અમારી ભાવભીંની શ્રદ્ધાંજલી.મુંબઈ…
નવેમ્બર,૨૬.૨૦૦૮ના દિવસે મુંબઈમાં ૧૬૬ નિર્દોષ માનવી એ પોતાના પ્રાણ ગુમાવ્યા એમને અમારી ભાવભીંની શ્રદ્ધાંજલી, એમના સૌ સગા-સંબંધી સૌને અમારી સહાનુભુતિ..પ્રભુ સૌને હિંમત આપે.
Happy Thanksgiving(આભાર..

પ્યારા મિત્રો..પ્રિય વાચકો..
૨૦૦૭થી પ્રારંભ થયેલી..આ “ફૂલવાડી”..આપ સૌ ની દુહા, પ્રોત્સાહનથી મહેંકી રહી છે…દિન-પ્રતીદિના આપણી ગુજરાતી માત્રૃભાષા પ્રદેશમાં ગુજરાતી સાહિત્ય રસિકો અને ગુજરાતી સંતાનોને મીઠું અમૃતભર્યું ભાષાનું ધાવણ આપી તુપ્તિ આપે છે, આનંદ આપે છે, એનું મને ગૌરવ છે.આશા છે કે મિશાલ, ધ્યેય ચાલું રહે અને આપણી ગુજરાતી માવડી પરદેશમાં સદા અમૃતપાન કરાવ્યા કરે..અને આપણે સૌ આપણી ગુજરાતી-માતૃભાષાના એક સારા સંતાન બની એનું જતન, વંદન કરતા રહી એ એજ શુભેચ્છા.. આપ સૌ સાથ મળી “ફૂલવાડી’માં આવી, સાહિત્યને આવેગ આપ્યો છે,આપણી માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું છે. હું આપ સૌનો ઘણોજ આભારી છું…
આભાર..
-વિશ્વદીપ




