"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્વર્ગ આવવું નથી

સ્વર્ગ  આવવું નથી કે  રહેવું નથી નાથ મારે ત્યાં,
                   યાચુ એટલું ફરી ફરી માનવ જન્મ દેજે અહીં.

સુખ-સાહિબીની જાહોજલાલી હોય જ્યાં ના ફિકરની કોઈ  ત્યાં!
                  એવા સ્વર્ગમાં  મારે ત્યાં રહેવું  નથી..યાચુ એટલું

દેવ બની નથી પીવી કોઈ મદીરા,કે જોવા નાચ-ગાન અપ્સરાના,
            પિવડાવવું  પાણી તરસથી તડપતા માનવીને અહી…યાચુ એટલું

જ્યાં નથી કોઈ આંસુ હર્ષ કે શોકના એવું સ્થળ ગમતું નથી,
            આંસુ પી,પી ને જીવનારા સાથે રહેવું  મારે અહીં..યાચુ એટલું

જ્યાં આત્મા હવા બની ફરે, સ્થુળ કાયાની કોઈ કિંમત નથી,
           હાડ-પિંજર બની બેઠેલા કાયાની સેવા કરવી અહીં..યાચુ એટલું

ખર્ચી નાંખે આખી જિંદગી આ માનવ સ્વર્ગ જવા  બંદગી કરી,
           માનવતાનો ધર્મ મારો, ના કોઈ મસ્જીદ કે મંદિર મારે….યાચુ એટલું

        -

November 23, 2009 Posted by | સ્વરચિત રચના | 4 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 82 other followers