શા માટે?

શા માટે
આપણે આપણી વાતો
કર્યા કરીએ છીએ?
શા માટે આટલો બધે ફાંકો?
આટલી બધી ડંફાસ?
બોલી બોલીને ક્યા
ખાલીપાને પૂરવા માગીએ છીએ?
કોઈના કાન પર
પથરા ફેંકતા હોઈએ
એમ શબ્દો ફેંકવાનું
માંડી ન વાળી શકાય?
શબ્દોની હથેળીને
એક વાર તો બંધ કરી જુઓ
અને મુઠ્ઠીમાં સમાયેલા
મૌનની ઈજ્જત કરો.
-સુરેશ દલાલ
June 28, 2009 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments
2 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.

CLUSTSMAP
-
Top Posts
-
Recent Posts
- આવું કેમ થાય છે?
- જૈન તીર્થધામ-પાલીતાણા
- વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!
- વાંચતાં-વિચારતા
- હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્વયથી.
- ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન..
- હેલોવીન (Halloween)-ઈતિહાસ
- કઈ જાણવા જેવું..કઈ શિખવા જેવું….
- યાદ રે’વાદે
- પથ્થરથી
- પ્યાલી ઉઠાવું છું
- અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
- આવો અમારે ભાવનગર
- નૂતન-વર્ષાભિનંદન…
- કાળી ચૌદશ(નરક-ચતૃરદર્શિ)
-
Recent Comments
REKHASDEDHIA on જૈન તીર્થધામ-પાલીતાણા himanshupatel555 on વાંચતાં-વિચારતા વિનય ખત્રી on અંધશ્રદ્ધા છે આંધળી Vraj Dave on ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન… pravinash1 on હેલોવીન (Halloween)-ઈતિહા… નટવર મહેતા on હેલોવીન (Halloween)-ઈતિહા… shivshiva on કઈ જાણવા જેવું..કઈ શિખવા … રાજની ટાંક on કઈ જાણવા જેવું..કઈ શિખવા … sanjay nanani on આજના સુવિચારો.. devanshi on આજના સુવિચારો ** હિમાન્શુ પટેલ on કઈ જાણવા જેવું..કઈ શિખવા … REKHASDEDHIA on કઈ જાણવા જેવું..કઈ શિખવા … pravina Avinash on પ્યાલી ઉઠાવું છું sapana on પથ્થરથી REKHASDEDHIA on પ્યાલી ઉઠાવું છું -
Blog Stats
- 86,047 hits
c
Archives
Pages
Disclaimer
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.PHOOLWADI
Tags
geo counter
-
Spam Blocked
Blogroll
- (1)ગુજરાતી ગીતો..૨૪ કલાક.. 0
- (10)ગુજરાતી ભજન 0
- (12) શ્રી રવિભાઈ રાવળની ચિત્રસૃષ્ટી 0
- (13) મીતિક્ષા 0
- (2)ગુજરાતી સાહિત્ય સરીતા 0
- (4)મન માનસ અને મનન 0
- (5)યુ.એસ.એ. મેળા……. 0
- (6)વિજય શાહનું ચિંતન જગત્ 0
- (7)વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો 0
- (8)ગુજરાતીમાં લખો 0
- (9) હિન્દી પિકચર નિહાળો. ફ્રી.. 0
- 10 શબ્દોને પાલવડે 0
- 14, આપના બાળકોને ગુજરાતી શીખવાડો. 0
- ફૂલવાડી 0
- WordPress.com 0
- WordPress.com Blog 0
- WordPress.org 0


કોણ કહે છે આપણે મૌનની ઈજ્જત કરતા નથી?
મૌનના સ્વામીઓને શોધી શોધીને એમના ચરણોમાં માથાં નમાવીએ છીએ.
હા,એ જુદી અને સાવ સાચી વાત છે કે શબ્દોની હથેળીને બંધ કરી
અને મુઠ્ઠીમાં સમાયેલા મૌનની ઈજ્જત નથી કરી શકતા.
બહુ અઘરું કામ છે.
એને માટે તો કવિ થવું પડે.સામાન્ય કવિ નહીં;સુરેશ દલાલ જેવા કવિ થવું પડે.
બધાં અઘરાં કામ અશક્ય નથી હોતાં
શબ્દોની હથેળીને
એક વાર તો બંધ કરી જુઓ
અને મુઠ્ઠીમાં સમાયેલા
મૌનની ઈજ્જત કરો.