ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્ત્રી…ચંદ્રકાંત બક્ષી

હિન્દુસ્તાનની સ્ત્રીએ પુરૂષ માટે જન્મ લીધો  હોય છે. એક પુરૂષ જે માગે છે એ બધું જ  એક સ્ત્રી આપી શકે છે. યુરોપમાં  આટલું જોઈતું હોય તો  ચારપાંચ સ્ત્રીઓ  પાસેથી મળી શકે છે.

સ્ત્રીસહજ સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓ છે જે સમયાતિત છે. સ્ત્રીના સંબંધિ વય વધવાની સાથે સાથે પોતાના અંતરંગ રકત સંબંધોમાં  બદલાતા  જાય છે. પરિવાર અને વિસ્તૃત પરિચિત પરિવાર એ સ્ત્રીનું વિશ્વ છે.

લગ્ન પહેલાં સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું  સૌંદર્ય હોય છે.

 બેટીઓ  જિંદગીભર  બાપને ખુશ રાખે છે, ફક્ત  એક વાર  રડાવી નાખે છે-પરણે ત્યારે! અને એકવાર રડવાનું કિસ્મત, એકવાર પેટભરી ને  રડી લેવાનું  કિસ્મત કેટલા બાપ પાસે હોય છે?

સ્ત્રીનું કામ ફિલસુફ થવાનું નથી,પુરૂષને ફિલસુફ બનાવવાનું છે!

જ્યાં  સુધી સ્ત્રી પ્રેમમાંથી સ્વતંત્ર નહી થઈ શકે ત્યાં સુધી સ્ત્રી સંપૂર્ણ મનુષ્ય નહીં બની શકે, માત્ર અર્ધમનુષ્ય થઈને  રહી જશે, આવું મદિરાનું માનવું છે..

May 9, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 8 Comments

8 Comments »

  1. લગ્ન પહેલાં સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું સૌંદર્ય હોય છે
    ખૂબ સરસ વાક્ય ..!!

    Comment by chetu | May 9, 2008

  2. જો સ્ત્રી પ્રેમમાથી સ્વતંત્ર થઈ જશે તો બાકી શું બચશે?

    Comment by pravinash1 | May 9, 2008

  3. કેમ વળી લિપસ્ટિક અને આઇ-બ્રો તો બચશે ને…

    Comment by Kartik Mistry | May 9, 2008

  4. સ્ત્રી સુંદર હોય છે સાથે ભોળી હોય છે
    સુંદર એટલા માટે કે પુરુષ એને પ્રેમ કરે
    ભોળી એટલે કે એ પુરુષને પ્રેમ કરે

    Comment by jayeshupadhyaya | May 10, 2008

  5. બેટીઓ જિંદગીભર બાપને ખુશ રાખે છે, ફક્ત એક વાર રડાવી નાખે છે-પરણે ત્યારે! અને એકવાર રડવાનું કિસ્મત, એકવાર પેટભરી ને રડી લેવાનું કિસ્મત કેટલા બાપ પાસે હોય છે?

    vah!
    bahuj saachi ane umadaa vaat!

    Comment by vijayshah | May 10, 2008

  6. GOD BLESS INDIAN NARI,,,,,,,,,,,,,,,,,

    USE “PASCHIM ” KI HAWA NA LAGE

    INSAN ” NARI ” KO SAHI DRASTI SE PARKHE

    Comment by REKHASDEDHIA | May 11, 2008

  7. શું હવાનાં લાગે? વાવાઝોડાં લાગી ગયા છે ;) રેખાબેન જરા બારી બહાર નીકળી જુઓ…

    Comment by Kartik Mistry | May 13, 2008

  8. તમારી વાત તદન સાચી છે. આટલુ બધુ સહન ફકત ભારતીય નારી જ કરી શકે અને તે પણ તેમના કોઇ સ્વાર્થ વિના…

    તેથી જ તો પરદેશ માં વસતા કોઇ પણ ભારતીય પુરૂષ લગ્ન માટે તો ભારત જ આવે છે. જેનુ સ્વપ્ન હોય છે ડોલરો માં કમાવવાનુ પણ લગ્ન કરવા હોય તો ભારત જ સારુ તેમ માનતા હોય છે.

    અને તેની વાત પણ સાચી જ છે. કે ભારત જેવા સંસ્કારી નારી દુનિયા માં બીજા કોઇ પણ ખુણા માં ન જોવા મળે.

    વધુ વાંચો સ્ત્રી વિશે. @ http://www.krutarth.co.cc/2009/01/woman-feelings-of-heart.html

    DIVYESH PATEL

    http://www.divyesh.co.cc

    http://www.krutarth.co.cc

    http://www.dreams-of-world.blogspot.com

    Comment by Divyesh | January 8, 2009


Leave a comment