ગુજરાતી શેર સમૃધ્ધિ…
શંકરની જેમ નાગને મફલર કરી શકો,
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો?…ખલીલ ધનતેજવી
ઘણીવાર વરસાદ એવો પડે ,
ચિતા પર ચઢો ને સળગવા ન દે…ચિનુ મોદી
કાગળમાં તારી યાદના કસ્સાઓ લખ મને,
જો શક્ય હો તો પ્રેમના ટહુકાઓ લખ મને…દિલીપ પરીખ
હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો…નઝીર ભાતરી
મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…બેફામ
એ સૌથી વધુ ઉચ્ચ તબ્બકો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે… મરીઝ.
કલમનો સંગ લીધો, અક્ષરી અજવાસ લઈ લીધો,
અમે સંસારમાં રહીને પરમ સન્યાસ લઈ લઈ લીધો..મુસાફિર પાલપૂરી
ખૂદા ખાતર મને ખેંચી ન જા મસ્જિદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે કયાંય દેખાવું નથી ગમતું…રૂસ્વા મઝલૂમી
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


