ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ -આબિદ ભટ્ટ્

images.jpg 

ભલે     પરણ  સતત ખરે  ન  વૃક્ષને  અસર    કરે,
નચિંત      સંત  તો   રહે  ફકિર     ના    ફિકર   કરે.

ન ધામની  તને  ખબર,     ન ઠામની  તને  ખબર,
તો વ્યર્થ છે સતત  ભ્રમણ  ભલે  નગર  નગર કરે.

ન     એકમાં    હશે     કદી,  સમીપ     સર્વની     રહે,
દરેક    તત્વમાં  વસે    અગર        કદી   નજર    કરે.

નહીં   સમીપ     આવશે   ન  પામશે     અમી  નજર,
અમે       કર્યો   નિષેધ   તે   જ  કર્મ  સૌ    બશર  કરે.

ન  સ્વપ્નમાં,  ન    ખ્વાબમાં,    હકીકતે   મળે  તને,
નજર      કદીક    ભીતરે   કરી  અને      ખબર   કરે.

ખુદા     તણી  મધુર  નજર, પછી  પ્રસન્ન ઈશ પણ,
મળે    સુગંધ    ફૂલની     સુકર્મ        તું  અગર   કરે.

March 17, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment