ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુવાક્યોના સહારે જો જીવીએ અને કંઈક શીખીએ..

 love-holly-hajari

જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી; ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે- ધાબળો વીંટી લેવાની.

આપણું શાણપણ આપણા અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.

અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ માતાં જ તે આપણને રોકે છે.

અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન.

અભિમાન બે જાતનાં હોય છે: એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ, બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.

બીજાઓની  આપણે જે સેવા કરીએ છીએ, તે ખરેખર તો આ પૃથ્વી પરના આપણા કમરાનું ભાડું છે.

બીજાઓ સમક્ષ અંચળો પહેરવાની આદત આપણને એટલી બધી પડી જાય છે કે અંતે , આપણી જાત સમક્ષ પણ આપણે  અંચળો ઓઢીને  રાજૂ થઈ એ છીએ.

આફતો બે જાતની હોય છે: આપણાં દુર્ભાગ્યો અને બીજાઓનાં સદભાગ્યો.

આરામ કરવાનો સમય ત્યારે છે જ્યારે એને માટે ફુરસદ ન હોય.

આવતી કાલની મને ફિકર નથી, કારણ કે ગઈકાલ મેં જોયેલી છે  ને આજને હું ચાહું છું.

આશા સામન્ય રીતે સારી માર્ગદર્શક નથી હોતી- જો કે માર્ગમાં એની સોબત સારી લાગે છે.

મારી આળસ મને લગીરેય ફુરસદ લેવા દેતી નથી.

સૌજન્ય:ધૂપસળી

મિત્રો:આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી

June 18, 2009 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 6 Comments

6 Comments »

  1. સુંદર સુવિચારોની રજકણો..ખુબ જ ગમી.
    કોઇકે કહ્યું છે ને કે, આવતી કાલે વધુ સારી રીતે જીવવા માટે માણસ રોજ આજે મરતો જાય છે !!

    Comment by devikadhruva | June 18, 2009

  2. VERY NICE.

    Comment by DILIP CHEVLI | June 18, 2009

  3. NICE

    Comment by jignesh | June 19, 2009

  4. Respected Sir,

    Yes You are absolutely right.

    “Good Thoughts” are really one of very important part of our success life.

    Sasan Forest

    —– Thanks for sharing.

    Comment by Health Care Tips | June 19, 2009

  5. મને સારા સારા સુવાક્યો વાંચવા બહુ જ ગમે.

    Comment by Rekha | June 22, 2009

  6. The ultimate truth

    Anchlo ldhawani adat,,,,,,,,,,,,,,,

    Comment by REKHASDEDHIA | June 25, 2009


Leave a comment