ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્વગતોકતિ-નિરંજન ભગત

મૅરિન સ્ટ્રીટ - પડખેથી આંધળો પસાર  થાય છે, એને જોઈ ને
ફેરિયો-’  આ આંધળો છે છતાં
            ફરતો ફરે છે  બેપત્તા

ગિરગામ રોડ,પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને
આંધળો- ‘ આ કોણ છે ? જેની નજર તોફાન મચવે,
         ને હથેલીમાં  રૂપાળું   આ જગત  નચવે.

કોલાબા- પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને
ભિખારી-’ અરે!આ દેહ પર છે કેટલી દોલત!
        દસમા  ભાગની મારી કને જો હોત તો આમ ન બોલત!

ઍપોલો- પડખેથી પતિયા પસાર થાય છે , એને જોઈને
વેશ્યા-’ અહો, શી ખુશનસીબી! કોઈની આંખ જ્યાં રોકાએ ના,
       છૂરી સમી ભોકાય ના!

બોરીબંદર -પડખેથી કવિ પસાર  થાય છે, એને જોઈને
પતિયો- ‘વેશ્યા, ભિખારી , આંધળો અને ફેરિયો,
       કહો, કેમ લાગે છે મને સૌ આ જનમના વેરીઓ?

મધતરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં
કવિ..
    “બસ ચૂપ રહો, નહી તો આહીંથી ચાલવા માંડો…
 

July 3, 2008 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 1 Comment

1 Comment »

  1. manushyani lachari ke svabhav ……?!!

    Comment by Pinki | July 9, 2008

Leave a comment