ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુધી ગયા

oryx-antelope.jpg 

આંખોના   દ્વાર   ખોલીને   શમણા  સુધી  ગયા,
હોવા પણાનો   ડર    લઈ, ઘટના સુધી  ગયા.

એમાં   નવાઈ   શું , જો   નિરાશાઓ      સાંપડે!
મીઠપની  આશે કાં , અમે દરિયા સુધી   ગયા?

પાગલપણાથી  પર   હશે   ના, એની  જિંદગી
ઈચ્છા   જે    ફૂલની  લઈ  સહરા   સુધી ગયા?

મરવાની   ઈચ્છા    એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી   જવાની  આશ લઈ, તરણા  સુધી ગયા.

-મન્સુર કિસ્મત કુરેશી

ભાવનગર એ મારી જન્મભૂમિ અને મા-ભોમની મારી આ મુલાકાતમાં પહેલી સાહિત્ય-સફર એટલે
મારું  રુડુ -રણિયામણું ભાવશાળી ભાવનગર જ્યાં “બુધસભા” દરબુધવારે મળે,સૌ  કવિ-મિત્રો મળે અને કાવ્ય પાઠન થાય અને નવેમ્બર , ૨૮,૨૦૦૭ના રોજ  અતિથી મહેમાન તરીકે મને આમંત્રિત કરેલ. આપ સૌને ખબરજ હશે અને સૌ કહેછે કે “જ્યાં  કોઈ પણ ઘરે પથ્થર ફેકો તો એ ઘર કવિનું જ હોય..સભામાં ખ્યાતનામ આપણાં ડૉ.વિનોદભાઈ જોશી સહિત કિસ્મત કુરેશીના પૂત્ર “મન્સુર કિસ્મત કુરેશી” પણા હતાં. પિતાનો વારસો જેમણે બહુજ કુશળતાથી અને સહ્જ ભાવે
જાળવી રાખ્યો છે.તેમની આ ગઝલ આપની સમક્ષ રજૂ કરતાં મને આન્ંદ થાય છે.

November 29, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments