ જિદ્દી પિતા પાસે  દલીલ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. મને સારું એજ્યુકેશન આપી શક્યા, ડૉકટર બનાવી..એક પિતાની ફરજ બજાવી. સમાજનો મોભો, સમાજમાં એક કદરદાન વ્યક્તિ બની શક્યા..લોકો એમના વખાણ કરતાં થાકતાં નથી…પણ ઘરમાં એમનું આ અનોખું વ્યક્તિત્વ કોઈ જાણતું નથી.

‘ડેડ,મને ઊંઘ આવે છે..હું સુવા જાવ છું.’
‘ઓકે! ગુડ-નાઈટ!’
ઈવા! મેં જ તારી મમ્મીની જિંદગી બરબાદ કરી છે..મારી જીદ અને જક્કી વલણે એના  પ્રેમ-પ્રવાહને સુકવી-રાખ કરી નાંખ્યો! પસ્તાવ છું.
દીકરીને પિતાનું વાત્સલ્ય આપવાને બદલે નિસ્ઠુર ભર્યું વલણ આપી.હેતવીનું સ્વપ્ન ચકરા-ચુર કરી નાંખ્યું! મને શુ મળ્યું? મારો અહંમ!

નાના(દાદા), તમો આરામ કરો, ડોકટરે તમને આરામ કરવાનું કીધું છે..
હા. મારી પૌત્રી..આરામ કરતાં કરતાં જ આમ મારી આંખ મીંચાય જશે..એક પસ્તાવાનું પોટલું ભરી સાથે લઈ જઈશ..બીજું કશું મારી સાથે નહી આવે!

હેતવીએ કદી લગ્ન નહોતા કર્યા..કુંવારા જ ભારત આવી એક અનાથ બાળકી ઈવા જે માત્ર વર્ષની હતી તેણીને  ગોદમાં લઈ લીધી..
ઈવા પણ ૧૮ વર્ષની થઈ ગઈ..હાઈસ્કુલમાં વેલી-ડીકટોરીયન સાથે ગ્રેજ્યુયેટ થઈ..ફૂલ-સ્કોલરશીપ સાથે  હારવર્ડમાં એડમીશન મળી ગયું તેનુ  હેતવીને ગૌરવ હતું..

‘ઈવા! બેટી, તારા હાઈસ્કુલ સ્વીટ-હાર્ટ માઈક સાથે લવ-અફેર ચાલે છે તે તું નાના(દાદા)ને નહીં કહેતી.’
‘કેમ મૉમ!’
‘બેટી, હું જાણું છું કે માઈક એક હોશિયાર અને પ્રેમાળ છોકરો છે પણ એ બ્લેક(આફ્રીકન-અમેરીકન)છે.  નાના એ વાત સાંભળી દુ:ખી થશે..એમની એંસી વર્ષની ઉંમરે મારે એમને દુ:ખી થતાં નથી જોવાં.’
‘મૉમ..પણ કેમ?’
‘એ વાત બહું લાંબી છે ..કોઈ વાર કહીશ.’
‘ઓકે મૉમ!’

ઈવા અને હેતવી હોસ્પિટલમાં આવ્યા..
‘ નાના(દાદા) કેમ છે?’
‘બેટી…લાંબી સફરની રાહ જોવ છું! ઘડીઓ ગણું છું!’
‘ડેડ, આવું ના બોલો! હેતવીના આંખમાં આસુ સરી પડ્યાં.’
‘પસ્તાવાના પિંજરામાં આ પુરાયેલો આત્માનો ભાર હવે મારાથી સહન નથી થતો!’
હેતવી પણ આજ હોસ્પિટલમાં ડૉકટર હતી..બધા સ્ટાફને ખબર હતી તેથી રમણભાઈને ઘણીજ સારી સારવાર મળતી હતી.
‘ ડેડ..ના બોલો..આરામ કરો.’
‘ના, બેટી..મારી પાસે હવે સમય ઓછો છે.’
 
ડેડ! તમારું આયુષ્ય સો વર્ષનુ છે.બેટી ઈવા લગ્ન  પણ…
બેટી ! તું ડૉકટર છે તને પણ ખબર છે..કહેતા કહેતા..શ્વાસ રૂંધાવા લાગ્યો!
હેતલે નાડી તપાસી..ધીરી પડવા લાગી હતી.
નર્સને બોલાવી કુત્રીમ શ્વાસ આપવા કોશિષ કરે એ પહેલાંજ શરીરની અંદર પુરાયેલુ પંખી ફર ફર કરતું ઊંડી ગયું..

ઈવા અને હેતવી એકદમ ઢીલા પડી ગયાં ..રડતી આંખના આંસુથી રમણભાઈનો દેહ ભીંનો થઈ ગયો!

હોસ્પિટલની નર્સ આવી..તેમના હાથમાં એક કવર આપી કહ્યું:’આપના પિતાએ આ કવર મને ઘણાં સમય પહેલાં આપેલ અને સૂચના આપી હતી કે મારા મૃત્યુબાદ મારી દીકરી હેતવીને આપશો.’

હેતવીએ કવર ખોલ્યું એમાંથી એક નાની ચિઠ્ઠી પણ મળી:

‘પ્રિય વ્હાલી દીકરી હેતવી,
                     એક પિતા બની તને પિતાનું વાત્સલ્યના આપી ના શક્યો..તું  એક કુંવારી મા રહી માની મમતા ઈવાને આપી શકી! એક અનાથ બાળકીને ગોદમાં લઈ..સાચી મા બની ઈવાને સ્વર્ગ જેવું જીવન આપી, સારા સંસ્કાર અને એનું જીવન ઉજ્જળું બનાવી શકી.જે હું માત્ર મારી જીદ પકડી તારું જીવન લુપ્ત કરી દીધું..મને મળ્યો માત્ર મારો અહંમ..જોકે હું માફીનો અધિકારી પણ નથી છતાં મારી વિનંતી કે મને તું માફ કરી શકીશ? નહી કરેતો મારો આત્મા કહી ભટક્તો ફરશે! તું તો દયાની દેવી છો, ઉદાર છો.ઈવાને માઈક સાથે સંબંધ છે..એ બ્લેક છે છતાં તે એ રિસ્તો મંજુર રાખ્યો. મને આ હોસ્પિટલના સ્ટાફે હકીકત કહી છે…બેટી મને માફ કરજે. ઈવાના લગ્ન માઈક સાથે થાય ત્યારે મારા આશિષ રૂપે ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે આ કવરમાં બીજું નાનું કવર  છે એ ઈવાને આપજે..
બસ તારો  એક અભાગી બાપ..’

બીજું કવર ઈવા એ ખોલ્યું..
રમણભાઈની સંપૂર્ણ મિલકત અને મિલયન ડોલર કેશ ઈવાના નામે હતાં..
પસ્તાવાનું ઝરણું  કે નઝરાણું?

December 16, 2009 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 7 Comments

જિંદગી જતી રહી એના વગર!

(ભારતની મુલાકાત…લગ્નની સિઝન..કોઈનો મેળાપ..નવી જિંદગીની શરૂઆત..અને ક્યાંક જોઈ જિંદગીની  અંતિમ-ક્ષણ !અંતિમ-વિદાય!..ગઈકાલ લગ્નની મજામાણી  અમદાવાદ આવી રહ્યો હતો અને એક યુવાન-સગાના અવસાનના સમાચાર સેલ ફોનપર મળ્યા..સિધ્ધો ત્યાં ગયો..દશ્ય જોઈ આ કાવ્ય-સરી પડ્યું..)

જિંદગી સાથે દોસ્તી કેવી કરી!
     રહેવાય નહી,સહેવાય નહી,
ડગલું-પગલું ક્યાં ભરાય એના વગર!

હરપળ શ્વાસે કરી દોસ્તી એવી,
      જીવાય નહી,સંગાથ છોડાય નહી,
આ યત્ર-તંત્ર ચાલે નહી એના વગર!

ક્યાં સુધી સથવારો એનો?
     મંત્ર એનો કોઈ જાણે નહી,
મંદીરની ઝાલર વાગે નહી એના વગર!

બાળ-બુઢાપો  કે  જવાની,
     જિંદગીને કોઈ નિસ્બત નહી,
છોડી જશે,દેહ શું કરશે એના વગર?

મૃત દેહની હાલત જુઓ!
    બાંધ્યો કચકચાવી દોરડેથી,
બાળ્યો,જિંદગી જતી રહી એના વગર..

December 15, 2009 Posted by | સ્વરચિત રચના | 1 Comment

નવદંપત્તિને આશિષ

(ભારતની મુલાકાતે આવ્યો છું ત્યારેથી ઘણાં લગ્ન-પ્રસંગે જવાનું થયું છે..વિવિધ રંગો, ભાત-ભાતમાં વસ્ત્રોમાં પરિધાન એવા સુંદર યુગલ જોવા મળે, આનંદ આવેછે. લગ્નનો સમય છે..લગ્નની સિઝન ચાલે છે ત્યારે નવદંપત્તિને શુભેચ્છા પાઠવતો સંદેશ-કાવ્ય રૂપે સરી પડ્યો..)

ગાંઠ પ્રિતની બાંધી,સપ્તપદી ફેરા ફરી
    આપ્યું વચન,જન્મ, જન્મોનો સંગાથ,
અગ્નિની સાક્ષી, મંત્રોચાર સહ બન્યા જીવનસાથી આજ.

 
પાનેતરો પ્રિતના પહેરી,
    યૌવન તણે આંગણે સહજીવનની શરૂઆત,
શુભ-લાભના સાથીયા  પાડી રહ્યા છો આજ.

 

સંસારમાં  સદા કંસારની  મીઠાસ મળે,
   સુખ-દુ:ખમાં હસતા રહી શુભ કાર્ય કરો,
સ્વર્ગ સરીખું જીવન જીવી,કરતા રહો કિલ્લોલ આજ.

 

લીલા તોરણ હ્ર્દય આંગણે લહેતા રહે,
   જ્યાં કદમ,કદમ પર જીવન-સાથીનો સંગાથ,
સ્નેહનું હો જ્યાં સિચન, ત્યાં જીવનબાગ મહેંકી રહે આજ.

 

 

શુભ આવસરે આશિર્વાદ  નવદંપત્તીને
   જ્યાં રહો સાથે રહો, સદાય સુખી રહો,
સંસારમાં સાથે રહી મંગળ ગીત ગાતા રહો આજ.

 

December 11, 2009 Posted by | સ્વરચિત રચના, Uncategorized | 4 Comments

કાળો ન કર..

 
હોય  વહેતું પૂર ત્યાં પાળો  ન  કર,
શ્વાસનો  ક્યારેય  સરવાળો  ન કર.

મેં  ઉછેરી   છે  તરસને  વહાલથી,
રણ વચાળે  જલ સમી જાળ ન કર.

હો   ભલે ના    પાંદડાં  એ ઝાડને,
પાનખરને   દાનમાં ડાળો   ન કર.

જિંદગીનો   દાખલો    ગણ્યા પછી,
એ જવાબી  દાખલો તાળો   ન કર.

તું   ગમે    ચીજનો    વેપાર  કર,
લાગણીનો   ક્યાંય  ઉછાળો ન કર.

જુઠને  તો ક્યાં  શરમ   જેવુંય છે,
સત્ય માટે તું  અટકચાળો   ન કર.

શૂન્યતામાં પણ સદા  ભરમ રહ્યો,
શૂન્યતા  ઢોળાય એ ઢાળો  ન કર.

આંખ ભીંની થઈ શકે તો ઠીક  છે,
આંખ માટે  આંસુનો ફાળો  ન કર.

પાન લીલા જોઈને હરખાઈશ ના,
હું બટકણી   ડાળ છું માળો ન કર.

પારખી   લે પિચ્છઘરના  પ્રેમને,
શ્યામને તું સ્હેજ પણ કાળો ન કર.

-હર્ષદ પંડ્યા
ગુજરાતનાં વર્તમાનપત્રોની જાણીતી કોલમમાં લેખિનીના હાસ્ય
 અને કટાક્ષની ધારથી પોતાનું નામ કંડારનાર હર્ષદ પંડ્યા
નું ઉપમાન છે ‘શબ્દપ્રીત’. તેઓની શબ્દ સાથી પ્રીત કેવળ
રમૂજસભર લેખોમાં નહીં, લલિત નિબંધપ્રકારમાં  તેમ જ ગઝ્લ
રચનામાં પણ વહી રહી છે. અહીં પેશ થયેલી ગઝલ-’કાળો ન કર’
મા એમનો પૉઝિટિવ અભિગમ સાત્વિકતાનો ચેપ લગાડે એવો છે.
(‘જનસત્તા’-શબ્દોનાં એકાન્ત-રાધેશ્યામ શર્મા)

નોંધ: હર્ષદ પંડ્યા મારા  ૧૯૬૭માં કોલેજકાળના અને એકજ કલાસમાં
       સાથે રહી અભ્યાસ કર્યો છે.શાંત, પણ રમૂજની હાસ્યભરી ઉર્મિના
       કવિ, લેખક, નિબંધકારે ગુજરાતી સાહિત્યમાં અનોખુ સ્થાન
       મેળવ્યું છે. અમો ૪૦ વર્ષ બાદ ૨૦૦૭માં મળ્યા, લાંબા સમય બાદ
       મળ્યાનો આનંદ કંઈ અનેરો,જે ભાષામાં વ્યક્ત કરવો અશક્ય છે.

December 9, 2009 Posted by | ગમતી ગઝલ | Leave a Comment

દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

 

દીકરી  હૈયા કેરો  હાર, ખીલતી ખુશીઓનો ગુલાલ,
                            દીકરીને પારકી થાપણ કહેવાય નહીં..
 
પાડતી કુમ કુમ કેરા પગલા, એ તો આંગણ  કેરી વેલ,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

આંગળી પકડતી, પિતાના પ્યારથી આંસુડા પોછતી,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

લક્ષ્મી બની આવી, લાવી  એ તો  હેતભરીને વહાલ,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

ત્રણકુળ તારતી,    મનમાં  એ તો અભિમાન ના લાવતી
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

 કંકુ કેરા  થાપા  કરતી,  આંસુભરી વસમી વિદાય એ તો લેતી
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

મા-બાપના  દુ:ખ દેખી ના શકે, એ તો દોટ  મૂકીને આવતી,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

પિયરમાં  પ્રિત કેરો ટહુકો, સાસરમાં સૌને  એ તો ગમતી,
                            દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

દીકરી દેવોભવ ,દીકરી  સૌની  વ્હાલ ભરેલો  દરિયો,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

એક ભવમાં અનેક રૂપ ધારણ કરતી, એ તો ત્રણકુળ તારતી,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.
 

December 8, 2009 Posted by | સ્વરચિત રચના | 14 Comments

મમતાના સોગંદ!

 
‘હલો! ડૉ.ઉમેશ છે?’
‘હા, બોલો, હું ઉમેશ બોલુ છું.’
‘આપ કોણ?’
‘મારું નામ રમા  છે, હું  લૉસ-એન્જલસથી બોલું છું.’
‘આપની શું સેવા કરી શકું?’
ઉમેશ, હું આવતા વીકે હ્યુસ્ટન આવી રહી છું..તમે મને તમારી મુલાકાત આપી શકો? મારે જરુરી કામ છે..
‘મને મારી એપોઈન્ટમેન્ટ ડાયરી જોઈ લેવા દો.’
‘પણ આપની ઓળખાણ ના પડી.’
‘હું તારી…મ…બોલતા બોલતા રમા અટકી ગઈ…વાત બદલાવી બોલી:આપના પિતા અને મમ્મીની જુની મિત્ર છું અને અમો હ્યુસ્ટનમાં પડોશમાં  રહેતા હતા..પણ મારે તારુ…તમારું  થોડું કામ છે..મળી શકાય?’
આવતા વીકે મારે ઓફ છે..પણ તમો અહી  આવો એટલે ફોન કરશો.થોડો સમય ફાળવી શકીશ…ઉમેશને નવાઈ તો લાગી..ન જાણ ના પિછાણ! શું કામ હશે?

                      અહીં અમેરિકામાં જન્મેલો ઉમેશ દ્વિધામાં પડી ગયો. ઉમેશની મધર મેરી સ્કુલમાં પ્રિન્સિપલ અને ફાધર મુકેશ(માઈક)પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા હતાં અને ઉમેશને કદી રમાબેન વિશે વાત કે ઉલ્લેખ થયો નહોતો. ઉમેશ પોતે બ્રેસ્ટ-કેન્સર સ્પેશ્યાલીસ્ટ હતો.  ૩૫ વર્ષનો ઉમેશ એમ.ડી હોસ્પીટલમા એક કાબેલિત અને હોશિયાર ડૉકટર તરીકે ગણાય છે. ઘણાં કેસમાં એમને સફળતા મળી છે. ઈન્ડીયન કોમ્યુનિટી,બ્રેસ્ટ-કેન્સર પ્રીવેન્ટીવ સેમિનાર ગોઠવતી ત્યારે ઉમેશ અચુક હાજર રહેતો  અને એમની સેવાનો લાભ આપણી કોમ્યુનિટીને મળતો.

‘ડૉ.ઉમેશ!’
‘યસ,’
‘રમા બોલું છું.’
‘ઓહ! આન્ટી , ક્યારે આવ્યા?’
‘ગઈ કાલ રાતે..’
‘આન્ટી, આજે બપોરે લન્ચમાં મારે ઘેર આવો..હું..’
‘થેન્ક્યુ..પણ આપણે લન્ચમાં” ભાવના” રેસ્ટૉરન્ટમાં મળીએ તો સારૂ…તમને ફાવશે?
ઉમેશને નવાઈ લાગી..થોડું  સ્ટ્રેન્જ લાગ્યું..
‘ઓકે..’ભાવના’માં મળીએ..બાર વાગે..’

‘હલો, હું  રમા.’
‘હું ઉમેશ…આપને મળી આનંદ થયો.’
‘મને પણ.’
‘હું તમને બેટા કહું તો…’
‘નો…મને કોઈ માઈન્ડ નથી..આન્ટી..તમે મારી મમ્મીની  ઉંમરના જ છો.’
‘બેટા..તારું નામ… બ્રેસ્ટ-કેન્સરમાં ઘણું જ  ફેમસ છે..તું એક  હોશિયાર..કાબિલ ડૉકટર છો તેનું મને ગૌરવ છે.’
‘આન્ટી..આપ જેવા વડીલોના આશિર્વાદ!!’
‘બેટા! ઘણાં વર્ષોથી દટાયેલું રહ્સ્યની વાત કરવા આવી છું.’
શું કહ્યું આન્ટી કોનું રહસ્ય?? ઉમેશે આંચકો અનુભવ્યો!
‘બેટા..પાત્રીસ વર્ષ પહેલાંની વાત છે!!’
‘મારા જન્મ પહેલાંની?’
‘હા બેટા…’
‘જલ્દી જલ્દી કહો…’
૧૯૭૦માં હું અને મીતા બન્ને એર-ઈન્ડીયામાં સાથે હતાં..અમો બન્ને ભારતથી પહેલીજવાર નવા નવા અમેરિકા આવી રહ્યાં હતાં અને પ્લેનમાં બાજું બાજુંમાં બેઠાં હતાં ..બન્ને બહેનપણી બની ગયા..
‘પણ મીતા કોણ??’
‘બેટા. શૉક નહી લગાડતો…કદાચ તું નહી માને…’
‘પણ્ શું આન્ટી?’
‘બેટા! મીતા તારી મમ્મી છે!!
‘શું આન્ટી તમે કોઈ મુવી-સ્ટોરીની વાત કરો છે કે ..?
‘મારી મમ્મીનું નામ મેરી છે…મને જન્મ આપનાર માતા નેટી તો મને જન્મ આપી ગુજરી  ગઈ હતી..તમને ખબર ના હોય તો કહી દઉ!’
‘મને બધી ખબર છે બેટા. તારી માતાનું ખરુ નામ મીતા છે. તારે માનવું ના માનવું એ તારા પર આધારિત છે….’
‘પહેલાં બધી વાત સાંભળ પછી તારે નક્કી કરવાનું છે કે સત્ય શું છે?
‘ઓકે આન્ટી.
તારા ફાધર, મુકેશભાઈ લગ્ન કરવા ભારત આવ્યા અને એમના લગ્ન મીતા સાથે થયાં…મુકેશભાઈ લગ્નબાદ એકાદ વીક મીતા સાથે રહ્યાં હતાં.એ સમય દરમ્યાન તારી મમ્મી પ્રેગનન્ટ થઈ.એ અહી આવી અને મેં તને કહ્યું તેમ અમો બન્ને સાથે જ પ્લેનમાં હતાં..
અહીં આવ્યા બાદ ખબર પડી કે તારા પિતા મેરીનાં ગાઢ પ્રેમમાં હતાં..એની ખબર મીતાને પડી..અહી એનું કોઈજ નહોતું..મારો અહીનો ફોન તેણી પાસે હતો, મીતા એ મને ફોન કર્યો..હું પણ અહી નવી નવી હતી..ફોન પર બહું જ રડી, મીતા એ બધીજ હકીકત કહી..મને કહ્યુ: રમાબેન હું આપઘાત કરું? શું કરું કશી ખબર પડતી નથી..મેં સલાહ આપી: મીતા તું પ્રેગનન્ટ છો, ખોટું પગલું ભરી, તારી અને બાળહત્યા કરી પાપનું પોટલું ના ભરીશ.
તારા જન્મબાદ..મીતા ઘણી ખુશ હતી…પણ એ ખુશી માત્ર તારા પુરતી મર્યાદીત હતી..પતિનું સુખ નહોતું..જવાદે એ વાત!
મીતાએ   તને લઈ કાયમ માટે ભારત જવાનું નક્કી કર્યું..પણ પૈસાના જોરે તારા પિતા સાથે ડીવૉર્સ બાદ તારી કસ્ટોડી તેમણે લીધી…મીતા, દુ:ખી, દુ:ખી થઈ ગઈ..મારી પાસે ખુબજ રડી..ચોધાર આંસુ એ રડી..માની મમતા કોણ સમજે?

‘મારા  કાળજાનો ટુકડો છોડી હું એકલી ભારત કેમ રહી શકીશ?’ રમાબેન તમો કંઈક કરો.’

હું પણ લાચાર હતી. અહી હું  સ્ટુડ્ન્ટ વીઝા પર આવી હતી.મારી પાસે કોઈ એવી મુડી નહોતી કે હું મીતાને ફાયનાન્સીયલ રીતે  મદદ કરી શકું..
મીતા..કાયમ માટે ભારત જતી રહી..ત્યાં અમદાવાદમાં ઈન્સ્યુરન્સ કંપનીમાં નોકરી મળી ગઈ…કદી પણ ફરી લગ્ન ના કર્યા! એક મારો જ સંપર્ક રહ્યો. મારા લગ્ન થયાં બાદ હું કેલીફૉનિયા મુવ થઈ ગઈ, પણ હ્યુસ્ટનમાંથી તારા સમાચાર લેતી રહી.મીતાને ખબર આપતી રહી..
ઉમેશ! મને ખબર છે કે તારા પિતાએ  હંમેશા  તને નાનપણથી કીધું છે : “તારી મમ્મી તારા જન્મબાદ મૃત્યુ પામી.”
મને એ પણ ખબર છે કે તારી નવી મમ્મી મેરીએ  તને બહુંજ સારી રીતે  રાખ્યો છે..એક અમેરિકન સ્ત્રીએ તને   પોતાનું બાળક માની જે સંસ્કાર આપ્યા છે તે કદાચ ભારતિય સ્ત્રી પણ ના આપી શકે! એ સોતન મા નહી..પણ તારી ખરી મા બની તારો ઉછેરે કર્યો છે.તારી ખરી મમ્મી મીતા ને પણ ખબર છે. તેનું તે ગૌરવ લે છે.

તો…આન્ટી અત્યાર સુધી…મારી મમ્મીએ મારો  કોઈ કોન્ટકટ કેમ ના કર્યો?

બેટા…મા ને કોઈ દિકરાના સોગંદ આપે ત્યારે મા..મજબુર બની જાય છે  અને ત્યારે તે બધું ત્યાગી દે છે..તારા પિતા એ મીતાને કહ્યું હતું: હવે પછી જો ઉમેશનો કોન્ટેક્ટ કરીશ તો તને ઉમેશના સોગંદ છે!
wow! I do not believe it.!!( મને માનવામાં નથી આવતું..)

બેટા! ના માનવામાં આવે તેનું નામ સત્ય!

સત્યની હકીકત એ છે બેટા! હું હમણાંજ ભારત જઈને આવી.તારી મમ્મી સાથે બે વીક રહી…

બેટા! અત્યારે તારી મમ્મી બહું જ નાજુક પરિસ્થિતીમાંથી પસાર થઈ રહી ચે!

શું થયું…મમ્મી ને?..બે બાકળો ઉમેશ બોલી ઉઠ્યો…

બેટા..તારી મમ્મીને બ્રેસ્ટ-કેન્સર થયું છે.
શું..કહો છો આન્ટી…!!
યસ..બેટા..ત્યાંના ડૉકટરે હાથ ધોઈ નાંખ્યા છે..મીતાએ મને  તને કશું કહેવાની ના કહી છે.પણ બેટા! જેનો દિકરો આજ બિમારીમાં કાબેલ હોય એની  મા  એક ખતરનાક બિમારીમાં સબડતી હોય એ મારાથી નથી જોવાતું બેટા!
આ  સત્ય ઘટના તારે માનવી કે ના માનવી એ તારા પર છે..તારી મમ્મીને જીવતદાન આપવું કે ના આપવું એ હવે હું તારા પર છોડું છુ બસ તને સત્ય હકીકત કહી મારા પરનો બોઝો હળવો થયો!
હું પણ એક મા છું..મા નું દિલ એક મા સમજે ..બીજા તારા જેવા સારા સંતાન!

એક ડૉકટર…એક સારો સંતાન એંવા ડૉ.ઉમેશના આંખમાં  બે આંસુ ટપ ટપ ટપકી પડ્યાં!

December 6, 2009 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 2 Comments

હોય છે…

 

ક્યાં  જવાનું હોય છે ને  ક્યાં જવાતું હોય છે!
શ્વાસનું  બળતણ   ક્ષણેક્ષણ  ઘટતું   હોય છે.

ચાલવા  ચાહ્યા  કરે  છે  ભાર લઈને આયખું,
જાણે  અણજાણે બિચારું બસ ફસાતું   હોય છે.

સઢ  વગરનું ને  હલે  સાહિન અઘડ બાપડું,
બાળપણ  લાચાર  આંખોમાં   લપાતું હોય છે.

હાથમાં  આવેલ પથ્થરને   દિશા જો સાંપડે,
આપણું   કે પારકું   જણ જોખમાતું   હોય છે.

જે  કશું લખવાને સર્જાયા કશું લખવાનું નથી,
જે  નથી જચતું જરા એવું    લખાતું  હોય છે.

-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)

December 5, 2009 Posted by | ગમતી ગઝલ | 2 Comments

સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.

સગપણ  વગર, સંબંધના  વિવરણ  વગર મળી,
સદભાગ્યે પીડા  અમને   પળોજણ   વગર  મળી.

લોકોની  આંખમાં  મને  દેખાયો    બસ, અભાવ,
મારી  છબી, જુઓ, મને   દર્પણ  વગર   મળી.

અંતે   તો  જીવવાનું એ     કારણ  બની     ગઈ,
આ   વેદના   અપાર  જે    કારણ  વગર   મળી.

દુલ્હન  મળે   અપ્રિય   પતિને, હા  એ જ રીતે..
આ   જિંદગી  મનેય    સમર્પણ       વગર મળી.

સન્માનથી     તમામ    ખિતાબોથી   છે  વિશેષ,
નાનકડી એક    ખુશી   જે મથામણ વગર   મળી.

અંતે    તો   દર્દ   સાથે   ઘરાબો   થયો   અંતૂટ,
રાહત  મળી    તો   દર્દ  નિવારણ   વગર  મળી.

-રઈશ મનીઆર

December 4, 2009 Posted by | ગમતી ગઝલ | 1 Comment

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers