વડો પ્રધાન છું છતાંય..
“વાહ! આ સાડીઓ તો બહું સરસ છે. શી કિંમત છે?”
“જી , આ આઠસોની છે અને આ હજાર રૂપિયાની.”
“ઓહો! એ તો બહું કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને?
“તો આ જુઓ પાચસોની અને આ ચારસોની છે”
“અરે ભાઈ એ પણ કિંમતી ગણાય. કંઈક ઓછી કિંમતી બતાવો તો મારા જેવા ગરીબને પોસાય!”
“વાહ! સરકાર - એવું શું બોલો છો? આપ તો અમારા વડા પ્રધાન છો-ગરીબ શાના? અને આ સાડીઓ તો આપને ભેટ આપવાની છે.”
“ના મારા ભાઈ, એ ભેટ હું ન લઈ શકું.”
“કેમ વળી” અમારા વડા પ્રધાનને કાંઈક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી?”
“હું ભલે વડા પ્રધાન હોઉં, પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટરૂપે લઉં. વડો પ્રધાન છું છતાંય હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું. માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવશો”
રેશમના કારખનાવાળાની બધી વિનવણી નકામી ગઈ. આખરે લાચાર થઈને એને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના વડા પ્રધાન લાલ બહાદુરજીએ પોતાના પરિવાર માટે સાડીઓ ખરીદી કરી.
-અમૃત મોદી
(ધન્ય છે ભારતના વિરલા સુપુતને! સાભળું છે કે લાલ-બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ તેના પર દેણું હતું તે પણ તેના દિકરાઓને ભરવું પડ્યું..આવા વિરલા તો ભાગ્યેજ પેદા થાય્!)
3 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



સરસ અને પ્રેરણાદાયી લેખ.
પણ…..
એ પેઢી તો વીદાય થઈ ગઈ. હવે તો એકવીસમી સદીની ‘સ્વ’ લક્ષી પ્રજા જ બાકી રહી છે.
Comment by સુરેશ જાની | February 2, 2008
સરસ અને પ્રેરણાદાયી લેખ.
Comment by vijayshah | February 3, 2008
વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી મારા માનીતા વડાપ્રધાન હતા.
તેમનું ‘જય જવાન જય કિસાન’ સૂત્ર ભારત ભરમાં પ્રચલિત છે.
તેમેને વંદન.
Comment by pravinash1 | February 5, 2008